SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] ઉપદેશપદ-અનુવાદ માટે હું ત્યાં જાઉં અને જઈને પૂછું કે, “જે તે હતી, તે જ તે છે કે?” એવા વચનથી તે મને પૂછ્યું. એ પ્રમાણે વીર ભગવંતે નિરૂપણ કર્યા પછી પર્ષદા તીવ્ર વૈરાગ્ય પામી. અરે રે! આ મોહનો વિકાર ભવ્ય પ્રાણીઓને ભવમાં કેટલી વિડંબના પમાડે છે! અનાકુલ મનવાળા બ્રાહ્મણપુત્રે ચારિત્ર અંગીકાર કર્યું. બુદ્ધિ-વૈભવવાળા બીજા પણ અનેક જીવો બોધ પામ્યા. આ સમયે મૃગાવતી રાણીએ ઉભા થઈ, ભગવંતને વંદન કરી કહ્યું કે, “અવંતિ-નરેશને પૂછીને હું આપની પાસે ચારિત્ર અંગીકાર કરું.” જ્યાં મોટી સભાની વચ્ચે દરેક પર્ષદાઓ સમક્ષ મૃગાવતીએ પ્રદ્યોત રાજાને પૂછયું; એટલે તે જ ક્ષણે તેનો ગાઢ રાગ હતો, તે એકદમ પાતળો થઈ ગયો અને તે લજજાથી લેવાઈ ગયે. પર્ષદામાં ભગવંત સમક્ષ હવે તેને ચારિત્ર લેતી રોકવા સમર્થ ન બને. ચારિત્ર લેવાની અનુમતિ આપી. મૃગાવતીએ કુમારને પ્રદ્યોતને થાપણ તરીકે સાચવવા સોંપ્યો અને દીક્ષા અંગીકાર કરી. તે સમયે તે જ રાજાની અંગારવતી વગેરે આઠ રાણીઓએ પણ મૃગાવતી સાથે દીક્ષા અંગીકાર કરી. પછી પેલા દીક્ષિત થયેલા બ્રાહ્મણ પુત્ર-શબર રાજાએ પલ્લીમાં પહોંચીને પાંચસોને પ્રતિબધ્યા. ભગવતે મૃગાવતી સાધ્વીને ચંદનબાળાને સેંપી. તે ત્યાં સાધુની સામાચારી જાણીને તેમાં પાકટ પરિણતિવાળી બની. હવે ભગવંત મહાવીર કેઈક વખત ક્યાંઈક વિહાર કરતા હતા, ત્યારે સૂર્ય અને ચંદ્ર વિમાનના સ્વામીઓ પોતાના મૂલવિમાન સાથે ભગવંતને વંદન કરવા આવ્યા. બપોર પછી સમગ્ર આર્યાઓ પણ વંદન માટે આવી હતી. પાછા ફરવાનો સમય થઈ ગયે–એમ જાણીને બાકીની સાધ્વીઓ વસતિમાં આવી ગઈ, પરંતુ મૃગાવતી સાધ્વી અજવાળાના કારણે સૂર્યાસ્ત સમય ચૂકી ગઈ. ત્યાં રહેલી હતી અને જ્યારે સૂર્ય-ચંદ્રનું દેખાવું બંધ થયું અને બંને વિમાન દૂર દૂર દેશમાં પહોંચી ગયાં, ત્યારે ઘોર અંધકાર વ્યાપી ગયો. આ સમયે મૃગાવતી વિલખી થઈ ગઈ અને જ્યારે ઉપાશ્રયે પહોંચી, તે સમયે આવશ્યક ક્રિયાઓ પૂર્ણ કરેલી એવી ગુણીજીએ કહ્યું કે-“નિર્મલ કુલમાં જન્મેલી, જગત-શિરોમણિ જિનેશ્વરની પાસેથી મેળવેલાં વ્રતવાળી હે આયે ! તમે રાત્રિ-વિહાર કેમ પામ્યાં ? ” તે તે ચંદનબાલા સાધ્વીજીના ચરણ-કમલમાં પડીને પ્રવર્તિનીને ખમાવવા લાગી કે-“મારા આ અપરાધની ક્ષમા આપે, ફરી આવું નહિ કરીશ.” “આ મહાનુભાવ પ્રવર્તિની સમગ્ર લોકને પૂજવા-નમન કરવા ચોગ્ય છે, મેં પ્રમાદથી તેમને અસંતોષ કેમ પમાડ્યો?” આ પ્રમાણે સંવેગ-પરાયણ બનેલી પોતાનું દુશ્ચરિત્ર વારંવાર જેટલામાં નિંદવા લાગી, એટલામાં તેને જગતમાં પ્રધાન ભૂત એવું કેવલજ્ઞાન પ્રગટ થયું. ચંદનબાલાને નિદ્રા આવી ગઈ, તેમનો હાથ સંથારા બહાર પડ્યો અને તે દિશા તરફ સર્ષ આવવા લાગ્યા છે. મૃગાવતીએ તેમને હાથ ફરી સંથારામાં સ્થાપન કર્યો, એટલે તેઓ જાગૃત થયાં અને પૂછયું કે-મારો હાથ કેમ ચલાયમાન કર્યો?” મૃગાવતીએ કહ્યું કે, “હે ભગવતી ! અહિં સર્ષ છે, તે આવે છે.” તે કેવી રીતે જાણ્યું?” તે કે “જ્ઞાનાતિશયથી.” ફરી પૂછયું કે, પ્રતિપાતિ કે અપ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy