SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ 360 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરનું સ્વરૂપ અને તેમના ચમત્કારિક મંત્રો –પ્રા. જે. સી.દેસાઈ શ્રી માણિભદ્રવીરનું સ્વરૂપ શ્રી માણિભદ્રવીરે પૂ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિની સમક્ષ પોતાના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે કર્યું છે – " ઇન્દ્રદેવ થયો છું. મારો શ્યામ વર્ણ છે. અજમુખ (તુદિલ) મનોહર, પ્રિયદર્શન, મનોન્માન સહિત હાથ-પગ, નાક, નખ, જીભ અને હોઠ લાલ રંગના છે. લાલ અને તેજસ્વી મુગટ મેં ધર્યો છે. જાત-જાતના અલંકારો મેં પહેર્યા છે. રાયણવૃક્ષની શાખા મંદિરના આકારની મુખ પર ધારણ કરી છે. તે ઉપર સિદ્ધાચલના મંદિરની દેરી છે, અને તેમાં આદીશ્વર ભગવાનનું ચિહ્ન છે, જેથી મારી આંખની સ્થિર દષ્ટિ શ્રી આદીશ્વર ભગવાન ઉપર રહે છે. છ ભુજાઓ છે. ત્રિશૂલ, ડમરૂ, મુદ્ગલ, અંકુશ અને નાગ ધારણ કર્યા છે. ઐરાવત હાથી મારું વાહન છે અને હું ૬૪ જોગણી અને પર વીરોનો અધિપતિ બન્યો છું. વીસ હજાર સારા સામાનિક દેવતાઓ છે. એ બધી જ રિદ્ધિસિદ્ધિ પૂજ્ય ગુરુમહારાજની કૃપાથી અહિંસા-સંયમતપ-વ્રતના પાલનના અલૌકિક ફલરૂપે છે. અને ગુરુમહારાજની કૃપાથી અવશ્ય મારો મોક્ષ થશે. ગુરુ મહારાજના ઉપકારનું સ્મરણ કરતો હું માણિભદ્રદેવ મગરવાડા ગામની નજીકમાં તેમની સમક્ષ પ્રત્યક્ષ ઊભો છું." શ્રી માણિભદ્રજીના વિવિધ મંત્રો ૧. મોતીઝરા માટેનો મંત્ર – ॐ ऐं ह्रीं श्रीं क्लीं नवपद ही श्री माणिभद्राय नमः ॥ આ મંત્રનો નિરંતર જાપ ૧૦૦૮ કરવાથી તથા % કૌ કન્નૌ માણિભદ્રવ રવીરા | આ મંત્રથી ૧૦૮ વખત પંચામૃતનો હોમ કરવાથી તથા શ્રી માણિભદ્રજીનું યંત્ર (આકૃતિ માટે જુઓ માણિભદ્ર યંત્ર ૧) ગળે બાંધવાથી મોતીઝરો મટી જાય છે. . ૨. માણિભદ્રજીની સાધનાનો મંત્ર : ॐ ह्रीं श्रीं भगवते श्री माणिभद्राय हाँ श्री कण कण क्लीं फण फट फट् स्वाहा ॥ વિધિ – ગુરુવારના દિવસે ભૂમિ પવિત્ર કરી, લાલ વસ્ત્ર, લાલ માલાથી, પૂર્વ દિશા તરફ બેસીને [ ૧૦૦૮] જાપ કરવો. ૧૦૮ વાર પંચામૃત હોમ કરવો. લાલ માળા પ્રવાલની લેવી અને દરરોજ વિજય મુહૂર્ત ગણવી. માલા ૨૧-એકવીસ દિવસ સુધી દરરોજ ગણવી. પછી ૨૧ –એકવીશમા દિવસે પંચામૃત હોમ કરવો. તે હોમ કરતાં મધ્યાહ્ન વખતે શ્વેતરૂપે માણિભદ્ર આવે તે વખતે કહેવું કે "હું માગું તે આપો". તે વાચા આપે જે સિદ્ધ છે. વચનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy