SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ 456 તપાગચ્છાધિષ્ઠાયક શુદ્ધ ગુરુને આંગણે લેવાય, વ્રતનાં બંધન પૂરાં ત્યારે થાય....(૧૪) ઉદ્યાનમાં પધાર્યા છે ગુરુરાજ, હેમવિમલસૂરિ પરિવાર, લઈ આવો તેમને આપણે દ્વાર, ધન્ય બનાવો મોંઘો અવતાર... (૧૫) માણેકશાહ ચાલ્યા તેડવા ગુરુરાજ, મશાલથી કીધો ગુરુ ઉપઘાત, શ્રદ્ધા થઈ ત્યાં દઢ બળવાન, બીજે દિને પ્રવેશ રૂડો કરાય. (૧૬) વ્રત નિયમ લીધાં ચડતા ભાવ, પૂજા પાઠ શરૂ કરે તે વાર, ગુરુ-વિચરતા આગ્રામાં જાય, માણેકશાહ વેપાર માટે ત્યાં જાય...(૧૭) ચોમાસું રહેતા ગુરુવર પાસ, સાંભળ્યો શત્રુંજય અધિકાર, યાત્રા કરવાને થયા તૈયાર, ગુરુ આજ્ઞા લઈ કર્યું પ્રયાણ... (૧૮) દઢ નિયમ કર્યો મનથી નિર્ધાર, પહોંચું જ્યારે પવિત્ર ગિરિરાજ, યાત્રા કરી ભેટું જ્યારે આદિનાથ, ત્યારે અન્નપાણીનો છૂટે ત્યાગ...(૧૯) સિદ્ધગિરિ ધ્યાનમાં ચાલતા જાય, ઉત્તર ગુજરાતની હદમાં અવાય, ગીચ ઝાડી ને ઝાંખરાં અપાર, વિકટ રસ્તો એહ દેખાય...(૨૦) થનગને યાત્રા કરવાને કાજ, નથી મનમાં બીજું કોઈ ધ્યાન, પાછળ આવીને ચોરી કરતા ઘાત, ત્રણ ત્રણ ટુકડા કાયાના થાય....(૨૧) શુભ ધ્યાનમાં મૃત્યુ ત્યાં થાય, દેવલોકે વ્યંતરમાં જાય, માણિભદ્રવીરનું પૂરતા સ્થાન, ચોસઠ જોગણી બાવનવીર પરિવાર..(રર) પલટાવ્યા માણેકશાહને જાણે વાત, પૂર્વના સાધુજી થયા વિકરાળ, ભૈરવને સેવતાં પ્રત્યક્ષ કરાય, મોકલ્યા સાધના કરવા ઘાત......(૨૩) હેમવિમલસૂરિની વાત જણાય, ઉપસર્ગ ચાલુ કર્યા તે વાર, દશ દશ સાધુ કાળ કરી જાય, હેમવિમલસૂરિ ચિંતિત થાય......(૨૪) કરે આરાધના સૂરિજી તે વાર, ચક્રેશ્વરી દેવી પ્રત્યક્ષ થાય, કાળ ભૈરવની જણાવતાં વાત, વિહાર કરીને તમે જાઓ ગુજરાત....(૨૫) મળશે પરચો દેવનો તે સ્થાન, થાશે શાસનનું એક મોટું કામ, ભાવિના ભેદ નવિ કોઈથી કળાય, થવાનું હોય તે મિથ્યા ન થાય. (ર) સંઘને રડતો મૂકી કરે વિહાર, આવ્યા ઉત્તર ગુજરાત હદમાંય, અંગની ફુરણા વેગેથી થાય, કર્યા અટ્ટમનાં સૂરિજીએ પચ્ચકખાણ...(૨૭) તપના પ્રભાવે વીરનાં આસન ડોલાય, આવતા લઈને નીચે પરિવાર, છ ભુજાધારી ગજ અસવાર, અજમુખવાળા સુકોમળ સાર...(૨૮) ઓળખાણ આપી જાણી ઉપદ્રવ વાત, માણિભદ્રવીરે જોયું અવધિજ્ઞાન, સમજાવ્યો સમજે ન ભૈરવ વાત, યુદ્ધ કર્યું ત્યાં શકિત વિશાળ.... (૨૯) . હાર્યો ત્યાં ભૈરવ વીરની પાસ, શરણે આવીને લાગ્યો પાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy