SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ-અશોકચંદ્ર, ફૂલવાલક ' ૧૯૧ રાજ્યની મહેનત સિવાય બીજું કાંઈ રાજ્યફલ મળતું નથી. માટે તમે એમની પાસે હાથી વગેરે રત્નોની પ્રાર્થના કરે.” રાજાએ કહ્યું કે, “હે મૃગાક્ષી ! પિતાજીએ જાતે જ તેમને આપેલાં છે, નાનાભાઈઓ પાસે માગતાં મને શરમ ન આવે?” રાણીએ કહ્યું કે, “હે નાથ ! આમાં લજજા પામવાનું કેઈ કારણ નથી. તેમને ઈચ્છાધિક વધારે રાજ્ય આપીને હાથી વગેરે લેવામાં કોઈ વાંધો નથી. આ પ્રમાણે વારંવાર તેનાથી ઠપકારાતા રાજાએ એક વખત સમય મળે ત્યારે, હલ્લ–વિહલને સમજાવીને શાંતિથી કહ્યું કે, “અરે ભાઈ! હું તમને વધારે પ્રમાણમાં શ્રેષ્ઠ હાથી, ઘોડા, રત્ન, દેશે આપું, તો તમે આ હસ્તિરત્ન અને દિવ્ય અલંકારો મને આપો.” “વિચાર કરીને આપીશું”-એમ કહીને તેઓ પોતાના સ્થાને ગયા. હવે મોટોભાઈ બલાત્કારથી ઝુંટવી લેશે” એમ ધારી રાત્રિના સમયે હાથી ઉપર બેસીને લોકે ન જાણે તેવી રીતે નગરીમાંથી નીકળીને તેઓએ વૈશાલી નગરીમાં ચેટક રાજાનો આશ્રય લીધો. આ વાત અશોકચંદ્ર જાણી એટલે વિનયપૂર્વક દૂત સાથે કહેવરાવ્યું કે, “હલ્લ-વિહલ્લને જલદી પાછા મોકલી આપો.” ચેટકરાજાને આ સંદેશ જણાવ્યો. ચેટકે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “હું બલાત્કારથી પાછા કેવી રીતે મોકલી શકું? તું પતે તેને સમજાવીને ઉચિત રીતિ અજમાવ. તેઓ અને તું એમ તમે સર્વે મારા સમાન પુત્રીના પુત્રો છે. મને તે તમારામાં કંઈ પણ વિશેષતા નથી. ઘરે આવેલાને બલાત્કારથી મારાથી વિદાય ન કરી શકાય.” આ સાંભળીને રેષાયમાન થયેલા તેણે ફરીથી ચેટકરાજાને કહેવરાવ્યું કે, “કાં તે કુમારોને મોકલી આપો, અથવા યુદ્ધ માટે જલદી સજજ થાઓ” ચેટકરાજાએ યુદ્ધની વાત સ્વીકારી, એટલે અશોકચંદ્ર અનેક સામગ્રીઓ એકઠી કરી, યુદ્ધ માટે એકદમ વિશાલી નગરીએ પહોંચ્યો. સામસામા યુદ્ધ ટકરાયા. તેમાં ચેટક મહારાજાએ અશોકચંદ્રના કાલ વગેરે દસ ઓરમાન ભાઈઓને જ અમેઘ એક બાણ ફેંકીને દશ દિવસમાં મારી નાખ્યા. ચેટકરાજાને એક દિવસમાં એક જ બાણ ફેંકવાનો નિયમ હતે. (૪૦) અગિયારમા દિવસે ભયભીત બનેલા અશોકચંદ્ર (કોણિક) વિચાર્યું કે, “હવે જે હું યુદ્ધ કરીશ, તે વિનાશ પામીશ. હવે મારે જજુમવું એગ્ય નથી–એમ કરીને જદી રણાંગણમાંથી ખસી ગયો. હવે દેવતાના સાન્નિધ્યની અભિલાષાથી તેણે અડ્રમભક્તનો તપ કર્યો. પૂર્વના નેહવાળા સૌધર્મઇન્દ્ર તથા ચમરેન્દ્રનું તેણે મરણ કર્યું, એટલે તેઓ તેની પાસે હાજર થયા અને કહેવા લાગ્યા કે, “અરે હે દેવાનુપ્રિય! બોલ, તારું શું ઈચ્છિત પ્રિય કાર્ય કરીએ?” રાજાએ કહ્યું કે, “મારા વરી ચેટકરાજાને મારી નાખો.” ઈન્ડે કહ્યું કે, “તે ઉત્તમ સમ્યક્ત્વી આત્મા હોવાથી તેને અમે મારી શકીએ નહિ. જે તું કહે તે યુદ્ધ કરતી વખતે સાંનિધ્ય કરી તારું રક્ષણ કરીએ.” એમ પણ થાવ.”—એમ કહીને અશોકચંદ્ર રાજા ચેટકરાજા સાથે યુદ્ધ કરવા લાગ્યું. ઈન્દ્ર મહારાજા અને અમરેન્દ્રની સફળ સહાયથી પરાક્રમી બનેલા અશોકચંદ્ર શત્રુપક્ષને માટે સંહાર કર્યો અને કેટલામાં ચેટકરાજા પાસે પહોંચે, ત્યારે ચેટકરાજાએ યમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy