SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ તેઓશ્રી પૂ. ઉપાધ્યાય શ્રી મેરુવિજયજી મહારાજના શિષ્ય થયા. બાર વર્ષના ગાળામાં જે કુટુંબની પાંચ વ્યક્તિઓએ પ્રવ્રજ્યા અંગીકાર કરી હોય એવી ધર્મપરાયણતા સામે સહેજે મસ્તક ઝૂકી જાય! પૂજ્યશ્રી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શુભાશીર્વાદ મેળવવા ભાગ્યશાળી થયા છે, એટલું જ નહીં, પણ સં. ૨૦૦૫માં પૂ. શાસનસમ્રાટશ્રી વિરાજતા હતા તે સમયે પ્રવ્રજ્યા પ્રાપ્ત કરી હતી. અધ્યાત્મની ભૂમિકામાં વડીલની વિદ્યમાનતા શિષ્યના સૌભાગ્યમાં પૂરક બને છે. એ અગમ્યત્વ ગણાય છે. પછી તો વર્ષો સુધી પૂ. શાસનપ્રભાવક આ. શ્રી વિજયમેરુ-પ્રભસૂરિજી મહારાજની સતત કાળજીપૂર્વક જ્ઞાનાધ્યયન કરાવવાની તમન્ના અને ઉત્તમ સંયમ-સંસ્કારો સીંચવાની ચીવટ, પૂજ્ય ગુરુવર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની સાચવણી, હૂંફ વગેરે જીવનવિકાસનાં અંગ બની ગયાં. એ પણ એટલું જ મહત્ત્વનું છે કે તેમના દાદાગુરુ પૂજ્યપાદ પીયૂષપાણિ આચાર્યભગવંત શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની વ્યક્તિ પારખવાની અને પ્રસંગે પ્રસંગે યોગ્ય પ્રેરણા પાવાની વિલક્ષણ કળાનો લાભ છેલ્લે છેલ્લે સારો મળ્યો. આવા જ્ઞાનથી અને શીલથી ઓજસ્વી ધીર-ગંભીર પ્રકૃતિથી પરિપક્વ બનેલા આ મુનિપ્રવરની યોગ્યતા જોઈને પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજે ભગવતીસૂત્રના યોગોદ્દહન કરાવવાપૂર્વક સં. ૨૦૨૩ના કારતક વદ ૬ને શુભ દિને સુરતમાં ગણિ પદથી અને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના તીર્થાધિરાજ સિદ્ધગિરિની છાયામાં-પાલિતાણા નગરે પંન્યાસ પદથી અલંકૃત કર્યા. ત્યાર બાદ સં. ૨૦૩૧ના પોષ વદ ૭ને દિવસે ભાયખલા-મુંબઈમાં ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૨૦૩૩ના મહા સુદ ૧૦ના દિવસે અમદાવાદરાજનગર સ્થિત, નગરશેઠના વંડામાં, પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના ૧૦–૧૦ આચાર્યભગવંતોની નિશ્રામાં, જ્ઞાનદર્શન-ચારિત્રના અનુમોદનીય કાર્યક્રમો અને ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજીને શાસનના શ્રેષ્ઠ એવા આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. સાહિત્યસર્જન : પૂજ્યશ્રીએ માત્ર અઢાર વર્ષની વયે રચેલ કીર્તિકલ્લોલ કાવ્ય' તેમની જ્ઞાનગરિમાનો ખ્યાલ આપે છે. સંસ્કૃત ભાષામાં વિવિધ છંદોમાં રાણકપુર તીર્થનો ઐતિહાસિક પરિચય આ ખંડકાવ્યમાં આપ્યો છે. વ્યાકરણના Jain Education International વિશ્વ અજાયબી : પ્રયોગો અને સાહિત્યના લાક્ષણિક ભાવોથી સભર આ કૃતિ સાહિત્યના શિખરે બિરાજે તેવી છે. તેઓશ્રીની અન્ય રચનાઓમાં ‘અષ્ટાદશ પાપસ્થાનકાલોચનાશતક’, ‘કલ્યાણમંદિરપાદપૂર્તિ-વૃત્તિ’, ‘જિનદાસશ્રેષ્ઠીકથા’, ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા’, ‘સુરસુંદરી-ચરિયું–છાયા’, ‘નેમિસૌભાગ્ય કાવ્યમ્’, પરમાત્મપ્રાર્થના દ્વાત્રિંશિકા', ‘ગૌતમસ્વામીનાં ત્રણ સ્તોત્રો', ‘શ્રમણસ્તુતિ-ષોઽષિકા’, ‘ચાર અષ્ટકો’ વગેરે તેમ જ સંપાદન કરેલા ગ્રંથોમાં સિદ્ધહેમ-બૃહવૃત્તિ’, ‘અભિધાનચિંતામણિ', ‘વીશસ્થાનક પૂજનવિધિ’ વગેરે અને ગુજરાતી રચનાઓમાં ‘સર્વજ્ઞસિદ્ધિ’, ‘ઐતેન્દ્રસ્તુતિચતુર્વિશતિ’, ‘અમિતગતિકૃત આત્મનિંદાત્મક બત્રીશીનો પદ્યાનુવાદ', ‘આત્મપ્રબોધપંચવિશંતિકાનો પદ્યાનુવાદ’ ‘ચોવીશ જિનસ્તુતિઓ', ‘વીશસ્થાનકપૂજા–કથા’ શ્રાવકકવિ ૠષભદાસકૃત ‘શ્રી હીરવિજયસૂરિ રાસ'નું ગદ્યાનુવાદ સહિતનું સંપાદન, ‘શ્રી ગૌતમાદિ સ્તોત્રસંદોહ'નું સંકલન, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજનાં નોંધપાત્ર સ્તવનો/સજ્ઝાયોનો સંચય ‘બોધિરત્નમંજૂષા’ શાસનસમ્રાટ પ્રવચનમાળા વગેરે. પૂજ્યશ્રીનું સાહિત્ય સાચે જ જનમનને ઉપકારી અને ઉપયોગી છે. ગ્રંથલેખન સાથે પૂજ્યશ્રીની વ્યાખ્યાનશૈલી પણ પ્રેરક, પ્રભાવક અને આહ્લાદક છે. આગમ જેવા ગૂઢ વિષયોને સમજાવવાની રીત એવી સરળ અને સચોટ છે કે સૌને મંત્રમુગ્ધ બનાવી દે. પોતાના પૂજ્ય ગુરુમહારાજ સૌમ્યમૂર્તિ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીની સાથે ને સાથે, પડછાયાની જેમ વર્ષો સુધી રહ્યા, વિચર્યા–તે દરમ્યાન દીક્ષા, વડીદીક્ષા, પદપ્રદાન, ઉપધાન, ઉજવણાં તથા છ'રી પાળતા સંઘો વગેરે ખૂબ જ થયા. પૂજ્યશ્રી હેમચન્દ્રસૂરિજી મ.ની નિશ્રામાં સં. ૨૦૫૯ની સાલમાં મહા વદ-૩ના ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા-મહોત્સવ મેરુધાયજૈનતીર્થ (અબિયાપુર)માં ઊજવવામાં આવ્યો તથા અમદાવાદ–કાંકરિયામાં નૂતન નિર્મિત શ્રી શત્રુંજય તીર્થાવતાર પ્રાસાદમાં પણ વૈશાખ સુદ-૭, ભવ્ય અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવામાં આવ્યો. ૨૦૬૫માં ચાતુર્માસ, મુંબઈ માટુંગા કર્યું. તઓનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ પ્રશંસનીય છે. શિષ્યોમાં–આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ., પૂ.આ.શ્રી રાજહંસસૂરિજી મ.સા. મુનિરાજશ્રી દર્શનવિજયજી, પં. શ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy