SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ] ઉપદેશપદ-અનુવાદ નાખ્યો, એટલામાં તેના ભાગ્યયોગે ક્ષણવારમાં મહાનિધિ પ્રાપ્ત થયું. તે ગ્રહણ કરીને ઘરે આવ્યો. ત્યાર પછી તેનાં ઉચિત કાર્યો કરવામાં લાગી ગયો. બીજે વિકમસાર તો સમુદ્રમાં મુસાફરી કરી ધન પાર્જન કરી કેટલાક કાળ સુધી જીવને હોડમાં મૂકીને પિતાના ઘરે પાછો ફર્યો અને પોતાના ધનને ઉચિત ક્રિયામાં વાપરવા લાગી ગયે. નગરમાં એવી વાત વહેતી થઈ કે, “એક પુણ્યશાળી પુરુષ સમગ્ર મનોવાંછિત લક્ષમી-સમૃદ્ધિ મેળવી સુખી થયે છે, વળી બીજે પુરુષ ભયંકર સમુદ્રની લાંબી મુસાફરી કરી, અઢળક ધન-સમૃદ્ધિ પ્રાપ્ત કરીને પિતાના બંધુઓમાં અતિગાઢ સ્નેહવાળો બની તેમની સાથે ભોગો ભોગવે છે. આ બેની અંદર પહેલો સજજડ અખલિત ભાગ્યશાળી છે અને બીજે પણ તે સજજડ પુરુષાર્થ વાળે છે. રાજાના કાને આ વાત આવી, એટલે કૌતુકથી તેણે પણ તેમને રાજસભામાં બોલાવ્યા અને પૂછયું કે, “આ લોકપ્રવાદ સાચે છે કે ફેરફાર છે?” પ્રત્યુત્તર મળ્યું કે, “હે દેવ! ઘણે ભાગે લેકપ્રવાદ ખોટો હોત નથી. કારણ કે, અતિગુપ્ત કાર્ય પણ એકદમ પ્રકાશમાં આવતાં વાર લાગતી નથી. રાજાને પિતાને આ વિષયની ખાત્રી કરવા ઈચ્છા થઈ, એટલે પ્રથમને એકલાને પિતાને ત્યાં ભોજન કરવા માટે આમં. રસવતી બનાવનારા રસોઈયાને રાજાએ કહ્યું કે, “આજે તમારે રસવતી તૈયાર ન કરવી. કારણ કે, આજે તો તેના પુણ્યગથી ભજન કરવું છે. જ્યારે ભોજનસમય , એટલે દેવીએ એક વૃદ્ધપુરુષને રાજા પાસે વિનંતિ કરવા મોકલ્યો કે, આજે તમારે દેવીને ત્યાં ભોજન કરવા પધારવું. શા માટે ? તો કે આજે હમણાં જ જમાઈ તેમના નગરથી આવેલા છે અને તેને માટે સૂપ–દનાદિક સર્વ ભજનસામગ્રીઓ તૈયાર કરી છે. હે દેવ ! આપ પધારશે, એટલે તેની સાથે ભોજન કરતાં તે સૌભાગ્ય મેળવશે. તો અતિ સ્વસ્થતાથી દરેકે ભોજન કર્યું. બીજાને પછીના દિવસે નિમં અને સર્વ રસોયાને કહ્યું કે, “આજે સર્વ પ્રકારની રસવતીઓ તૈયાર કરજો.” તેઓએ પણ આદરથી જલદી રઈ તયાર કરી. ભજન-સમયે દરેક ભાણ ઉપર આવીને બેસી ગયા. ભાણામાં ભેજન પીરસાવવાનું શરું થયું, તે સમયે રાજકન્યાને આમલક–પ્રમાણ મોટા મોતીનો અઢાર સેરવાળો હાર વગર–નિમિત્તે તૂટી ગયે. દીનવદનવાળી રુદન કરતી તે રાજકન્યા તરત પિતા પાસે આવીને કહેવા લાગી કે-“પહેલાં હમણાં જ આ હાર પરોવી આપે, તે સિવાય હું ભોજન નહિં કરીશ” એમ કહ્યું, એટલે જેટલામાં રાજા જ્યાં વિક્રમ સારના મુખ તરફ નજર કરે છે, તેટલામાં ભોજનકાર્યને ત્યાગ કરી તેના પર લક્ષ્ય આપી નવા સૂતરના તંતુઓ તૈયાર કરી ક્ષણવારમાં હાર પરોવી આપ્યું. ત્યાર પછી બંનેએ યથાસ્થિત વિધિથી સુખપૂર્વક ભોજન કર્યું. રાજાએ વિચાર્યું કે, “જન-પ્રવાદ એ સાચો જ નીવડ્યો.” (૨૮) (ગ્રન્થા ૭૦૦૦) હવે સંગ્રહગાથા અક્ષરા કહે છે-“અહિં દેવ અને પુરુષાર્થના ગુણોમાં પ્રધાનભાવમાં પુણ્યસાર અને વિક્રમસાર નામના બે વણિકપુત્રો હતા. નિધિ પ્રાપ્ત થયો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy