SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ]. ઉપદેશપદ-અનુવાદ અોના સમૂહને ત્રાસ પમાડેલા છે, સતત હાથીઓની પંક્તિઓને વિંધી નાખવાથી પાયદળ-સેના પલાયન થવા લાગી. કેસરીસિંહ જેમ હરિણના ટોળાંને, તેમ ચંદ્રરાજાએ શત્રુન્યને ભગાડી મૂક્યું. એટલે અત્યંત કપાયમાન થયેલો મહેન્દ્રસિંહ જીવિતથી નિરપેક્ષ બની ઉભો થયો અને વનના હાથીએ માફક લાંબા કાળ સુધી તે બંનેનું યુદ્ધ ચાલ્યું. મહામુશીબતે ગદાના ઘાતથી મૂછ પામેલે તે છલ પામીને ભવિત વ્યતાના નિયોગથી મહેન્દ્ર રાજાએ ચંદ્રરાજાને બાંધો. “અરે! સુપુરુષ! શાબાશ શાબાશ! આજે તે સુભટવાદને નિર્વાહ બરાબર કર્યો”-એમ બેલતા તેના જીવની રક્ષા માટે મંત્રીને અર્પણ કર્યો. ચંદ્રનું સૈન્ય જ્યારે પલાયન થઈ રહેલું હતું, ત્યારે એકદમ ત્યાં જઈને હાહારવ કરતી રતિસુંદરીને મહેન્દ્રસિંહે પકડી. ચંદ્રરાજાથી છોડાવેલી અને પિતાને રતિસુંદરી પ્રાપ્ત થવાથી આનંદ પામેલે તે રાજા હવે પોતાના નગરે પહોંચ્યો. હે સુંદરિ! તેં સાંભળ્યું જ હશે કે, “તારા વિષે મારો એટલો અનુરાગ થયો છે કે, તે કારણે મારે આવો યુદ્ધને પ્રયાસ કરવો પડ્યો છે. તો હવે તારા પ્રસાદથી આ પ્રયાસ-વૃક્ષ ફળવાળું થાઓ, હે સુંદરાંગિ! હવે તું આ કુરુદેશનું સ્વામિનીપણું સ્વીકાર” હવે ચંદ્ર-પ્રિયા રતિસુંદરી વિચારવા લાગી કે, “આ પાપી સંસારના સ્વભાવને ધિક્કાર થાઓ કે, “આ મારું રૂપ પણ આ પ્રમાણે અનેક આત્માઓને અનર્થ કરનારું થયું. વળી આ મારા નિમિત્તે મારા પતિ પ્રાણુના સંશયમાં પડ્યા, વળી આણે પણ લજજાને ત્યાગ કરી આ પ્રમાણે નરકમાં પડવાની અભિલાષા કરી. મારું ચિત્ત જાણ્યા વગર કામગ્રહથી મૂંઝાએલા આણે શા માટે નિરર્થક ઘણા જીવોનો સંહાર કર્યો? વધારે શું કહેવું ? ખરેખર તે લેકે ધન્ય છે કે, “જેઓ ઉત્તમ મુક્તિને પામ્યા છે ! જે કારણથી તેઓને અલપ પણ દુઃખનું કારણ હોતું નથી. આવા પાપ ચરિત્રવાળાઓ પાસે હવે શીલનું રક્ષણ કેવી રીતે કરવું ? અથવા તો “અશુભ સમયે કાલ હરણ કરવાનું’ નીતિશાસ્ત્રમાં કહેલું છે. તો હવે તેને સમજાવટ પૂર્વક કાલક્ષેપ કરાવું. હવે એટલો કામલબ્ધ થયેલ છે કે, હવે સમજાવ્યા સિવાય નિવારણ કરવો શક્ય નથી. એ પ્રમાણે વિચાર કરીને હવે તે કહેવા લાગી કે, “તમારે મારા ઉપર ગાઢ રાગ થયો છે, તો હવે હું તમારી પાસે કંઈક પ્રાર્થના કરું, તેનો ભંગ ન કરશે.” ત્યારે રાજાએ રતિસુંદરીને કહ્યું કે, “હવે આ મારા જીવ ઉપર તારો સંપૂર્ણ અધિકાર છે, તો પછી આમ કેમ બોલે છે ? હે સુંદરિ! જે કઈ મસ્તક આપે, તેની પાસે નિપુણતાથી પ્રાર્થના કરવાની હોય ખરી? અથવા આ ત્રણ લોકમાં જે દુર્લભ વસ્તુ હોય, તેની માગણી કરે, તે પણ મારા જીવને તણખલા સમાન ગણી એટલે જીવની હોડ કરીને અવશ્ય તે વસ્તુને હું તને પ્રાપ્ત કરાવું. ” રતિસુંદરીએ કહ્યું કે, “બીજું મારે કંઈ જોઈતું નથી. મારી એટલી નાની માગણી છે કે, “ચાર માસ માટે મારું બ્રહ્મચર્યવ્રત તું ભગ્ન ન કરીશ.” રાજાએ પ્રત્યુત્તર આપ્યો કે, “આ કાર્ય વજના પ્રહારથી પણ અતિભયંકર છે, તે પણ તારી આજ્ઞાને મારે ભંગ ન કરવો—એમ અનિચ્છાએ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy