SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ] ઉપદેશપદ-અનુવાદ સૂત્રમાં કહેલો છે અને તેમાં અનેક ભવમાં અનેક દુઃખ ભોગવનાર બન્યો, તેમ આ પણ અનેક દુઃખો ભોગવનારી થઈ અનંત કાલ પછી આ જ દ્વીપમાં ચંપા નગરીમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા નામની ભાર્યાની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. નવ માસ પછી માખણ સરખા સુકમાલ હસ્ત-પાદવાળી પુત્રીને જન્મ આપ્ય, સુકુમાલિકા એવું નામ પાડયું. અનુક્રમે કામદેવના મોટા ભાલાના એક ભવન સમાન, અખૂટ લાવણ્યયુક્ત યૌવનવય પામી. હવે એક દિવસ અનાન કરી આભૂષણોથી અલંકૃત બનેલી અનેક દાસી અને સખીઓથી પરિવરેલી ઘરના ઉપરના અગાસીતલમાં કીડા કરતી હતી, ત્યારે જિનદત્ત સાથે વાહ તેનાં રૂપ અને યૌવનગુણ દેખીને વિસ્મય પામ્યો. મનમાં વિચારવા લાગ્યા કે, “આ સાગર અને ભદ્રાની પુત્રી સિવાય બીજી કઈ પણ ભાર્યા મારા પુત્ર માટે યોગ્ય નથી.” નજીકમાં રહેલા લોકોને પૂછયું કે, સમગ્ર યુવતીઓમાં જેની દેહ-કાંતિ ઝળહળી રહેલી છે, એવી આ કેની ઉત્તમ પુત્રી છે?” તે લોકોએ કહ્યું કે-આ સાગરદત્ત સાર્થવાહની પુત્રી છે.” ત્યાર પછી સ્નાન કરી, વેષ-આભૂષણથી અલંકૃત બની પોતાના કેટલાક પરિવાર સહિત એવા તેણે જ્યાં સાગરદત્તનું ઘર હતું, ત્યાં જવા પ્રયાણ કર્યું. પિતાના ઘરે આવતા તેને દેખીને એકદમ તે ઉભો થયો અને બેસવા માટે આસન બતાવ્યું. સુખસન પર બેઠેલા તેને આગમનનું પ્રયોજન પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે-“સુકુમાલિકા જે તમારી પુત્રી છે, તેની સમાન રૂપ અને સમાન લાવણ્યાદિ ગુણ-નિધાન એવા મારા સાગર નામના પુત્ર સાથે વિવાહ કરવાની માગણી કરવા આવેલો છું. જે આ વાત તમને યોગ્ય લાગતી હોય, તે મારી માગણી સ્વીકારશે. કારણ કે, એક વખત કાર્ય ચૂકી ગયા, તો ફરી તે પ્રસંગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જિનદત્ત કહી રહ્યા પછી સાગરદત્તે એમ જણાવ્યું કે, “અમારે ત્યાં આંગણામાં પધારેલા હોય, તેમને શું એવું હોય કે ન અપાય? પરંતુ ઉંબરવૃક્ષના પુષ્પ માફક આ પુત્રી અને એક જ છે અને તે દુર્લભ છે. મન અને નેત્રને અતિવલ્લભ એવી, તેને વિરહ હું ક્ષણવાર પણ સહી શકતો નથી, તો જે તમારે સાગર પુત્ર મારો ઘરજમાઈ થઈને અહીં રહે તે મારી સુકુમાલિકા પુત્રી આપું, નહિંતર નહિં.” ઘરે આવેલા પિતાએ સાગરને કહ્યું કે-“હે વસ ! જે તું ઘરજમાઈ થાય, તે સુકુમાલિકા કન્યાની પ્રાપ્તિ થાય. તે કન્યાના અતિ દઢ અનુરાગના કારણે તેણે સર્વ વાત કબૂલ રાખી, એટલે જિનદત્ત સર્વાદરથી ઠાઠમાઠથી મહાઉત્સવ પૂર્વક લગ્ન-સમારંભ કર્યો. હજાર પુરુષ ઉપાડી શકે તેવી શિબિકામાં બેસીને સાગર સાગરદત્તના ઘરે હર્ષથી ઉલ્લસિત હૃદયવાળે પહોંચ્યો. (૧૦૦) તેણે પણ ગૌરવ સહિત મહાવિભૂતિથી સત્કાર કરી, પુત્રી સાથે વિવાહત્સવ કર્યો. જે સમયે કન્યાના હાથને લગાર સ્પર્શ થયો, ત્યારથી સાગરના શરીરમાં મસ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy