SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રીપાળ રાજાને રાસ. શ્રીપળકુંવર પિતાની વિવાહિત તિલકસુંદરી સાથે, જેમ લક્ષ્મીજીની સાથે શ્રી કૃષ્ણજી સુખ ભોગવે, તેમ સુખ ભોગવવા લાગે. (શ્રી જસવિજયજી કહે છે કે-આ શ્રીપાલ રાસના ત્રીજા ખંડની અંદર આ છઠ્ઠી ઢાળ પૂરી થઈ તે એમ જણાવે છે કે સિદ્ધચકજી મહારાજના ગુણ ગાતાં ઘેર ઘેર પણ મંગળમાળા થાય છે.) –૨૨ થી ૩૧ દેહા-છંદ વિલસે ધવલ અપાર સુખ, સેભાગી સિરદાર; પુણ્યબલેં સવિ સંપજે, વંછિત સુખ નિરધાર. સામગ્રી કારજ તણી, પ્રાપક કારણુ પંચક ઈષ્ટ હેતુ પુણ્ય જ વડું, મેલે અવર પ્રપંચ. તિલકસુંદરી શ્રીપાલનો, પુણે ઓ સંબંધ; હવે શૃંગારસુંદરી તણે. કહિશું લાભ પ્રબંધ. અર્થ –સૌભાગ્યવંત જનોનો જે સરદાર તે જ અપાર ઉજવળ–સુખ ભેગવે છે; કેમકે તેમને ઈલાં સર્વ સુખ પૂર્વ પુણ્યના પ્રતાપબળ વડે જ પ્રાપ્ત થાય છે. દરેક કાર્યની સામગ્રીની પ્રાપ્તિનાં કારણ કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને અને ઉદ્યમ એ પાંચ છે. એટલે કે જે સમય ઉપર જે થવાનું હોય તે સમયે જ તે થાય છે, જેમકે ઉન્ડાળાની મોસમમાં આ ફળ, મેથી શીઆળામાં જ ઉગે, સ્ત્રી તુમતિ થયા પછી જ ગર્ભ ધારણ કરે. એ સમય-કાળની દરેક કામમાં જરૂર પડે જ છે. જે એ કાળ–સમય હાથ લાગેલ હોય; છતાં પણ સ્વભાવનો સંગ મળતો ન આવે તે મળેલ સમય સંગ નિષ્ફળ જાય છે. કારણ કે જે બીજ ઉગે તે તેવા સ્વભાવવાળું હોય તો ઉગે. પરંતુ જે બીજ ખરાબ હોય કે બીજું હોય તો ઉગવાને સમય હાથ આવેલ છતાં ધારેલ ન ઉગે. દૂધમાંથી જ દહીં થાય છે. માટે સમયની કઈ પણ કારણમાં જેવી જરૂર છે તેવી જ સ્વભાવની પણ છે; તેમ જ સમય અને સ્વભાવ બેઉને ગ મ હોય, પરંતુ તેમાં જે નિયત કારણ ન હોય તો તે કામ ફતેહને ન પામે. જેમકે ત્રીજા ચોથા આરામાં ભવ્ય જીવ વિશેષ હતા, છતાં જેઓએ સમકિત પ્રાપ્ત નહિ કરેલું તેઓએ ભવ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ મોક્ષ પ્રાપ્તિ ન કરી. એટલે કે સમય, સ્વભાવ બેઉ કારણ છતાં નિયત કારણ ન મળ્યું જેથી મોક્ષમાર્ગ હાથ ન લાગે. માટે કાળ, હવભાવ ને નિયત એ ત્રણે કારણની દરેક કામમાં જરૂર છે. જો કે એ ત્રણે કારણ હાજર હોય, છતાં ઉદ્યમ ન કરે તો તે કારણે હાજર છતાં નકામું થઈ પડે છે, જેમકે કઈ વૃક્ષ તે જ રૂતુમાં વાવ્યું ઉખ્યું છે, ડુંડીઓ પણ આવે છે, પરંતુ તેને પૂરતું પાણી ન પવાય, વાડ વગેરે બંદેબસ્ત ન કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy