SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નશિખાની કથા [ ૫૯૭ બહાર નીકળ્યો, એટલામાં વનદેવતા સમાન એક રમણીએ મહાકિંમતી ઉત્તમ જાતિનાં વસ્ત્રો લાવીને આગળ ધર્યા. ત્યાર પછી સર્વ અંગોપાંગોમાં પહેરવા લાયક સર્વ આભૂષણે આપ્યાં. વળી પુષ્પ, વિલેપન સાથે કપૂર, એલચી, કંકલયુક્ત પાનબીડું -તંબોલ આપ્યું. વળી કહ્યું કે, અપૂર્વ દેવનું સ્વાગત કરીએ છીએ. રાજાએ પૂછયું કે, હું અપૂર્વ દેવ કેવી રીતે? ત્યારે તે સુંદરીએ કહ્યું કે-“દેવતાઓની આરાધના લાંબા કાળ સુધી કરીએ, ત્યારે તે સર્વે દેવતાઓ શાંતિ આપે કે ન પણ આપે, પરંતુ અમારી સખીને તો તમે દેખતા માત્રમાં શાંતિ આપી છે.” ત્યારે પૂછ્યું કે, “તારી સખી કેણ છે? મને ક્યારે અને કેવી રીતે દેખ્યો –એમ જ્યારે પૂછયું, ત્યારે તેણે કહ્યું કે-અહિંથી ઉત્તર દિશામાં પૃથ્વીમંડલને માપવાના દંડ સમાન પૂર્વ-પશ્ચિમ સમુદ્રના છેડા સુધી લાંબે વૈતાઢ્ય નામનો પર્વત છે. તેમાં ઈન્દ્રની નગરી સમાન મનહર સુરસંગીત નામનું નગર છે. ત્યાં સમગ્ર માનિની સુંદરીઓના માનને મરડી નાખનાર, સારી રીતે કેળવેલ શત્રુસૈન્યને ચૂરો કરનાર, સમગ્ર અથ સમુદાયના મનોરથને પૂરનાર, એ સૂરણ નામને રાજા હતો, તેની સ્વયંપ્રભા અને મહાપ્રભા નામની બે પ્રિય પત્નીઓને શશિવેગ અને સૂરવેગ નામના વિદ્યાબલવાળા બે પુત્ર હતા. (ગ્રન્થા (૧૪૦૦૦) હવે કઈક સમયે રવિતેજ નામના ચારણશ્રમણ પાસે ધર્મ શ્રવણ કરીને પિતાની ગાદીએ શશિવેગ પુત્રને સ્થાપન કરીને સૂરણ રાજાએ દીક્ષા અંગીકાર કરી. શશિવેગ રાજા પણ રાજ્યનું બરાબર પાલન કરવા લાગ્યો. તેની કીડાને આનંદ દેખીને સૂરવેગને રાજ્યની ઈચ્છા ઉતપન્ન થઈ. તેથી મહાસંન્ય-સામગ્રી પરિવારવાળા સુવેગ નામના મામાની સહાય લઈને શશિવેગ રોજા સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. “આ અસાધારણુ યુદ્ધ છે” એમ માનીને મંત્રીવર્ગની સલાહને અનુસરીને લશ્કર અને વાહન-પરિવાર–સહિત આ વિશાળ અટવીમાં જઈને મેરુપર્વતથી આગળ નવીન નગરની સ્થાપના કરીને પડાવ નાખીને રોકાયે. તે રાજાને માત્ર આંખ મિંચવા-ઉઘાડવા જેટલું જ દેવાંગનામાં ફરક છે, તેવા રૂપવાળી ચંદ્રપ્રભા નામની પુત્રી છે. તેને દેખીને કેઈક નિમિત્તિયાએ કહ્યું કે-“આ પુત્રી સાથે જે લગ્ન કરશે, તેને તમારી રાજ્ય સંપત્તિ પ્રાપ્ત થશે.” પિતાએ પૂછયું કે, “તેને કેવી રીતે જાણો ?”—એમ પૂછયું, ત્યારે તેણે જણાવ્યું કે, “સુગ્રીવ નગરના રાજાને મહામમિત્ત ગંધહસ્તી આ અરણ્યમાં પરિભ્રમણ કરતે હશે, તેને જે વશ કરશે, તેને જાણ. તે દિવસથી માંડીને તેને માટે નિયુક્ત કરેલા વિદ્યાધરો હંમેશાં તેની સાર-સંભાળ કરતા હતા. એટલામાં નિર્લજજ દુષ્ટ પુરુષની જેમ આ ગંધહસ્તીએ કુલમર્યાદાઓનો ત્યાગ કરીને, મહાવતની બેદરકારી કરીને ઉન્માગે આ અટવીમાં પ્રવેશ કર્યો. એટલે પિતાની આજ્ઞાથી પિતાની સખીઓ સાથે રહેલી આકાશગમન કરતી અમારી સ્વામિની કે, જે પિતાના દાંતની કાંતિથી આકાશને પ્રકાશિત કરતી હતી, એવી ચંદ્રપ્રભા નામની રાજપુત્રીએ, જેણે મહાગંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy