SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસુંદરી શીલ-રક્ષા પ્રબોધ [ ૪૫૧ ઘરે એકદમ ઓચિંતી ધાડ પાડી. અવસ્થાપિની વિદ્યાથી એકદમ પરિવાર લગભગ ઉંઘી ગયો, ત્યારે ભલના સમુદાયે તેના ઘરનું સર્વ સારભૂત દ્રવ્ય હરણ કર્યું. હર્ષિત થયેલા બટુકે વિલાપ કરતી ગુણસુંદરીનું હરણ કરી, તેને મધુર વાણીથી આશ્વાસન આપતાં પલીમાં પહોંચાડી. (૨૫) ભજન, વસ્ત્ર, આભૂષણાદિ સર્વ અખૂટ પદાર્થો તેને અર્પણ કરવા પૂર્વક મનહર નેહાળ વચનોથી વિનદ કરતા કરતા કેટલાક દિવસો પસાર કર્યા. કઈક દિવસે તેને બટુકે કહ્યું કે-“હે સુંદરાંગી! વિવિધ પ્રકારના ગુણરૂપ કરિથાણુ વડે કરીને જે મારું હૃદય-ધન હરણ કર્યું છે, તે તેને પાછું સમર્પણ કર. કારણ કે, હદય વગર હું મરેલા સરખો હોઉં, તે શૂન-મુન આમ-તેમ અથડાયા કરું છું, તે હવે તું મારા પર કૃપા કર. હે ધર્મિણી! તું આટલી અતિનિષ્ઠુર કેમ બેસી રહી છો ? બીજું તું હદયમાં વિશ્વાસ ખાય છે, સૂતાં સૂતાં દિશામુ તરફ નજર કરે છે, નેત્રો ઘૂમે છે, દેવે તને દૂર કરી હોવા છતાં હવે તું સ્પષ્ટ જિલ્લા ગ્રથી બેલતી કેમ નથી?” આ પ્રમાણે તે બે. - ત્યાર પછી તર્ક કરવા પૂર્વક ગુણસુંદરીએ તેને કહ્યું કે-“હે સુંદર! આ તું છે , તેનો પરમાર્થ હું સમજી શકતી નથી. મેં ક્યારે તારું હૃદય હરણ કર્યું? અથવા તું કોણ છે? પહેલાં તું ક્યાં હતો? આ વગેરે પૂછયું, એટલે બટુકે પિતાનું સર્વ વીતક કહી સંભળાવ્યું. તે સાંભળીને સંવેગ પામેલી ગુણસુંદરી ચિતવવા લાગી કે, “આ મૂઢનો મારા વિષે ઘણે મેટો અનુરાગ જણાય છે. અત્યારે આ પ્લે છોઅનાર્યો વચ્ચે શરણ વગરની હું એકલી છું. આ કામરાગાંધથી હવે કયારે છૂટી શકાશે, તે જાણી શકાતું નથી. અથવા કદાચ મેરુપર્વતની ચૂલા ચલાયમાન થાય, સૂર્યોદય પશ્ચિમદિશામાં થાય, તે પણ મારા જીવતાં તે કદાપિ મારું કુલ મલિન નહીં કરીશ અને શીલનું પણ ખંડન નહિં કરીશ. વળી આ પણ એટલો બિચારો નિર્ગુણ નથી. કારણ કે, હજુ નીતિથી માત્ર પ્રાર્થના કરે છે, પરંતુ બલાત્કારથી શીલનું ખંડન કરતું નથી. માટે તેને પ્રતિબંધ કરે અને મારું શીલ અખંડિત રાખવું. એમ કરવાથી અને પ્રતિબોધ કરનાર અમારી પ્રવર્તિનીનું વચન પાલન થયું ગણાશે. આ વિષયમાં નિઃશંક હદયવાળા થઈને માયા-કપટ કરવું પડે, તે તેનો પણ પ્રયોગ કરે. કારણ નીતિશાસ્ત્રમાં તેવા પાપીજન સાથે શાક્ય કરવાનું કહેલું છે–એમ વિચારીને તેને કહ્યું કે, “જે હવે તે માટે તમે ઉદ્યમી થયા છે, તે તે વખતે તમે મને આ હકીકત કેમ ન જણાવી? જે તમે નજીક હતા, તે પછી મારે દૂર જવાનું કોઈ પ્રયોજન ન હતું. આંગણામાં જ આમ્રફળ પ્રાપ્ત થતાં હોય, તે પછી દૂર રહેલી આંબલીની સિંગ માટે કોણ અભિલાષા કરે ? એમ કરવામાં કઈ પરલેક-વિરુદ્ધ ન હતું, નિર્મલ એવા બંને કુલનું કોઈ કલંક ન હતું, આપણે બંને કુંવારા હતા, જે પ્રથમથી તેમ થયું હત, તે ઘણું સુંદર હતું. હવે તે લગ્ન થઈ ગયાં. લેકમાં નિંદા થાય, કુલની મલિ. નતા થાય, દુગતિમાં ગમન કરવું પડે અને બીજા લેકમાં ઘણું વખત ભયંકર દુઃખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy