SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ] ઉપદેશપદ-અનુવાદ પાસે મૃત ભણવું. અવિધિથી મેળવેલ શ્રુતજ્ઞાન ઉલટું નુકશાનકારક ફલ આપનાર થતું હોવાથી ન મેળવેલ જ્ઞાન સરખું માનવું. અપાય એટલે નુકશાન આ પ્રકારે સમજવું. ગાંડપણ મેળવે, રોગ-આતંક લાંબા કાળ સુધી ચાલે, જેથી ભણી શકાય નહિં. તીર્થકર-ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય.” આવા પ્રકારનું આગમશ્રત વિધિપૂર્વક ગુરુ પાસેથી પ્રાપ્ત થાય, એટલે શ્રવણ કરવાની અભિલાષા, ગ્રહણ કરવું તે. આદરપૂર્વક પ્રયત્ન કરે, તે લોકોત્તર નીતિ, એકની પાછળ બીજે ગતિ કરે, તે રૂપ લોકહરિની પ્રવૃત્તિ તે લૌકિક-કુતીર્થિક આદિ ભેદથી ભિન્ન એટલે તેથી ચડિયાતી–ઉપર વર્તતી એવી નીતિ તે સર્વ વિદ્વાન લોકેના વચનને અનુસારે લોકોત્તર નીતિ. આના વિષે બુદ્ધિધન પુરુષ પ્રયત્ન કરે છે. એવી રીતે સારી રીતે વાપરેલા ઔષધથી રગ ચાલ્યો જાય. તેમ ભવભ્રમણને રોગ પણ મહાપુરુષને ઘટી જાય છે. એ પ્રકારે આ આગમ સર્વાગે પરિણમન પામે છે. આગમ-ઔષધના સેવનથી તેવા તેવા ભવવિકારોથી મુક્ત થાય છે. (૧૮) શંકા કરી કે–એ પુરુષ આગમ વિષે કેમ અત્યંત પ્રયત્ન કરે છે અને અહિંસામાં તે કેમ તેટલો પ્રયત્ન કરતું નથી? ૧૮૫–જે કારણથી આજ્ઞાથી જ દેશચારિત્ર, કે સર્વચારિત્ર જીવને પ્રાપ્ત થાય છે, પરંતુ બીજા પ્રકારે નહિં. બીજા સ્થાને પણ જણાવેલું છે કે-“વચનાનુસાર આરાધના કરવાથી ખરેખર ધર્મ થાય છે અને વચનની બાધા વડે તે અધર્મ થાય છે. અહીં આ જ ધર્મનું ગુહ્ય છે અને એનું સર્વસ્વ છે. આ વચન આજ્ઞા-આગમ જે હૃદયમાં રહેલું હોય, તો જ તત્ત્વથી તે મુનીંદ્ર છે. ભગવંતની આજ્ઞા હૃદયમાં વતી હોય તે નક્કી સર્વ અર્થની સિદ્ધિ થાય છે. આ વાત આધાકર્મ આદિના દષ્ટાંતથી સિદ્ધ થાય છે. અહિં આધાકર્મ-સાધુના માટે સચિત્તને જે અચિત્ત કરવામાં આવે, વળી અચિત્ત વસ્તુને જ જે પકાવે, તે આધાકર્મ કહેવાય.” એ વગેરે સૂત્રમાં કહેલા લક્ષણવાળા અન્ન-પાણી, આદિ શદથી પ્રાસુક અચિત્ત અને એષણયને પણ અહીં સ્વીકાર કરે. તેનું આ ઉદાહરણ પિંડનિયુક્તિમાં કહેલું છે, તે આ પ્રમાણે-કઈક ગામમાં કોઈક ભદ્રક બુદ્ધિવાળા, દાનમાં શ્રદ્ધાળુ, જૈનશાસનને અનુસરનારા એવા શ્રાવકે સર્વ સંઘની ભક્તિ કરવા માટે ભેજન તૈયાર કરાવ્યું. તેને ગ્રહણ કરનારા એવા વેષધારી નામ સાધુઓને પાત્રો ભરી ભરીને ભજનદાન આપ્યું. નજીકના ગામમાં રહેનાર વેષમાત્રથી આજીવિકા ચલાવનાર કેઈક સાધુના ગુણ વગરના એવા સાધુએ તેની ઉદારતાને દાનને વૃત્તાન્ત સાંભળ્યું. બીજા દિવસે તે ત્યાં આવી પહોંચ્યો. શ્રાવકે આવવાનું પ્રયોજન પૂછ્યું. તેણે કહ્યું કે, “તમારા ઔદાર્ય સિવાય બીજું મને આવવાનું કોઈ કારણ નથી. તે દિવસે તેના ઘરે જમાઈ વગેરે ઘણા પરેણાઓ આવ્યા હતા. દાળ-ભાત, પકવાન્ન વગેરે અનેક વાનગીઓ પરોણાઓ માટે તૈિયાર કરી હતી. પેલા શ્રાવકે પણ સાધુનાં પાત્રાએ ભરાય, તેટલું ભેજનદાન કર્યું. સાધુએ પણ ભોજન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy