SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ 534 તપાગચ્છાધિષ્ઠાયક જેસલમેરમાં સાધુવિહારના અભાવને કારણે ત્યાંના દેરાસરોનાં બારણાં બંધ થઈ ગયાં હતાં ને તેથી ત્યાં મુમતીઓનો ઘણો પ્રચાર થવાથી દેરાસરે કાંટા નંખાવ્યા હતા તે પણ પૂ. સૂરીશ્વરજી મહારાજે ત્યાં ઉગ્ર વિહાર અને ઉગ્ર તપશ્ચર્યા કરીને મુમતીઓના મતનું ખંડન કરી તેઓને વાદમાં જીતી ૬૪ –ચોસઠ જિનપ્રસાદો ઉઘડાવ્યા ને તે તે જિનમંદિરોમાં પૂજા શરૂ કરાવી અનેક ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપી સમ્યકત્વ પમાડી જૈનશાસનની વૃદ્ધિ કરી હતી. હજી પણ તે તે જગ્યાઓએ પૂ. આચાર્યદેવના હાથે થયેલાં મહાન કાર્યોના અવશેષો સાક્ષી પૂરે છે. આ રીતે શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ જેવા તપાગચ્છના ઉત્પાદક શ્રીમદ્ જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ જેવા મહા તપસ્વી હતા ને શ્રીમદ્ આચાર્ય વાદીદેવસૂરીશ્વરજી મહારાજ જેવા વાદી હતા. તે ઉપરાંત ઉગ્ર વિહારી, મહાન ક્રિયોદ્વારક, સંવેગરંગી અને મહાન પ્રભાવક હતા અને તેઓની સેવાને માટે દેવો પણ ઝંખના કરી રહ્યા હતા. ચિતોડમાં ઓસવંશની વૃદ્ધશાખામાં સારણદેવ નામનો પુરુષ થયો. તે જૈન આમરાજાનો વંશજ હતો, તેના સૌથી નાના પુત્ર તોલાશાહ મેવાડના મહારાણા શ્રી સાંગાજીના પરમ મિત્ર હતા. એક સમય સંઘવી ધનરાજનો સંઘ આબુ વગેરેની યાત્રા કરતો મેવાડ આવ્યો. તોલાશાહે શ્રી ધર્મરત્નસૂરિ પાસે જઈ પ્રાર્થના કરી કે શત્રુંજય પર સમરાશાહે સં. ૧૩૭૧માં સ્થાપિત કરેલ બિંબનું મસ્તક સ્વેચ્છાએ પુનઃ કોઈ સમયે ખંડિત કરેલું તેનો ઉદ્ધાર કરવાનો મારો મનોરથ સિદ્ધ થશે કે નહિ. ગુરુદેવે કહ્યું, તારો પુત્ર કર્માશાહ તેનો ઉદ્ધાર કરશે. તું નહિ. ગુજરાતનો શાહજાદો બહાદુરખાન ચિતોડ જતાં ચિતોડગઢના મંત્રી દોશી કર્માશા શેઠને કાપડનો મોટો વેપાર હોવાથી તેમની પાસેથી પુષ્કળ કાપડ ખરીદતો અને આથી બન્ને વચ્ચે એક વખત મૈત્રી થઈ. એક વખત શાહજાદાને ખર્ચી ખૂટવાથી મંત્રી કર્માશાહે એક લાખ રૂપિયા બિનશરતે આપ્યા. - જ્યારે તે શાહજાદો અમદાવાદની ગાદીએ આવ્યો ત્યારે કર્માશાહ આદાવાદ આવ્યા. બાદશાહે તેમનું સન્માન કર્યું. શત્રુંજય તીર્થ મહા પુનિત ભૂમિ છે, અસંખ્ય આત્માઓ એ તીર્થયાત્રાથી કલ્યાણ સાધી ગયા છે, એ સિદ્ધાચલ મંદિરોનું મહાનગર છે, પૃથ્વી પરનું સ્વર્ગભવન છે. આવા પ્રભાવશાળી તીર્થની પ્રતિષ્ઠા અને તીર્થોદ્ધાર એ મહામૂલી વસ્તુ છે. ગુરુદેવ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ આ પવિત્ર તીર્થસ્થાનની જીર્ણ દશાથી ભારે ચિંતિત હતા. તેઓશ્રી વારંવાર મંત્રી કર્માશાહને ઉપદેશ આપતા ને પ્રેરણા કરતા હતા. આ પ્રેરણા અને ઉપદેશને મનમાં ધારી મંત્રી કર્માશાહ બાદશાહને પવિત્ર તીર્થસ્થાનની વાત કરી એટલે બદશાહે તે તીર્થની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર માટેનું તુરત ફરમાન આપ્યું. ત્યારબાદ કેટલીક મદદ પણ માગી તે પણ તેમને મળી ને મંત્રી કર્માશાહે સંઘ કાઢ્યો. ગામેગામ જૈન ચૈત્યમાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારોપણ, દરિદ્રીઓને દાન, સાધુસાધ્વીની સેવા, હિંસાનું નિવારણ કરતાં ખંભાત થઈ શત્રુંજય આવી પહોંચ્યા. ગૂર્જરવંશના રવિરાજ અને નૃસિંહ એ બને સૂબાના મંત્રી હતા. તેમણે પણ કસ્મશાહને ઘણી સહાય કરી. મહામાત્ય વસ્તુપાલે લાવી રાખેલી મમ્માણી ખાણના પાષાણખંડો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy