SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ 780 તપાગચ્છાધિષ્ઠાયક થયો. તે બોલી, 'મેં નહોતું કહ્યું કે શ્રી માણિભદ્રવીર દાદા હાજરાહજૂર છે. આટલું બોલતાં બોલતાં તો તેની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં. બાની સૂચના પ્રમાણે હું બજારમાંથી શ્રીફળ અને પેંડા લઈ આવ્યો. બા મને શ્રી માણિભદ્રવીરના સ્થાનકે લઈ ગઈ. દીવો કર્યો. શ્રીફળ વધેર્ય, ઈંડા ધરાવ્યા: મારા જીવનની આ એક યાદગાર ઘટના બની ગઈ. એનાં સંસ્મરણો મારા ચિત્તમાં દઢપણે અંકિત થઈ ગયાં. જ્યારે પણ આ પ્રસંગ યાદ કરું ત્યારે રોજ સ્થાનકે દીવો કરવા જવું, પરીક્ષા આપવી, ઇનામનો મેળાવડો, વિષ્ણુભાઈ માસ્તરનો વાંધો, પરિણામનું રજિસ્ટર મંગાવવું વગેરે દશ્યો નજર સામે તરવરે છે. શ્રી માણિભદ્રવીરની મારી માનતા બરાબર ફળી એટલે માતા રેવાબાની શ્રદ્ધા વધારે દઢ થઈ. એ દિવસોમાં અમારું કુટુંબ ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ રેવાબાને પૂરી શ્રદ્ધા હતી કે આવા કપરા દિવસોનો જલદી અંત આવશે. તે રોજ સવારે શ્રી માણિભદ્રવીરને દીવો કરવા જાય ત્યારે અમને છોકરાંઓને પણ સાથે લઈ જાય. એ દિવસોમાં રેવાબાએ બીજો એક પ્રયોગ પણ મારી પાસે કરાવેલો. સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી હું એક પાટલા ઉપર બેસતો. ભીંત પાસે બીજા એક પાટલા ઉપર એક શ્રીફળ મૂકી તેના ઉપર કંકના ચાંલ્લા સુચના પ્રમાણે હં કરતો. ઘીનો દીવો કરતો. પછી મારા જમણા હાથન અંગૂઠાના નખ ઉપર રેવાબા કલાડાની મેંશ લગાડતી. પછી એના ઉપર ઘી ચોપડતી. મારા બીજા અંગૂઠાથી એ અંગૂઠો ઘસીને ચકચકિત હું કરતો. પ્રતિબિંબ દેખાય એવો એ ચકચકિત થતો. ઓરડો બંધ રાખવામાં આવતો એથી ઉજાસ ઓછો થઈ જતો. અમારા બે સિવાય બીજું કોઈ ત્યાં રહેતું નહિ. પાટલા ઉપર પલાંઠી વાળી હું બેસતો. જમણા હાથનો કાળો ચકચકિત અંગૂઠો નજર સામે ધરી રાખવાનું રેવાબા કહેતી. પછી અંગૂઠામાં ધારી ધારીને જોવા સાથે મને બોલવાનું કહેતાં, હે માણિભદ્ર દાદા ! અમારા આંગણે પધારો. અમે કચરો કાઢી, પાણી છાંટી આંગણું ચોખ્ખું કર્યું છે.' પછી બા મને પૂછતી, ' તને અંગૂઠામાં કંઈ હાલતું ચાલતું દેખાય છે ?" જો દેખાય તો હું હા કહું અને ન દેખાય તો ના કહું. હા કહું તો પૂછે કે ' હાથી ઉપર બેસીને કોઈ આંવતું દેખાય છે?" જો દેખાય અને હું હા કહું તો મને બોલવાનું કહે, 'હે માણિભદ્ર દાદા, અમારા આંગણે બિરાજમાન થાવ.' એ પ્રમાણે થયા પછી બા કહે ' હવે બોલ –હે માણિભદ્ર દાદા ! અમારા ઉપર પરસન થાઓ ! અમારું દાળદર (દારિદ્રય) દૂર કરો. મારા દાજી (પિતાશ્રીને અમે દાજી કહેતા)ને સારી નોકરી અપાવો. આ રીતે બાની સૂચના પ્રમાણે ત્રણેક વખત શ્રી માણિભદ્રવીરની આરાધના કરી હશે. બા પોતે પણ સ્થાનકમાં જઈ રોજ દીવો કરી આવતી. એવામાં પિતાશ્રીને વડોદરા જવાનું થયું. સાંજે પાછા ફર્યા ત્યારે તેઓ ખુશખબર લાવ્યા કે મુંબઈમાં એમને માટે નોકરીનું નક્કી થઈ ગયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy