SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 679 અને તપવ્રતના પાલનના આલૌકિક ફલરૂપે છે. અને ગુરુમહારાજની કૃપાથી અવશ્ય મારો મોક્ષ થશે. આમ ગુરુમહારાજના એ ઉપકારોનું સ્મરણ કરતા માણિભદ્ર દેવ તરત જ મગરવાડા ગામની નજદીક, જે જગ્યાએ ગુરુ મહારાજ છે ત્યાં પ્રત્યક્ષપણે હાથ જોડીને ગુરુ સન્મુખ ઊભા રહ્યા. ગુરૂદેવને ઋણમુક્તિ માટે પ્રાર્થના માણિભદ્ર દેવ સૌપ્રથમ ગુરુદેવને પૂછે છે કે, "હે પૂજ્ય ગુરુદેવ! આપ મને ઓળખો છો?" ગુરુએ કહ્યું કે, "તમો કોઈ દવ લાગો છો." "હા, પૂજ્ય ગુરુદેવ ! હું માણિભદ્ર દેવ છું. પૂર્વે આપનો ભક્ત માણેકશાહ પણ હું પોતે જ છું. હું આપની પાસે અભિગ્રહ કરી શત્રુંજય-યાત્રા માટે નીકળ્યો હતો અને અહીં આ જગ્યાએ જ ડાકુઓએ મારા દેહ ઉપર સખત વાર કરતાં હું ધ્યાનમાં મૃત્યુ પામી માણિભદ્ર દેવ તરીકે ઉત્પન્ન થયો છું. ફરમાવો, શું આજ્ઞા છે?" આચાર્યશ્રીએ કહ્યું કે " અમારા ઉપર કોઈ ઉપદ્રવ કરે છે. તે કોણ છે, એ જાણી તેનું નિવારણ કરો. અમારા દસ સાધુઓ ચિત્તભખ્રિત થઈભટકી ભટકીને મૃત્યુ પામ્યા છે. અગિયારમા ચિત્તભખ્રિત થયેલ છે. " એ વાત સાંભળીને માણિભદ્ર દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને પોતાની સેનામાં જ રહેલા કાળા-ગોરા ભૈરવને ઉપદ્રવ કરતા જોયા. બન્નેને બોલાવ્યા અને કહ્યું કે ભાગ્યશાળીઓ ! આ સાધુ સંતોને શા માટે તમે ઉપદ્રવ કરો છો? એમની તો ભક્તિ અને સ્તુતિ કરવી જોઈએ. આવાં અધમ કાર્યોથી પાપબંધન થાય છે. સંસારમાં ભટકવું પડશે, માટે એ અકૃત્ય–ઉપદ્રવ કરવાનું છોડી દો." ભૈરવોએ કહ્યું કે, " હે સ્વામિનું! કડવામતીના યતિએ અમારી આરાધના કરીને અમારી પાસે વરદાન લીધેલું છે. મંત્રથી અને વચનદાનથી કડવામતીના યતિથી અમે બંધાયેલા છીએ. આથી આ કાર્ય અમારે કરવું પડશે. અમો આપની આજ્ઞાનું પાલન નહીં કરી શકીએ માટે આપ એ વાત કૃપા કરી છોડી દો. છતાં આપ યુદ્ધ કરવા ઇચ્છતા હો તો આપની સાથે યુદ્ધ કરવાને પણ તૈયાર છીએ. . યુદ્ધ ને વિજય : માણિભદ્ર સાથે કાળા-ગોરા ભૈરવનું યુદ્ધ થયું. ભૈરવો આખરે તેમના સેવકો જ હતા. માણિભદ્રએ છ ભુજાએ યુદ્ધ કરીને ભૈરવને વશ કર્યા. આથી ભૈરવોએ ઇન્દ્રને શરણે જઈને કહ્યું કે, " હવે અમે ઉપદ્રવ નહીં કરીએ; પરંતુ અમારી એક વિનંતી આપને માનવાની રહેશે કે જ્યાં જ્યાં આપનું સ્થાન હોય ત્યાં ત્યાં અમને આપની સેવા માટે સ્થાન આપશો ." ભૈરવનો ઉપદ્રવ શાંત થઈ ગયો. અગિયારમા સાધુ સાજા થઈ ગયા. માણિભદ્ર ઈન્દ્રની વિનંતી : માણિભદ્ર ઇન્દ્ર ગુરુદેવને વિનંતી કરી કે, " સાહેબ! આ જગ્યાએ મારા પગ પડ્યા છે. અહીં પગની પિંડીની સ્થાપના આપના હસ્તકે કરો, જેથી આ સ્થાનનો પ્રભાવ રહેશે. આપની પાટ–પરંપરામાં, તપગચ્છની પાટે, જે જે નવા આચાર્યો થશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy