SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ બંનેને દુઃખદાયક-કર્મબંધનમાં કારણભૂત છું. કઈ પણ ઉપાયથી આને ઉદ્ધાર કરવો જોઈએ. આમ વિચારતાં પંચ પરમેષ્ઠિ નવકાર મંત્ર જાપ કરવા માંડ્યો. અને તેના શુભ ધ્યાનમાં મૃત્યુ પામી બ્રહ્મ દેવલેકમાં દેવ થયે. દેવલેકમાં ઉત્પન્ન થતાં જ ઉપગ મૂ, અને અવધિજ્ઞાનથી સર્વ જાણી લીધું. દેવનાં કાર્યો કર્યા વગર જ પ્રધાન કરુણવાળા મિત્ર અને ભાર્યાને પ્રતિબંધ કરવા એકદમ અહીં આવ્યું. અને દેવમાયાથી બંધુલાને ઝાડા રોગના ઉપદ્રવવાળી કરી. મહાવેદના ઉત્પન્ન થઈ અને અશુચિ દુર્ગધી ચીકણું વિષ્ટાવાળી પિતાના યાર ધનદત્તની પાસે પિકાર કરવા લાગી. ધનદત્તનું શરીર વિષ્ટાથી ખરડાઈ ગયું. તેની દુર્ગધથી તે મૂંઝાઈ ગયે અને નાસવા લાગે, પણ બંધુલા “મારા અંગે ભાંગે છે, મને જોરથી દાબે” એમ કહી ધનદત્ત ઉપર પડવા લાગી. ધનદત્ત ચિંતવ્યું કે, “અહા મારું પાપ કયાંથી પ્રગટ થયું? અરે મેં મિત્રને છેતરીને નઠારું કામ કર્યું છે તેનું જ આ પરિણામ છે.” અને બે કે “આ ગંદકીમાં મારાથી રહેવાતું નથી.” બંધુલા પણ રડવા લાગી. આમ બંને ખૂબ પસ્તા કરવા લાગ્યાં. હવે પ્રતિબંધ કરવાનો સમય પાકી ગયા છે, એમ અવધિજ્ઞાનથી જાણ જિનધર્મના શબની પૂજાનું બહાનું કરી ત્યાં દેવ પ્રગટ થયે. તેને જોતાં જ બંધુલાની વેદના અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy