SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ ] ઉપદેશપદ-અનુવાદ છે. ભગવંતે કહેલી આ ચારિત્રની સક્રિયા નવાં આવતાં કમને રેકે છે અને પૂર્વે ગ્રહણ કરેલાં કર્મોની નિર્જ રા કરાવે છે. એવા પ્રકારનું આ ચારિત્ર હોય છે. (૬૮૭). દિષ્ટાંત અને દાર્જીન્તિક ભાવના ચાર ગાથાથી સમજાવે છે – ૬૮૮ થી ૬૯૧–ઉત્તમ પમરાગમણિ હોય, પરંતુ દરિદ્રતા નાશ કરનાર વગેરે રત્નના પ્રભાવ જેણે જાણેલા ન હોય, રત્નના યથાર્થ ગુણો હજુ જેને જાણવામાં આવ્યા ન હોય, તે પણ સ્વભાવથી તેના ઉપર રુચિ ઉત્પન્ન થાય-એવા કલ્યાણી જીવ કરતાં જેણે રત્નના ગુણે, પ્રભાવ વગેરે જાણેલા હોય, કાં તો કોઈ પાસેથી શિક્ષા મેળવી હોય, અગર બીજાના કહેવાથી રત્નના ગુણે, પ્રભાવ જાણવામાં આવેલ હોય, તો તેના કરતાં જાણકારને અનંતગુણ વિશેષ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જેમ ગુણને અજાણ હોય, તે કરતાં જાણકાર, તેને સાચવવા, રક્ષણ કરવા આદિ વિષયમાં અધિક શ્રદ્ધાવાળો થાય છે, તેમ રત્ન કરતાં પણ સમ્યક્ત્વરૂપ રત્નના ગુણ–પ્રભાવ જાણ્યા પછી તેના વિષે અતિગાઢ આદરભાવ ઉત્પન્ન થાય છે. અમે કહેલી વસ્તુ અતિઆદરથી વિચારવી. જે તેમ વિચારવામાં ન આવે, તે સાચો બાધ ન થાય. આ પ્રમાણે રત્નની જેમ સ્વાધ્યાય વગેરે જેનાં લક્ષણે આગળ કહેવાયાં છે. તેના વિષે હંમેશાં ચારે કાળ જ્ઞાનની આરાધના કરવી. તેમ કરવામાં તત્ત્વવિષયક પદાર્થોને પક્ષપાત થાય અને શક્તિ અનુરૂપ ક્રિયા કરવાથી હંમેશાં શુભ પરિણામ-ગે જેમ સમ્ય ચિકિત્સા -પ્રવેગથી તેવા પ્રકારના વ્યાધિને નિગ્રહ થાય–ગ કાબૂમાં આવી જાય, તેમ જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો વિશિષ્ટ પ્રકારને નકકી ક્ષાપશમ પણ થાય. વિશિષ્ટ ક્ષપશમ તેને કહેવાય છે, તેવાં કર્મ હવે બીજી વખત ન બાંધે. ઘણે ભાગે તેવો આત્મા હવે નરકાદિક અશુભગતિના કારણભૂત એવું અનાચાર કારણ ન સેવે. કારણ કે, અહિં સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર વિષયક શુભ ભાવની પ્રાપ્તિ થયેલી છે. પ્રાયઃ શબ્દ એટલા માટે ગાથામાં જણાવ્યું કે-કેટલીક વખત શુભભાવની પ્રાપ્તિ થઈ હોય, પરંતુ નિકાચિત અશુભકર્મવાળા સ્કંદકાચાર્ય વગેરેની માફક અનાચારના કારણભૂત અશુભકર્મના બંધમાં વ્યભિચારદેષ ન લાગે. તેથી અનાચારના કારણભૂત કર્મબંધનો અભાવ હોવાથી હંમેશાં નિર્મલ મનવાળો તે આત્મા અનુક્રમે સવ કર્મને ક્ષય કરનારે થાય છે અને સિદ્ધિ પામે છે. (૬૯૧). આ ક્ષયોપશમ પરમતવાળાઓએ પણ સ્વીકારેલ છે, તે કહે છે– દ૯૨–પાતંજલ વગેરે બીજા તીર્થાન્તરીય વડે પિતાનાં શાસ્ત્રોમાં પાપની અપ્રવૃત્તિ કરવા રૂ૫ એકાંતે અકરણને નિયમ સ્વીકારેલો છે. કયા કારણથી અકરણને નિયમ માને છે, તે કહે છે. વજ-હીરા માફક પ્રશસ્ત પરિણામ રૂપ શુભભાવ ભેદ પામતા ન હોવાથી, શાસ્ત્રાભ્યાસરૂપ ભસ્મ લગાડીને સ્વચ્છ કરેલા હદયદર્પણ સમાન ભાવસાધુઓને બંધને ક્ષપશમ, એ જ બીજાઓએ “અકરણનિયમ તરીકે ઓળખે છે. આમ તાત્પર્ય જાણવું. ભલે, બીજાઓ પિતાના મતમાં એ પ્રમાણે કહે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy