SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ 350 તપાગચ્છાધિષ્ઠાયક રહ્યા, છતાં કોઈ ચોક્કસ એકમત સ્થાપિત થતો નથી. જગતમાં ભૌતિક અને આધ્યાત્મિક એમ બે શાખાઓ છે. ભૌતિક શાખા જડ પદાર્થમય છે, શરીર સંબંધી છે. તેનું ચિંતન દેહલક્ષી હોય છે. દેવું કરીને ઘી પીવો. થવાનું હોય તે થાય, બસ મોજમજા કરો. મર્યા પછી કશું જ બચવાનું નથી. શરીરનો નાશ થતાં બધું જ નાશ થઈ જશે. મનુષ્યનું મન એ દેહની ઉત્પત્તિ છે. જો દેહ નથી તો કંઈ જ નથી. તેથી શરીર સંબધી સુખ – સગવડની સુવિધા શોધાઈ. તે સુવિધા આપનાર જ્ઞાન, વિજ્ઞાન કહેવાયું. આ વિજ્ઞાને ભૌતિક પદાર્થોના વિકાસ પાછળ આંધળી દોટ મૂકી. પરિણામે પારાવાર પીડા અને પતન માનવના ભાગ્યમાં અંકાયાં. જડના પનારે પડેલા માનવીની જિંદગી પણ જડ બની. જડ અને જડતા સામે જાગતા રહેવા આધ્યાત્મિક શાખાએ બાંગ પોકારી. શરીરથી પર થવા જણાવ્યું. એનું ચિંતન દેહથી પારલક્ષી બન્યું. શરીર છૂટયા બાદ પણ જે તત્ત્વ રહે છે, બચે છે, તે તત્ત્વ કર્માનુસાર ગતિ કરે છે, નવાં નવાં ખોળિયાં ધારણ કરે છે, ફરી ફરી નવાં નવાં કર્મો બાંધે છે અને નવા નવા અવતાર લે છે. ' જડ સંગે ચેતનના ભાવ, ખેલે ચાર ગતિના દાવ.' આમ, ચાર ગતિના દાવ ખેલતી ચેતના, જડ કર્મના સંયોગથી વિશ્વમાં વિવિધ વિચિત્ર અને વિષમરૂપે દેખાય છે. દેખાય સામાન્ય અને નીકળે વિશેષ ! હોય વિશેષ અને લાગે સામાન્ય ! એક છતાં અનેક,પણ તત્ત્વ તો " જૂજવે રૂપ અનંત ભાસે–" એવી છે આ અગોચર તત્ત્વોની ગોચરલીલા ! એક નહિ પણ ચોરાશી લાખ ઝભલાં પહેરીને ફર્યા કરવાની એની આ આદતનો પાર કોણ પામી શકે ? એમાં આ માનવ-ઝભલા (શરીર)ની તો વાત જ શી કરવી ? એ ધારે તો ઝભલાથી મુક્ત બની શકે, વિનાશી વધુમાં અવિનાશીની આરાધના કરી શકે, સચ્ચિદાનંદના સુખને માણી શકે. આ માટેની શોધે જે વિશિષ્ટ આત્મલક્ષી જ્ઞાન આપ્યું તે અધ્યાત્મ કહેવાયું. પરંતુ આ ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં પરમ રહસ્ય તો મનુષ્ય પોતે છે. મનુષ્ય એ વિચારશીલ પ્રાણી છે. તેની પાસે પશુ-પંખી–પ્રાણી-વનસ્પતિ-પથ્થર તેમ જ અન્ય જીવો કરતાં વિકસિત મન છે. એક મનુષ્ય જ પોતાના મૃત્યુ વિષે વિચારી શકે છે. મૃત્યુ એ પરમ વરદાનરૂપ છે. તેના વિચાર પણ લાભદાયી નીવડે છે. મૃત્યુના વિચારથી પ્રશ્નો જાગે છે : " શું મૃત્યુ બાદ હું ખરેખર મરી જઈશ? " ખરેખર આત્મા છે? " " કર્મો અનુસાર ગતિ થાય છે કે નહિ ? " શું સાચે જ પરલોક છે? " આ પ્રશ્નોના જવાબ સ્વયં મુમુક્ષારૂપે પૂર્ણ રૂપે સાચી નિષ્ઠાથી મેળવવા મનુષ્ય પ્રયત્ન કરે તો ખરેખર એના ઉત્તર મળશે. જાત-અનુભવ થશે. મૃત્યુ અને તેના ચિંતનથી જ ધર્મ ઉદ્ભવે છે. ધર્મનું આચરવાથી એક ઉત્તમ જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે, જે મનુષ્ય કે દેવગતિ આપી શકે છે અને તિર્યંચ કે નરકગતિ નિવારી શકે છે અને મોક્ષપ્રાપ્તિ કરાવી શકે છે. મનુષ્ય એ પરમ સ્વતંત્રત છે. એ સંસારની ચાર ગતિરૂપ રસ્તા વચ્ચે ઊભો છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy