SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ ] ઉપદેશપદ-અનુવાદ ta આવીને વરે છે, તેમ સુકેાશલા નામની કાલાધિપ–રાજાની પુત્રી જાતે આવીને તેને વરી. કાઇક વખત દેવીએ મસ્તકમાં રહેલા સફેદ કેશને ઉખેડીને રાજાને ખતાબ્યા, એટલે તે વૈરાગ્ય પામ્યા. પુત્રને રાજ્ય આપીને પદ્માનન રાજા પેાતાની પ્રિયા સાથે વનવાસ સેવન કરવા ગયા. હવે રત્નશિખ શરદ દ્ર સમાન અખ`ડ રાજમ`ડલથી અલકૃત, સામંતા, મંત્રીઓનાં મડલા જેનામાં અનુરાગી બનેલાં છે, એવા મહારાજા થયેા. કાઇક આવીને આપ્યાના-કથા કહે, તેમાં તેને ખૂબ કૌતુકાનદ થતા. તેથી કથા કહેનારા ભટ્ટોને વૃત્તિ-દાન આપતા હતા. અપૂર્વ અપૂર્વ નહીં સાંભળેલી એવી કથાએ સાંભળતા હતા. જેમાં ઘણાં કૌતુકા ભરેલાં હોય, એવા મહાસત્ત્વશાળી પુરુષોનાં ચરિત્રા શ્રવણ કરીને અતિષ પામતા હતા. કથા કરનારાને તુષ્ટિદાન આપતા હતા. કાઈક સમયે એક કથા કહેનાર ભટ્ટે કથા કહેવી શરુ કરી— વીરાંગદ અને સુમિત્રની કથા સમુદ્રમાં જેમ મદિરા અને લક્ષ્મીના નિવાસ છે, તેમ લક્ષ્મીના નિવાસસ્થાનરૂપ મહાયના સમુદાયથી સુંદર અર્થાત્ દરેક પ્રકારની આબાદીવાળું વિજયપુર નામનું નગર હતું. શૂરવીરની જેમ ઘણા શત્રુઓના વિનાશ કરીને જેણે પ્રસિદ્ધિ મેળવી છે, એવા સૂરાંગદ રાજાને પૂના ઉપાર્જન કરેલા પુણ્યાદયથી પ્રાપ્ત કરેલ રૂપાદિ ગુણાતિશયથી યુક્ત એવા વીરાંગદ નામના કુમાર હતા. અર્શીજન માટે તે ચિંતામણિ સમાન, શરણે આવેલા માટે વાપ ́જર-સમાન, દીન-દુઃખિયા પ્રત્યે માતા-પિતા-સમાન, દુર્રીતિ રૂપી ધાન્ય માટે ઉખરભૂમિ સમાન, તે કુમારને સુમિત્ર નામના મંત્રપુત્ર મિત્ર હતા. તેએ પરસ્પર એકબીજા સદ્ભાવ-ગર્ભિત નિઃસ્વાર્થ સ્નેહવાળા હતા. આ પ્રમાણે તે નિર તર સાથે આનંદ માણુતા હતા. ત્યારે કુમાર સાથે કાઇક વખત એવા વાર્તાલાપ થયેા કે-દેશાંતરમાં જઈને આપણા પુણ્યની આપણે પરીક્ષા કરીએ, પરંતુ માતા-પિતાને કેવી રીતે છેાડવા ? એ ઉપાચા શેાધવા માટે ઉદ્યમ કરતા હતા.’ કાઇક સમયે ઉદ્યાનમાં ક્રીડા કરવામાં તલ્લીન બનેલા હતા, ત્યારે ‘શરણુ શરણુ' એમ બૂમ પાડતા એવા ચાર પુરુષ કે, જેને વધ કરવા માટેનું શરીર-મંડન કરેલું હતું, તે આવીને વીરાંગદકુમારના ચરણમાં પડ્યો. તે ચારની પાછળ શિક્ષા કરનારા રાજપુરુષ આવ્યા. તેઓ કુમારને કહેવા લાગ્યા કે હે કુમાર! આ પાપી ચાર છે, સુદત્ત શેઠના ઘરમાં ખાતર પાડેલું અને તેના દ્વારમાંથી નીકળતા હતા, ત્યારે અમે તેને પકડી પાડ્યો છે. મહારાજાની આજ્ઞાથી શૂલી પર આરાપણ કરવા માટે વધ કરવાની ભૂમિએ લઈ ગયા હતા, ત્યાંથી પલાયન થઈને અહિં આવેલા છે, તે કુમાર! અમને આજ્ઞા આપે। કે, જેથી મહારાજાની આજ્ઞાના અમલ કરી શકીએ.’ ત્યાર પછી શરણે આવેલાને સમર્પણુ કરવા અને ચારનું રક્ષણ કરવું આ બંને વાર્તામાં મૂઝાયા. ‘શું કરવું’–એમ વિચારતાં ‘શરણાર્થીનું પાલન કરવું' એવા પક્ષપાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy