SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રીપાળ રાજાના રાસ. કે સાધુપણામાં તપ વગેરે કરવા છતાં પણ માયા સ્રીવેદને આપનારી છે તેને દુઃખદાઈ જાણીને તેને તમે માયાના ત્યાગ રૂપ આર્જવ ( સરલતા-નિષ્કપટ ભાવ) રૂપ ખીલાવડે વગર મહેનતે સહેજે રમતમાં એકી વખતે મૂળ સહિત ઉખેડી દીધી, જેથી આપ નિર્માયી થયા છે. વળી પરિગ્રહ-મૂર્છા (ઈચ્છા ) કે જેને કષાયવંત સાધારણ જન પાર ન પામી શકે એવા તથા અભવ્યને અનાદિ અનંત અને ભિવને અનાદિ સાંત છે એવા લેાભ રૂપી ઉડા સમુદ્ર કે જે મૂર્છારૂપ પાણીએ ભરેલ છે, તેને આપ મુક્તિ-નિર્લોભતા ગુણરૂપ વહાણથી તરીને પાર પામ્યા એથી આપ નિર્લોભી થયા છે. એ ક્રોધ-માન-માયા ને લાભ મળી ચારે કષાયો કે જે સંસારરૂપી વૃક્ષના પાયા છે, ( અર્થાત્ જ્યાં લગી એ ચાર કષાયો વિદ્યમાન હાય ત્યાં લગી જ સંસારનું કાયમપણુ' છે, અને એ ચારેનેા નાશ થયો કે સંસારના પણ અંત આવી જાય છે; કેમકે સંસારને વધારનારા એ કષાયા જ છે. કષાયે ન હોય તે સંસારની વૃદ્ધિ મધ પડી જાય છે, માટે જ ભવરૂપ તરૂને ટકાવી રાખનાર કષાયોને પાયા સરખા કહેવામાં આવેલ છે. ) એ ચાર કષાયના અનંતાનુંધી વગેરે બહુ ભેદ છે, અને એ બહુ જ દુઃખના દેનારા છે; તે ખેઢ વગેરે દાષા ચારે કષાયના મૂળને આપે છેદી નાખ્યા છે. માટે હું પ્રભુ ! આપ જયવ'તા વો ! વળી હે સ્વામિન્ ! કામદેવે અહંકાર સહિત હરિહર બ્રહ્મા-ઈંદ્ર-ચંદ્રાદિ તમામ દેવાને જીતી લીધા છે, મતલબ કે તમામ દેવેા કરતાં પણ કામદેવ બળવાન છે, તેવા સહુથી વિશેષ બળવંત કામદેવને પણ આપે પરિપૂર્ણ પંડિત વિદ્યાસરૂપ પરાક્રમ-નિજસ્વરૂપ રમણરૂપ ધ્યાનના એક ધક્કા વડે જ મઢી નાંખ્યો છે એથી આપ કામજીપક અવાત્મમાગીયેાગીશ છે; કેમકે અજિત કામને પણ બ્રહ્મચર્ય વ્રતના નવકાટિ પ્રત્યાખ્યાન કરવાના બળથી અધિક વખત શ્રમ ન લેતાં પહેલા જ સપાટામાં આપે પા પાડી નીચી દશાએ પહોંચાડચો છે, તેથી આપે અજિતને જીતવાથી અજિતસેન નામને દીપાવ્યું છે. તે ઉપર કિવ એક દૃષ્ટાંત આપે છે. જનાવરામાં સહુ કરતાં સિંહ બળવાન છે કે જેના શબ્દ સાંભળતાં જ હારા હાથીઓનુ ટાળું પણ જીવ લઈ દશે દિશાએ નાસી જાય છે, તેવેા મહાબલિ સિંહ પણ અષ્ટાપદ નામના જાનવરને જોતાં જ નિર્બળ એકડા જેવા ગરીબ અની જાય છે, તેમ હે મુનીદ્ર ! સ બળવંત દેવાને જિતનાર કામદેવને પણ જિતનાર આપ થયા માટે નિવિષયી આપ છે. —૧ થી ૪ રતિ અતિ નિવારી ભય પણ ભારી, વિશ્વના તાજી. તે મન વિ રિયા તેહજ ડરીયા તુજથી; બારૂજી. ૧ ચાર ગતિને વિષે સોંસરવું તેને સ ંસાર કહીએ; તે જ સંસાર તેને આય કહેતાં જે વિષે તે કષાય કહીએ. Jain Education International For Private & Personal Use Only લાભ જેને www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy