SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 331 છે; કુલ ૮૪ લાખ નરકવાસા છે) કેટલાક જીવો મનુષ્યગતિ અને તિર્યંચગતિ એ બે જ ગતિ માને છે. કેમ કે તેઓ તે પ્રકારના જ જીવોને દેખે છે. તેમનું જ્ઞાન સંકુચિત હોવાથી તેઓ એમ માને છે કે – મનુષ્ય કે તિર્યંચગતિમાં તીવ્ર દુઃખ તે જ નરકગતિ છે; બીજી કોઈનરકગતિ તેઓ માનતા નથી. પરંતુ તેમની તે માન્યતા ખોટી છે કેમ કે મનુષ્ય અને તિર્યંચગતિથી જુદી એવી નરકગતિ તે જીવના અશુભ ભાવનું ફળ છે. દેવોના મુખ્ય ચાર પ્રકાર છે – (૧) ભવનવાસી દેવો (૨) વ્યંતર દેવો (૩) જ્યોતિષી દેવો (૪) વૈમાનિક દેવો. * ભવનવાસીભવનપતિ દેવના દસ પ્રકાર છે. એમાંના પ્રથમ પ્રકાર અસુરકુમારજો નિકાલમાં પંદર પરમધામી દેવોનો સમાવેશ થાય છે. ભવનપતિ દેવોના આવાસો વિશાળ ભવન જેવાં હોય છે. તેઓ તેમાં રહેતા હોવાથી ભવનપતિ કહેવાય છે. સામાન્ય રીતે આ દેવો સ્વભાવે મૃદુભાષી, મધુર ગતિવાળા અને ક્રીડાશીલ હોય છે. દેખાવમાં સૌંદર્યવાન અને કુમાર અવસ્થા જેવા હોય છે તેથી કુમાર પણ કહેવાય છે. તેઓને જન્મતાંની સાથે જ અવધિજ્ઞાન હોય છે. તે દેવોના શરીરની અવગાહના (ઊંચાઈ) ઓછામાં ઓછી (જઘન્ય) આંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની હોય છે. તેઓના શરીરનો આકાર સમચતુરસ્ત્ર હોય છે. તેઓને ક્રોધ, માન, માયા, લોભ-ચાર કષાય હોય છે. તેઓને ચાર સંજ્ઞા (આહાર, ભય, પરિગ્રહ, મૈથુન) હોય છે. ભવનપતિ દેવોમાં ચાર પ્રકારની લેશ્યા (કૃષ્ણ, નીલ, કપોત, તેજો) જોવા મળે છે. ભવનપતિ દેવોમાં પાંચ સમુદ્રઘાત હોય છે. જેવા કે વેદનીય, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તેજસ. ભવનપતિ દેવોમાંથી આવીને મનુષ્યમાં જાય અથવા તિર્યંચમાં પણ જાય. આ દેવો છ દિશીનો આહાર લે છે. બે પ્રકારે આહાર લે, ઓજ આહાર અને રોમ આહાર. તે પણ શુભ અને અચિત હોય તેવો આહાર લે છે. દસ ભવનપતિ દેવોનાં નામ તથા તેમનાં ભવનોની સંખ્યા નીચે પ્રમાણેની છે : ભવનવાસીનું નામ ભવનોની સંખ્યા દક્ષિણે ઉત્તરે (લાખ) (લાખ) (૧) અસુરકુમાર ૮૪,૦૦,૦૦૦ ४४ (૨) નાગકુમાર ૬૪,૦૦,૦૦૦ ૩૪ (૩) વિધૃતકુમાર ૭૬,૦૦,૦૦૦ ૩૬ (૪) સુવર્ણકુમાર ૭૨,૦૦,૦૦૦ (૫) અગ્નિકુમાર ૭૬,૦૦,૦૦૦ (૬) દ્વીપકુમાર ૭૬,૦૦,૦૦૦ (૭) ઉદધિકમાર ૭૬,૦૦,000 (૮) દિશિકુમાર ૯૬,૦૦,૦૦૦ ४० ૪૦ ૪O ૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy