SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ એક ધૃતારાની કથા ૧૩૧ બેસાડીને તે ગયેા. તે સમયે તેની પત્ની નજીકના કુવા ઉપર પાણી ભરવા ગઈ હતી. સૂના ઘરનું પેલેા ધૂર્ત રક્ષણ કરતા હતા, અને પાન ખાતા હતા. થોડા વખતમાં શેઠાણી પાણી ભરીને આવી, અને પતિને નહિ દેખવાથી તથા તે નવીન માણસને જોવાથી તેણે પૂછ્યું કેઃ “તમે કાણુ છે? શેઠ યાં ગયા ?” ધૂતારાએ કહ્યું કે: “હું તે પરદેશી છું, ભાજન માટે શેઠ પાસે આવ્યેા હતેા. હું સૂક્તાદિથી તેમને ખુશ કરતા હતા, તેવામાં એક યૌવનમત્ત શ્રી આવી, તેની સાથે શેઠે ઘણા વખત સુધી વાત કરી, અને પાન ખાધાં, તે સ્રી શેડને સાથે લઈને કાંઈક ગઈ છે; તેઓએ નાંખેલા પાનની પીચકારીએ આ રહી.” એમ કહીને પેાતે નાંખેલી પાનની પીચકારીએ દેખાડી. આ વાત સાંભળીને માથા ઉપર રહેલા જી ભરવાને માટીનેા ઘડા ભૂમિ ઉપર નાખી દઈને ક્રોધાયમાન થએલી તે સ્ત્રી ખેાલી કે: “તે પાપી કચે રસ્તે ગયા ?” એટલે જે રસ્તે શેઠ ગયા હતા, તે જ રસ્તે તેણે શેઠાણીને દેખાડયો. તેણી પછવાડે દોડી, અને પતિને દેખ્યા. પેલા ધૃતારાએ કહેલા રીંગણને શેાધતા શૂન્ય મનથી તે આમતેમ ભટકતા હતા. તેને દેખીને તે સ્ત્રીએ રાડ પાડીને કહ્યું કેઃ “અરે! પરીલંપટ! ખારાક શેાધનાર ઉત્તરની માફક આમતેમ ભટકે છે?” આ પ્રમાણે કહીને રસ્તા ઉપરની ધૂળ તથા કચરા તેના ઉપર ફ્રેંચે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy