SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીને. ૧૪૭ વામન વરીયે જાણી ગૃપાદિક દુ:ખ ધરે હે લાલ નૃપા તામ કુમાર સ્વભાવનું રૂપ તે આદરે હો , રૂપ, અર્થ –કુંવરની કળા પાસે બીજા રાજકુંવરોની કળા સૂર્યની કળા આગળ ચંદ્રની કળાની જેમ નિસ્તેજ-ઝાંખી થઈ પડે તેવી થઈ પડી છે; એટલું જ નહિ પણ છાશ ને બાકળા જેવો મેળ થઈ પડયો.” આ પ્રમાણે કુંવરીની વીણચાતુરી સંબંધી સભાજનોએ પ્રશંસા કરી, તે સાંભળીને વામનજી ત્યાં આવ્યો તેને જોઈને સઘળા અને હાસ્યમાં બોલવા લાગ્યા કે-“આ કૂબડે કુંડલપુરના રહેનારા લોકોને ભલે પસંદ પડયો છે ! કુંવરીએ તો જાણે પહેલાથી જ વામન સાથે સંકેત કરી મૂક્યો હાય નહિ તેવી રીતે વામનજી નજીક આવતાં તુરત જ પિતાના હાથમાંની વીણા તેના હાથમાં આપી. તે લઈ વામન બે કે-“પહેલાં તો આ વીણા જ અશુદ્ધ છે; કેમકે આ વીણાના તુંબડાને ગર્ભ બરાબર નથી અને તે ગર્ભ રહિત થયું જ નથી. આ વીણનો દંડ (વચ્ચેનું લાકડું) ગળે રહેલ છે એટલે જે લાકડું છે તે દાઝી ગએલ લાકડાને બનાવેલ છે જેના લીધે બરાબર શુદ્ધ અવાજ કહાડી શકે તેમ નથી. માટે અશુદ્ધ વીણા મેં કહેલ છે” ઈત્યાદિ દેષ બતાવી પછી વીણાને બરાબર સમારી વામનજી આલાપ કરવા લાગે અને સમયને અનુસરત રાગ ગાઈ તેણે એવી તે ગ્રામમૂઈના દ્વારા છાયા આપી, કે જેથી સાંભળનારાઓ મૂછવંત બની ગયા, અને લાકડા જેવા થઈ રહ્યા. એટલે વામનજીએ તે શૂન્યચેતનાવાળાં લેકના મુકુટ-શિરપેચ-પાઘડી અને વીંટી વગેરે, રત્નજડિત દાગીના તથા વા એકઠા કરી લઈ એક મોટો ઢગલો બનાવી મૂક્યો. જ્યારે લોકે મૂછમાંથી જાગ્યા ત્યારે પોતે દાગીના વ ગુમાવી બેઠેલ તથા બેભાન થઈ ગએલ જોઈ તેઓ બહુ જ આશ્ચર્ય પામ્યા. આમ થવાથી કુંવરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાને લીધે પ્રસન્ન મનવાળી થઈ અને સ્વર્ગ–મૃત્યુ-પાતાળ એ ત્રણે ભુવનની અંદર સારરૂપ કુંવર શ્રીપાના ગળામાં વરમાળા પહેરાવી પોતાના જન્મને ધન્ય માનવા લાગી. જો કે કુંવરીએ તે મનમાન્યાને વર્યો, તો પણ વામન વરને વરવાથી કુંવરીના પિતા તથા અન્ય રાજાઓ વગેરે મનમાં દુઃખ ધરવા લાગ્યા. એ જોઈ શ્રીપાળકુંવરે પિતાનું જે મૂળનું રૂપ હતું તે પ્રકટ કર્યું. -૨૫ થી ૨૯ શશીરજની હરરી હરી કમલા જિયે હો લાલ, હરી યોગ્ય મેલાવો જાણી સવિ ચિત્ત ઉલ્લરાયો હો , સવિ. ૨૯ નિજ બેટી પરણાવી રાજા ભલી પરે છે કે, રાજા દિયે હયગય પણ કંચણ પૂરે તસ ઘરે હો ,, પૂરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy