SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલે. રાસ રૂડે શ્રીપાલને રે, તેહની દશમી દ્વાલ; વિનય કહે પુર્વે કરી રે, દુઃખ થાયે વિસરાલ. દેખ૦ ૨૬, અર્થ –એટલામાં તે શત્રુ અજીતસેનના સવારે તેણીની જશેધ કરતા કરતા ત્યાં જ આવી ચડ્યા. અને તે કોઢીઆઓને વારે વારે પૂછવા લાગ્યા કે “અહીયાં કોઈ એક બૈરીને જતાં જોઈ છે? બેલે તે ખરા, જોઈ છે?” આમ આતુર વૃત્તિથી તેઓને પૂછતાં જોઈ કેઢીઆઓએ જવાબ વાળે કે–“અહીયાં તે કઈ આવ્યું ગયું દીઠું નથી. નાહક જૂ હું કલંક ચડાવા જેવું પૂછી પૂછી મગજમારી શા સારૂ કરી રહ્યા છે ? જો તમને અમારા બલવા ઉપર ભરોસો ન આવતા હોય તે અમારા ટેળામાં ફરી ફરીને તપાસી લે; પણ તપાસતાં પહેલાં એટલું ખાસ યાદ રાખજો કે અમે સાતસોએ ઉડતા ચેપી કઢગથી પકડાયેલા છિયે, માટે અમારા ટોળામાં અમારા જેવું જ કેઢિયું થવું હોય તે જ દાખલ થો.” આ પ્રમાણે તેઓની વાત સાંભળી કે તુરત ડરી જીવ લેઈ તે બાપડા પેટુડિયા સવારે નાસવા જ લાગ્યા અને વારે વારે ચમકવા લાગ્યા કે “ રખેને આપણને એ રેગને ચેપી પવન લાગી જતાં રંગ વળગી ન પડે!” કેઢીયાઓની સેબતથી બાળરાજાને તુરત ઉંબર નામને કોઢ લાગુ થઈ પડ્યો, એ જોઈ અનાથ માતાના મનમાં દુઃખને પાર રહ્યો નહિ, વારે વારે નિઃશ્વાસ નાખી મનમાં બબડ્યા કરતી હતી કે-“મારા પણ કઠણ કરમના ભંગ છે.” વગેરે વગેરે મહા ચિંતાને સ્વાધિન થવાથી દુઃખથી વધારે દબાઈ ગઈ છતાં પણ તેણીએ કેટલાંક વર્ષ તે જ સ્થિતિમાં દિવસો ગુજાર્યા. પરંતુ આખર તેણી એ વિચાર ઉપર આવી કે-“ઉપાય મેળવી રોગ મટાડવા યત્ન તે કરે જ જોઈએ! કઈ ચિંતા કરવાથી કે રોવાથી રેગ ને દુખ મટતાં જ નથી.” એવા નિશ્ચય ઉપર આવી બાળરાજાને દેવા લાયક ભલામણ દઈ, તે વિશ્વાસુ કુષ્ટિમંડળને સેંપી પિતે પરદેશમાં રખડી રઝળી કઈ વૈદ્ય પાસેથી ઔષધ, ટુચકા વગેરે હાથ કરી લેવા નીકળી પડી. આગળ ચાલતાં વચમાં એક જ્ઞાની ગુરૂને પૂછતાં આનંદના સમાચાર મળ્યા, જેથી તુરત અહીં આવી અને જે દુઃખિયારી બાળરાજાની રાજમાતા કમળપ્રભા હતી તે જ હું પોતે, તમારી પાસે બેઠેલી છું.” આ સુંદર શ્રીપાલના રાસની અંદરના પ્રથમ વિભાગ–ખંડમાં આ દશમી ઢાલ પૂર્ણ થઈ. વિનયવિજયજી કહે છે કે-પુણ્યના બળવડે કરીને તમામ દુઃખ નાશ થઈ જાય છે, માટે શ્રોતાજન ! જેમ બને તેમ નવ પ્રકારથી પુણ્ય ઉપાર્જન કરો, કે જેથી તમારાં પણ કંઈ દુઃખ હશે તે નાશ થશે. –૨૦ થી ૨૬ દેહરા છંદ રૂપસુંદરી શ્રવણે સુણી, વિમલ જમાઈ વંશ, હરખું હિયડે ગહગહી, ઈણિી પરે કરે પ્રશંસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy