SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ 660 તપાગચ્છાધિષ્ઠાયક આજે માણિભદ્ર વીરના શરીરની ત્રણ સ્થાને પૂજા થાય છે. (૧) ઉજ્જયિની નગરીની ક્ષિપ્રા નદીના કાંઠે વડના ઝાડ નીચે મસ્તકપૂજા થાય છે. (૨) મગરવાડા તીર્થમાં ઢીંચણ પૂજાય છે. (૩) ઉત્તર ગુજરાતમાં વિજાપુર નજીક 'આગલોડ' ગામમાં ધડ પૂજાય છે. સામાન્યથી આપણા જૈન ધર્મમાં એવી માન્યતા પ્રચલિત છે કે, કોઈપણ મૂર્તિ–મંદિર–સ્થાન હોય તે સો વર્ષે તીર્થસ્વરૂપ બને છે. પછી તેને તીર્થ કહેવાય છે. એ જ રીતે આપણા સુપાર્શ્વનાથ પ્રભુ અને આ સ્થાનના રખેવાળ શ્રી માણિભદ્રજીને ૧૭૦ વર્ષ થવાથી તીર્થ બની ગયેલ છે, જેના કારણે તીર્થની જેમ પૂજનીય અને પ્રભાવિક બની ગયેલ છે. અહીંયાં બિરાજમાન માણિભદ્રજીની મૂર્તિનો પરચો ને દર્શન આસો મહિનામાં કોઈ કોઈ માણસને થાય છે. વૃદ્ધ માણસો તેના ચમત્કાર અને પ્રભાવની વાતો જાણે છે અને કરે છે. ત્યારે અહીં કેટલાક માણસોને ગમે તેવાં કઠિન અઘરાં ને અસંભવિત કામોમાં પણ સહાય થાય છે તેવા દાખલાઓ અને અનુભવો મોજૂદ છે. એટલે અહીંયાં બિરાજમાન શ્રી માણિભદ્રજીની માનતા જુદી જુદી રીતે કરીને તેંઓ પોતાનાં કાર્યોની સફળતા મેળવે છે. - અત્યારના જમાનામાં જ્યારે આપણા જૈન ભાઈઓ બીજે બધે ઠેકાણે બીજા દેવ પાસે જાતજાતની માનતા કરવા જાય, બાધા-પ્રતિજ્ઞા અને આખડીઓ રાખે તેના કરતાં શાસનદેવ શ્રી માણિભદ્રજી પાસે આવે તો ઘણું સારું કહેવાય. સોનામાં સુગંધ ભળે તેવું થાય. અહીં આવનાર શ્રાવક ભાઈ એમ માંગશે કે, હે શાસનદેવ! મને ધર્મમાં અને મારાં બીજાં કાર્યોમાં સહાય કરજો. અને ગમે તે ભાવનાથી આવેલો આત્મા જરૂર પ્રભુદર્શન અને ગુરુ સમાગમ મેળવશે જ. અહીંયાં શ્રી માણિભદ્રજીની માનતામાં શ્રીફળ વધેરાય છે. ગોળપાપડી-સુખડી ચડાવાય છે. આ સિવાય અમુક કાર્ય પતશે તો અમુક વસ્તુ અર્પણ કરીશ વગેરે જાતની ધારણા કરીને કામ કરે છે અને ફળે પણ છે. આસો મહિનામાં ધનતેરસ, ચૌદસ અને અમાસ—એ સિવાય દર બેસતે મહિને, દર રવિવારે, દર ગુરુવારે પણ માનતા રાખી ફળ મેળવાય છે. આ સિવાય સારા કામો કરવાના દિવસે અને તકલીફના દિવસોમાં શ્રી માણિભદ્રદેવની પ્રતિજ્ઞા–બાધા–ધારણા રખાય છે. એક વખત અહીં પધારી શાસનરક્ષક શ્રી માણિભદ્ર દેવનાં દર્શન કરી પાવન થઈ તેમના પ્રભાવ-પ્રતાપ ને મહિમાનો પ્રત્યક્ષ અનુભવ લો. -- હS ST મ છે . . A Pr છે. NA CER 7 . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy