SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચોથે. ૧૭૫ દેવા જતાં વક્તાની મતિ પણ મૂંઝાઈ જાય છે. એ માટે તે શ્રોતાજને ! સાવધાન થઈ મારા કથનને ધ્યાન દઈ સાંભળે. કારણ શ્રોતાઓ મારા કથનને મર્મ સમજી શકે તેને જ હું રીઝવી શકું છું. શાથી કે જે રસિક હોય તે શ્રોતા નવા નવા શૃંગાર વગેરે રસપૂર્ણ વ્યાખ્યાન સાંભળીને રંજન થાય, કવિકથનનો આશય સમજે, પિતાની સુરતા વડે લક્ષ ભૂલે નહી અને શૃંગારાદિ રસ સાંભળી હેયોપાદેય યથાયોગ્ય આલંબન યોજી દે. પરંતુ જે અજ્ઞાન શ્રોતા હોય તે તે વક્તાના દે કહાડી હાસ્ય સાથે શ્રમ વિફળ કરે છે. આ કથામાં જેમ જેમ આગળ ધ્યાન દેવામાં આવશે તેમ તેમ બહુ જ રસ આનંદ પ્રાપ્ત થાય તેમ છે; માટે હવે તે છીપાલ ચરિત્રના જે ઉત્તમ ગુણે છે તે કહેવામાં આવે છે. -૧ થી ( ઢાળ પહેલી—ધન દિન વેલા ધન ઘડી તેહ –એ દેશી) રહિયા રે આવાસ દુવાર, વયણ સુણે શ્રીપાલ સોહામણોજી; કમલપ્રભારે કહે એમ, મયણાં પ્રતિ મુજ ચિત્ત એ દુ:ખ ઘણે જી. વીટી છે એ પરચક્ર, નગરી લોક હિલ્લોલીયોજી; શી ગતિ હોશે ઈણે ઠામ, સુતને સુખ હોને બીજી ઘોલીજી. ઘણ રે દિવસ થયા તાસ, વાલિંભ તુજ જે ગયો દેશાંતરેજી; હજીય ન આવી કાંઈ શુદ્ધિ, જીવે રે માતા દુઃખણી કિમ નવિ મરે. ૩ અર્થ–સુંદર દેખાવવાળે શ્રીપાલકુંવર માતાના ઘર આગળ પહોંચી મયણાંસુંદરી પ્રતિ માતુશ્રી જે વચને કહેતાં હતાં, તે સાંભળવા માટે બારણ આગળ ઊભો રહી સાંભળવા લાગે. માજી મયણાસુંદરી પ્રત્યે કહેતાં હતાં કે-“મારા મનમાં એ દુઃખ ઘણું છે કે દુશ્મન રાજાના લશ્કરે શહેરને ઘેરો ઘાલે છે, જેથી શહેરના રહેવાસી માત્ર ગભરાઈ ઉઠતાં હળફળ કરી રહેલ છે, તેને લીધે અહીંયા આપણે શી વલે થશે ? અરે ! આપણી તે ગમે તે વલે થાય પણ ફક્ત મારા પુત્રને કુશળતા પ્રાપ્ત થજો. વ્હાલી વધૂ ! તારો વલ્લભ જે દેશાંતરે ગયેલ છે તેને પણ ઘણા દિવસ થઈ ગયા–મુદત પણ પૂરી થવા આવી છતાં હજુ સુધી કશા સમાચાર આવ્યા નથી, તથાપિ આ પુત્ર વિયેગિની દુઃખિયારી માતા જીવે છે, પણ મરતી નથી, કેમકે પુત્ર વિયોગ છતાં માતાનું જીવવું નકામું છે. –૧ થી ૩ માયણ રે બેલે મ કરો ખેદ, મ ધરો રે ભય મનમાં પરચક્રનેજી; નવપદ ધ્યાને રે પાપ પલાય, દુરિત ન ચારો છે ગ્રહ ચકનોજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy