SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પર૦ ] ઉપદેશપદ-અનુવાદ ધ્યાનની વૃદ્ધિ થાય–તેમ આ તપ કરવાનું હોય છે. ” તથા “આ કાયાને માત્ર પરિતાપ ઉપજાવીને ફલેશ પમાડવાની હોતી નથી, તેમ જ અનેક મધુર રસ વડે કરીને લાલન-પાલન કરવા લાયક નથી. મન અને પાંચે ઈન્દ્રિયો જે પ્રમાણે ઉન્માર્ગગામી ન થાય અને આપણે વશ થાય. જિનેશ્વરોએ જે પ્રમાણે આચર્યું છે, તે પ્રમાણે કાયા, મન અને ઈન્દ્રિયોને વશ કરવી.” આવા પ્રકારનું તપ કરવાની શાસ્ત્રાજ્ઞા છે. આ આગમનીતિ ધર્મમાં પ્રધાનરૂપ ગણેલી છે. આ મહાવાક્ષાર્થ વિષય યથાર્થ સમજી લે. (૮૭૫) અહિં પણ મહાવાક્ષાર્થને સમેટી લેતાં દંપર્યને કહે છે– ૮૭૬–આ પ્રમાણે આગમનીતિથી આ તપસ્યા, ધ્યાન વગેરે પુરુષની પ્રશંસા પામે છે અને એ જ મોક્ષફલના હેતુરૂપ થાય છે; માટે ધર્મની અંદર આગમનીતિ કહો, પ્રભુની આજ્ઞા કહે-આ સર્વે શ્રેષ્ઠ ગણેલા છે અને અહિં આ જ એદંપર્ય સમજી લેવું. (૮૭૬) તથા– ૮૭૭–દાનની પ્રશંસા કરવાથી આદિશબ્દથી દાનનો નિષેધ કરનારી દેશનાથી પ્રાણિવધ વગેરે થાય છે. દાનની પ્રશંસા કરવામાં પ્રાણીઓને વધ થાય, જેમ કે કોઈને કેશ, કુહાડા આદિનું દાન કર્યું, તેનાથી પૃથ્વી, વૃક્ષ આદિની હિંસા કરશે. દાનનો નિષેધ કર્યો–મના કરી, તે સાધુ, તપસ્વી વગેરેને ભજનને અંતરાય કર્યો. આ કારણે જ સૂત્રકતાંગ સૂત્રમાં કહેલું છે કે “જેઓ દાનની પ્રશંસા કરે છે, તેઓ પ્રાણીઓના વધની ઈચ્છા કરે છે અને જેઓ દાનને પ્રતિષેધ કરે છે, તેઓ બીજાની આજીવિકાન છેદ કરે છે. આ સીધા-સરળ પદને અર્થ –પદાર્થ છે. આ બંને એટલે પ્રાણીવધ કરવો ” ઈત્યાદિ તથા આજીવિકા રોકવી, તે ઉભય પાપરૂપ છે. આવા પ્રકારના પદના અર્થો સામાન્યરૂપે પદાર્થ કહ્યા. અભિપ્રાય આ પ્રમાણે સમજ– ધર્મનું પ્રથમ પગથિયું હોય તે દાન છે. દાન દારિદ્રથને નાશ કરનાર છે, લોકોની પ્રીતિ ઉત્પન્ન કરનાર દાન છે, દાન સર્વ પદાર્થની સિદ્ધિ કરનાર છે. આ વગેરે વચનોવડે કરીને લોકોમાં પ્રસિદ્ધ એવા વિવિધ શસ્ત્રાદિક રૂપ દાન, તે તે સ્વભાવથી જ પૃથ્વી આદિકની હિંસા કરનાર હોવાથી તેની જે પ્રશંસા કરવામાં આવે, તેથી ચોક્કસ સાધુને હિંસાની અનુમતિને દોષ પ્રાપ્ત થાય. તથા તેવા પ્રકારના શાસ્ત્રના સંસ્કારથી કેટલાક ધર્મને અથીઓએ પિતે જ કહેલા સ્વરૂપવાળા દાનને આ પ્રમાણે કહીને પ્રવર્તાવેલું હોય છે કે-“જેમ ઉખરભૂમિમાં વાવેલું બીજ ફળ આપનાર થતું નથી, તેમ અપાત્રમાં આપેલું દાન ફસાધક થતું નથી–એમ પંડિત પુરુષો કહે છે.” ઈત્યાદિક વચન વડે દાનને નિષેધ કરવામાં આવે, ત્યારે જે તપસ્વી મુનિવરો હોય, તેમને આહારદિક લાભો અંતરાય પ્રાપ્ત થાય છે. (૮૭૭) ૮૭૮–આ પ્રમાણે અવિશેષ–સામાન્યપણે પદાર્થની પ્રતિપત્તિમાં દાનસંબંધી દેશનાનો વ્યવ છેદ-નિષેધ પ્રાપ્ત થયા–એ વાત યુક્ત નથી. કારણ કે, સર્વ આસ્તિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy