SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 735 શ્રી મયવિજયજીએ પૂછનારની સામે વેધક નજરે જોયું, પછી મંદ મંદ હસ્યા, પણ એમણે કોઈ જવાબ ન આપ્યો. કોઈ જવાબ ન મળતાં ઉત્સુકભાવે બધાએ ભેગા મળીને આ જ પ્રશ્ન ફરીથી દોહરાવ્યો. સહુના અંતરમાં આ પ્રશ્ન અનેક દિવસોથી ઘોળાઈ રહ્યો હતો. આજે જ્યારે વાત નીકળી જ છે તો હવે ઉત્તર લીધા વિના અહીંથી જવું જ નથી એવો મક્કમ નિર્ણય સહુએ કરી લીધો. સહુએ અત્યંત આગ્રહ સાથે વારંવાર પૂછ્યું ત્યારે શ્રી મયવિજયજીએ કહ્યું : 'યક્ષાધિરાજ માણિભદ્રની સાધના કરી છે. એના બળે જ આ બધું સિદ્ધ થાય છે.' નગીનદાસને આ સિદ્ધિ પામવાની અંતરમાં અદમ્ય ઇચ્છા હતી, એણે તરત જ પૂછ્યું : " આપે એમની સંપૂર્ણ સાધના કરી છે કે અપૂર્ણ? ' " સંપૂર્ણ.' શ્રી મયાવિજયજી બોલ્યા. ત્યાં તો બધા એકીસાથે બોલ્યા : 'તો તમે અમને માણિભદ્રવીરનાં દર્શન કરાવી શકો ?" 'હા.' શ્રી મયાવિજયજીએ એકાક્ષરી ઉત્તર આપ્યો. 'તો પછી અમને એમનાં દર્શન કરાવો ને.' સહુ બોલ્યા. શ્રી મયાવિજયજીની મુદ્રા થોડી ગંભીર થઈ ગઈ. તેઓ ગંભીર સ્વરે બોલ્યા : ' જુઓ ભાઈઓ ! આમાં તમારું કામ નહિ. માણિભદ્રજીનું તેજ એટલું બધું હોય છે કે તમે એ તેજ ખમી નહીં શકો. નકામું ક્યાંક ન બનવાનું બની જાય તો મારા પર કલંક આવે.' ' ના મહારાજ સાહેબ ! ગમે તે ભોગે અમારે દર્શન કરવાં છે. અમારી ઉત્કટ ઇચ્છા છે. ભલે અમને જે થવાનું હોય તે થાય, પણ અમારે તો દર્શન કરવાં છે.' બધાએ પોતાનો દઢ નિશ્ચય જણાવ્યો. સહુની માણિભદ્રવીરનાં દર્શન કરવાની અતૂટ ભાવના જોઈને શ્રી મયાવિજયજીએ કહ્યું : 'ભાઈઓ! તમારી ખૂબ જ ભાવના છે તો જેને દર્શન કરવાની ભાવના હોય તેણે હું કહું તેમ કરવું પડશે.' ' આપ કહો તે બધું કરવા અમે તૈયાર છીએ.' સહુ હર્ષમાં આવી બોલ્યા. ' તો સહુ પહેલાં તો આવતી કાલથી અઠ્ઠમનો તપ શરૂ કરવો પડશે. જ્યાં મહારાજશ્રી આટલું બોલ્યા ત્યાં તો બધા ઢીલા ઈંસ બની ગયા. સહુનો હર્ષ પળભરમાં વિલીન થઈ ગયો. કોઈએ અટ્ટમ કરવાની ભાવના ન બતાવી. એક માત્ર નગીનદાસ અક્રમ કરવા તૈયાર થયો. બીજા દિવસથી નગીનદાસે અટ્ટમ શરૂ કર્યો. શ્રી મયાવિજયજીના શ્રીમુખે પચ્ચષ્માણ લઈ તેણે સાધના શરૂ કરી. બે દિવસ નિર્વિને પસાર થયા. ત્રીજા દિવસની સવાર પડી. સૂર્ય મધ્યાકાશમાં આવ્યો ત્યારે શ્રી મયાવિજયજી મહારાજ નગીનદાસને લઈને ઉપાશ્રયના નીચેના ખંડમાં ગયા. બેય જણા સામસામે બેઠા. શ્રી મયાવિજયજીએ નગીનદાસની પરીક્ષા કરવા ફરીથી ચીમકી આપી : 'નગીનદાસ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy