SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 341 (હે ભગવતી ! હે ભગવતી ! હે વિજયાદેવી! તમારો સર્વત્ર સુવિજય થાય છે. હે સુજયે ! નાના-મોટા દેવોથી તમે જિતાતાં નથી. તે અજિત ! જગતમાં વિઘ્નોથી તમે હારતાં નથી. હે અપરાજિતે! આપ વિજય જ પ્રાપ્ત કરો છો. હે જયાવહે! આપને નમસ્કાર હો.) ત્યાગપ્રધાન અને વૈરાગ્યપ્રધાન આત્મનિષ્ઠ જૈન ધર્મમાં તીર્થકરની સેવાપૂજા એટલા માટે કરવામાં આવે છે કે તેથી ત્યાગભાવના સુદઢ થાય. વર્તમાન ચોવીશીના તીર્થકરની કુલ સંખ્યા ચોવીસ છે. જૈન મંદિરોમાં પ્રાયઃ રંગમંડપમાં જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ યક્ષિણીની મૂર્તિ હોય છે. યક્ષ એ શાસનદેવ અને યક્ષિણી એ શાસનદેવી માનવામાં આવે છે. આ સંખ્યા પણ ૨૪ની હોય છે. જૈન તીર્થકરો રાગ, દ્વેષ, મોહ, કષાય, રતિ, અરતિ, ક્રીડા, ઇચ્છા વગેરે તમામ દૂષણોથી રહિત હોય છે. શાસનરક્ષા અને પ્રભાવના તથા ધર્મકાર્યમાં સહાયક બનવા માટે દરેક તીર્થકરને અધિષ્ઠાયક દેવો અને દેવીઓ હોવાની વાતનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં છે. જયા, વિજયા, વિરાટયા, અપરાજિતા તથા સોળ વિદ્યાદેવીઓ, ચોસઠ ઇન્દ્રો, દશ દિપાલો, નવ ગ્રહો અને યક્ષો જુદા જુદા તીર્થંકર ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવીઓ કહેવાય છે. પ્રાચીન સાહિત્ય અને પુરાતત્ત્વના અવશેષો દ્વારા એમ જાણવા મળે છે કે જૈનધર્મમાં પણ પ્રાચીન કાળથી દેવ-દેવીઓની સાધર્મિક તરીકે પૂજા અસ્તિત્વમાં હતી. દેવાધિદેવ ત્રણ લોકના નાથ, પરમકૃપાળુ અરિહંત પરમાત્મા જેઓએ રાગદ્વેષનાં બંધનો દૂર કરી વીતરાગપદ પ્રાપ્ત કર્યું છે, એવા એ વીતરાગ પરમાત્માની સેવામાં અનેક દેવ-દેવીઓ ઉપસ્થિત હોય છે. અનંત ઉપકારી શ્રી વીતરાગ પ્રભુએ તેઓની દેશનામાં સંસારની મુખ્ય ચાર ગતિ બતાવી છેઃ ૧. મનુષ્ય ૨. દેવ, ૩. તિર્યંચ ૪. નરક. ચોરાશી લાખ યોનિમાંથી બહાર નીકળવા, મુક્ત થવા, મનુષ્ય ઉપરાંત દેવો પણ પ્રયત્ન કરે છે. તેઓ પણ મોક્ષની ઝંખના કરે છે. મોક્ષપ્રાપ્તિ માટે દેવ-દેવીઓ વીતરાગ પ્રભુની નિરંતર સેવામાં રહે છે. દેવ-દેવીઓ અને માતાની ભક્તિ અર્થાત્ શક્તિપૂજા આ દેશમાં જ નહિ પણ વિશ્વની બધી પ્રજાઓમાં સર્વવ્યાપક છે. જૈનાગમોમાં શાસનનું રક્ષણ કરનાર શ્રી ચક્રેશ્વરીજી, પદ્માવતીજી આદિ છે તો શૈવોમાં ગિરિજા, શાકતોમાં કાલીથી કમલા, કૌલોમાં વજેશ્વરી, ખ્રિસ્તીઓમાં મૅરી, વૈદિકોમાં ગાયત્રી અને માંત્રિકોમાં મંત્રેશ્વરીની આરાધના થાય છે. ગ્રીક સાહિત્યમાં અરોરારૂપે, ઋગ્વદમાં અદિતિ સ્વરૂપે, યજુર્વેદમાં શ્રી લક્ષ્મી) સ્વરૂપમાં, કેનોપનિષદમાં માયા રૂપે શક્તિનું નિરૂપણ છે. ભારતમાં નવરાત્રિમાં દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની સાધના થતી જોવામાં આવે છે. દેવી-દેવતાઓ મુખ્યત્વે ધર્મશાસનના અને આરાધકોનાં વિદનો–ઉપસર્ગો શાંત કરવાનું અને જનકલ્યાણનું કાર્ય કરે છે. ભક્તોને તેઓ વરદાન આપે છે, ઘેરઘેર જૈન–શાસનનો પ્રભાવ વિસ્તાર છે. તામસિકતાનો નાશ કરે છે અને કીર્તિની, સિદ્ધિની સ્થાપના કરે છે. જૈન ધર્મનાં દેવ-દેવીઓ સાત્ત્વિક, સૌમ્ય અને અહિંસક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy