SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામી-ચરિત્ર [ ૧૮૩ કરી બેસી ગયા. પાછળ નજર કરી ગૌતમસ્વામી તેમને કહેવા લાગ્યા કે, “પ્રભુને વંદન કરે.” પ્રભુએ ગૌતમને કહ્યું કે, “કેવલિઓની હિલના ન કરો.” પશ્ચાત્તાપ-યુક્ત મિચ્છા મિ દુક્કડં” આપવા તત્પર બન્યા. ત્યાર પછી સજજડ અતિ પામેલા ચિતવવા લાગ્યા કે, “આ જન્મમાં હું સિદ્ધિ પામીશ કે નહિં? આ હમણાં દીક્ષિત થયા અને તત્કાલ કેવલજ્ઞાન પામ્યા.” ત્યારે ભગવંતે કહ્યું, “દેવતાનું વચન સત્ય કે મારું ? તે કહ્યું કે, “જિનેન્દ્રનું વચન સત્ય જ હોય. તે પછી શા માટે અતિ કરે છે? પછીના સમયમાં ભગવતે ચાર પ્રકારના કૃતની પ્રરૂપણ કરી, તે આ પ્રમાણે-(૧) સુંબકૃત (૨) દ્વિદલકૃત (૩) ચર્મકૃત અને (૪) કંબલકૃત. એ પ્રમાણે ગુરુ વિષે શિષ્યને નેહાનુબંધ ચાર પ્રકાર હોય છે. “હે ગૌતમ ! તને તો મારા વિષે કંબલકડ સમાન મતિ મેહ છે. તું મારી સાથે લાંબા કાળના સંબંધથી જોડાએલો છે, લાંબા કાળના નેહવાળો છે, પરિચયવાળો છે, લાંબા કાળની પ્રીતિ કરનારે છે. તું મને લાંબા કાળથી અનુસરનારો છે; તો હવે આ દેહને ભેદ-નાશ થશે, એટલે આપણે બંને સમાન થઈશું. માટે હે ધીર ગંભીર ગૌતમ! તું નિરર્થક શેક ન કર.” હવે ગૌતમને આશ્રીને બીજા મુનિઓને પ્રતિબંધ કરવા માટે ભગવંતે ‘દ્રામપત્રક નામના અધ્યયનની પ્રરૂપણા કરી. તે આ પ્રમાણે-“જેમ પીપળાદિક વૃક્ષનાં પત્રો જીર્ણ થઈ પીળાં પડી જાય છે, તેમ રાજા અને પ્રજાગણ વગેરેથી પૂજા પામેલ હોય-એવો મનુષ્ય પણ જીવિત પૂર્ણ થાય, ત્યારે મૃત્યુ પામે છે, માટે હે ગૌતમ! એક સમય જેટલે કાળ પણ પ્રમાદ ન કરીશ. ઈત્યાદિ. છડું, અડ્રમ વગેરે ઉગ્રરૂપ તપ કરતા તેઓ હંમેશાં ભગવાનની સાથે વિચરતા મઝિમ (મધ્યમા) પુરીએ પહોંચ્યા. ત્યાં ચોમાસું કરેલ હતું. ત્યારે સાતમાં પખવાડિયાના કાતિકની અમાવાસ્યાના દિવસે દિવસના બે પહાર વીત્યા પછી, તેને મેહવિચ્છેદ કરવા માટે પ્રભુએ ગૌતમને નજીકના ગામમાં મેકલ્યા અને કહ્યું કે, “હે ગૌતમ! આ ગામમાં અમુક શ્રાવકને પ્રતિબોધ કર.” ત્યાં ગયા પછી સાંઝનો સંધ્યા સમય થયો. એટલે તે રાત્રે ત્યાં જ વાસ કર્યો. તે રાત્રે દેવો નીચે આવતા અને ઉપર ઉડતા દેખાયા. ઉપગ મૂક્યા, તો જાણ્યું કે, ભગવંત આજે કાલ કરી ગયા!” ગૌતમસ્વામીએ વિરહના ભયથી કદાપિ ચિત્તમાં વિરહદિવસ આગળથી ચિંતવ્યો ન હતો. હવે તે ક્ષણે ચિતવવા લાગ્યા કે, “વીતરાગ ભગવંતે અવા સ્નેહ વગરના જ હોય છે. નેહરાગથી રંગાએલા ચિત્તવાળા પ્રાણીઓ સંસારમાં અથડાય છે. આ સમયે ગૌતમ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેમનો કેવલિકાલ અને વિહારકાલ બાર વરસનો, જેવા ભગવંત તેવા, પરંતુ ગૌતમસ્વામી ભગવાન અતિશયથી રહિત હતા. પાછળથી આર્ય સુધર્માસ્વામીને ગણ સોંપીને પછી પોતે સિદ્ધિ પામ્યા. તે પછી આર્ય સુધર્માસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ પણ કેવલી પર્યાયપણમાં આઠ વરસ વિચારીને ત્યાર પછી જંબૂસ્વામીને ગણ સોંપીને સિદ્ધિ પામ્યા. ભગવંતના કાળ પામવાથી દેવ-દાનવાદિ ઘણું શેકવાળા થયા. તે નગરી મઝિમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy