SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 673 નામની કન્યા સાથે લગ્ન કરાવ્યાં. તે ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારે કર્તવ્યો અબાધિતપણે પાળતાં સંસારસુખ ભોગવતાં હતાં. મનપરિવર્તન : જૈન ધર્મમાં તપાગચ્છ શાખાના લાડીલા માણેકશાહનાં માતા-પિતા ઓસવાલ વંશે અને જૈન ધર્મે તપાગચ્છની શાખામાં પૂ.આણંદવિમલસૂરિ આચાર્યના અનુયાયી હતાં. માણેકશાહ પણ એ જ ધર્મનું પાલન કરતા હતા. પોતાની હવેલીમાં જિનમંદિર અને પૌષધશાલા હતી. એક વખત લોંકાશાહના યતિઓ ત્યાં આવેલા હતા. ભદ્રિક પરિણામી માણેકશાહ ધર્મશ્રવણ કરવા તેમની પાસે જતા હતા. તેમણે કુયુક્તિઓથી માણેકશાહના મનમાં પ્રતિમાપૂજા નહીં કરવી એવું ઠસાવી દીધું. આથી કુળક્રમથી આવેલ તપાગચ્છ મૂર્તિપૂજક શ્રાવકધર્મ છોડીને માણેકશાહ લૉકામતી બન્યા. માણેકચંદનો સંકલ્પ : એ વાતની જ્યારે તેમનાં માતુશ્રી જિનપ્રિયાને ખબર પડી ત્યારે તેમના આત્માને ઘણું દુઃખ થયું, અને પ્રતિજ્ઞા કરી કે ' જ્યાં સુધી મારો માણેક પાછો સન્માર્ગે ન આવે ત્યાં સુધી ઘી વિગઈ ખાવી નહિ.' માતા જિનપ્રિયાની પ્રતિજ્ઞાની જ્યારે માણેકશાહનાં ધર્મપત્ની આનંદરતિને ખબર પડી ત્યારે તેમને પણ ઘણો જ ખેદ થયો ને પોતાના પતિદેવને માતાની એ પ્રતિજ્ઞાની જાણ કરી. માણેકશાહે પત્નીને ઉત્તર આપ્યો કે, "જ્યારે કોઈ સદગુરુ મળશે અને મારી શંકાનું સમાધાન કરશે ત્યારે જ હું આ મત છોડીશ!" એ વાતને છ માસ વ્યતીત થઈ ગયા. આચાર્યની પધરામણી : એક દિવસે આચાર્ય હેમવિમલસૂરિજી તથા આચાર્ય આનંદવિમલસૂરિજી-સત્તર સાધુઓથી પરિવરેલા–ઉગ્ર વિહાર કરતા કરતા ભવિજીવોને ગામોગામ ઉપદેશ આપતા ઉજ્જૈની નગરીની બહાર આમ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા. રાત્રે પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ પતાવીને બધાએ મુનિવરો કાઉસ્સગ્ય ધ્યાનમાં લીન બન્યા હતા. અવહેલના ને પશ્ચાત્તાપ ઃ તે દિવસે આચાર્ય મહારાજ આવેલા છે એ ખબર પડતાં માણેકશાહ રાત્રે પોતાના સાથીઓની સાથે હાથમાં મશાલ લઈને ઉદ્યાનમાં આવ્યા. ધ્યાનમગ્ન એક એક સાધુ પાસે જઈને તેણે મશાલ દ્વારા અવહેલના કરતાં એક સાધુની દાઢીના બાલ પણ બાળી નાખ્યા. ધ્યાનમગ્ન એ સાધુ ભગવંતને સમતારસ અને નમ્ર ભાવમાં નિમગ્ન જોઈને માણેકશાહને ઘણો જ પશ્ચાત્તાપ થયો. આ સાધુ ભગવંત હતા તપાગચ્છની પાટને શોભાવતા ગચ્છાધિપતિ આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી મહારાજ. માણેકશાહ પોતાની હવેલીમાં આવી પલંગ ઉપર સૂતા, પણ નિદ્રા ન આવી. પોતાની ભૂલનો પશ્ચાત્તાપ ખૂબ ખૂબ કરવા લાગ્યા અને તે સાધુની સમતા ને ક્ષમાને અનુમોદવા લાગ્યા. વિપુલ ઝરણું : ધન્ય છે આવા ક્ષમાના સાગર ગુરુપ્રવરને ! જરા માત્ર ક્રોધ નથી. મુખ કેવું પ્રફુલ્લિત હતું! અહો ! ધન્ય છે આ સાધુ ભગવંતોને ! આવા પંચમહાવ્રતધારી સાધુઓ કયાં અને ગાદી ઉપર બેસીને ઉપદેશ દેનાર યતિઓ કયાં!બન્નેના આચરણમાં મેરુ અને સરસવનું (૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy