SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ ચાથે. કોઈ કહે માહરા માહ તુ મત કરે, મરણુ જીવન તુઝ ન પીઠ છાંડું; અધરરસ અમૃતરસ દાય તુજ સુલભ છે, જગત જય હેતુ હા અચલ ખાંડું. ચં૦ ૬ ઈમ અધિક તુકે વીરરસ જાગતે, લાગતે વચન હુઆ સુભટ તાતા; સુર પણ ક્રૂર હુઈ તિમિર દલ ખડવા, પૂર્વ દિશિ દાખવે કિરણ રાતા. ૨૦ ૭ અ કાઈ વીરની વીરપત્નિ હસીને કહેવા લાગી કે—હે નાથ ! મેં અમળાએ જ ફક્ત આપને નેત્રખાણુ વડે વીધી વશ કરી લીધેલ છે; છતાં ધૈયતા અને વીરતા બતાવવા સબળાઓની સાથે મેદાનમાં ઘૂમવા ઇચ્છે છે; પરંતુ ત્યાં તેા તીર, ભાલા, તરવાર વગેરેનાં જીવલેણ છેદનભેદન સહન કરવાં છે માટે નેત્રખાણુ ધીરજ સાથે સહન કરી શકયા નથી, તે તે શી રીતે સહન કરી ધૈયતા રાખી શકશે ? તેનેા જરા પણ ખ્યાલ તા કરે ! ( આ વ્યંગ વચન વડે મર્મીમાં જણાવ્યું. જેથી ઉત્સાહ, આનંદ અને શૂરત્વને વધારે થતાં વીર યેદ્ધાએ વિશેષ રણરગમાં જય મેળવી પાતાની પત્નિને તેની વ્યંગ નેિને હેતુ સિદ્ધ થએલા ખતાવવા આતુર થયા. ) કોઇ સ્ત્રીએ કહ્યું—“ તમે મનમાં એવું ન લાવશે કે કદાચ હું લડાઇનાં મેદાનમાં કામ આવી જઈશ તો પછી મારી વ્હાલી પ્રિયા કાના આધારે જીવન ગુજારશે ?! એવા મેાહ લાવી એ બાજુ જીવ રાખવાથી બન્ને કાય બગડે છે, મારામાં જીવ ન રાખશેા; કેમકે હું તેા તમારી પીઠ છેડનાર જ નથી એટલે કે જો લડાઈમાંથી જીત મેળવીને ઘેર આવશે તે માંગલિક વસ્તુઓ વડે તમને વધાવી અધરામૃતના આનંદ આપીશ. અને કદાચિત દૈવયેાગે રણમાં કામે આવી જવાશે, તે પણ તમારા વીર શખને ખેાળામાં લઈ અગ્નિમાં પ્રવેશ કરી સતી થઇ રવ`માં પણ સાથે જ આવીશ; માટે પૂર્ણ ખાત્રી રાખવી કે હું જીવતાં કે મરતાં કિર્દિ તમારી પીઠ છેડનારી જ નથી. જેથી તમને અધરરસ અને અમૃતરસ અને સુલભતાએ પ્રાપ્ત થશે; જેથી વિજય મેળવીને ઘેર આવ્યેથી મારા અધરરસના આનંદ હેલાઈથી મળશે અને કદાચ વીરતા બતાવી સ્વળ સંપત્તિ મેળવી તે ત્યાં અમૃતરસ હેલાઈથી મળશે; માટે વિજય મેળવવા જાએ છે તેમાં સાવધાની સાથે અન્નદાતાનુ કાર્ય સિદ્ધ કરી અમર નામના મેળવો, કે જેથી જગતની અંદર જયરૂપ અચળ ખાંડું ગણાવવા ભાગ્યશાળી થવાય ! જે વીરતા સાથે લડીને રણમાં ધન્યવાદ પૂર્વક કામે આવે છે તે અવશ્ય સ્વર્ગસપત્તિ મેળવે છે અને વિજય મેળવી હૈયાત રહે છે, તે અવશ્ય આ લેાકમાં યશસપત્તિ સાથે મહાન્ અહાદુરીનુ પદ મેળવે છે; માટે આ લોક અને પરલોક શેલાવવા ચગ્ય યશવંત ખડ્ગ બતાવી સુકીર્તિ મેળવો. ” આ પ્રમાણે કોઇ વીર માતાનાં, કાઇ વીર સ્ત્રીનાં ને બઢીજનનાં વેધક વચના સાંભળતા કૌતુકને લીધે વીર લડવૈયાઓને ઘણા જ રસ ચડયો, જેથી વીરત!માં વિશેષ ઉમેરો થતાં તેઓ અત્યંત સતેજ થયા; કેમકે તે બધા મૂળથી વીર લડવૈયા Jain Education International ૧૯૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy