SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 379 ઇન્દ્ર, ઇન્દ્રાણી, દેવ તથા દેવીના પર્યાયવાચી શબ્દો તથા સર્વસામાન્ય વિવેચન તો બધાં દર્શનોનાં શાસ્ત્રોમાં–કાવ્યોમાં જાણવા મળે છે, પણ બધી રીતે વ્યવસ્થિત દેવલોકનું તથા તેમાં વસનારા દેવોનું, ઇન્દ્રોનું, તેમની રાજધાનીઓનું, ઋદ્ધિ, સમૃદ્ધિ, રૂપ-રંગ, શરીર તેમ જ વિમાનોનું વર્ણન જેટલું જૈનાગમોમાં અને પ્રકરણસૂત્રોમાં જોવા મળે છે તેવું બીજે ક્યાંય પણ જોવા મળતું નથી. દેવો અને ઇન્દ્રો પણ સંસારી જીવો છે. તેમને પણ પુણ્ય-પાપ, સુખ-દુઃખ, સંયોગ-વિયોગના અનુભવો થાય છે. દેવો જન્મે છે, ચ્યવે છે અને સંસારના સુખોને ભોગવે છે. ખાય છે, પીએ છે અને મોજમસ્તી માણે છે. હરે છે, ફરે છે અને જુદી જુદી કીડાઓ કરે છે. મૃત્યુ પાસે આવતાં આક્રન્દ કરે છે તથા દુઃખી પણ થાય છે. વિષયવાસનામાં તથા વૈરાગ્યરસમાં મસ્ત રહે છે. મનુષ્યલોકમાં જેમ રાજા, પ્રધાનમંત્રી, કોટવાલ, ફોજદાર, સેનાપતિ તથા સૈનિકો અને નગરશેઠો હોય છે, તેવી રીતે દેવલોકમાં પણ હોય છે. આ વાતોનું ખૂબ લંબાણથી સ્પષ્ટીકરણ જૈન આગમોમાં છે, જેમાંથી આ માહિતી આપેલ છે. જ્યોતિષી દેવલોક :- જ્યોતિષ્ક દેવોના ચર અને સ્થિર એમ બે પ્રકાર છે. (૧) ચર જ્યોતિષી દેવો (ર) સ્થિર જ્યોતિષી દેવો: આ દેવોના દેવાવાસોને દેવવિમાનો કહે છે. (૧) ચર જ્યોતિષી દેવો –ચર જ્યોતિષી દેવો અવિરત રીતે પરિભ્રમણ કરતાં જ્યોતિષ વિમાનોમાં વસતા દેવો છે. ચર જ્યોતિષી વિમાનોનું પરિભ્રમણ અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રની મર્યાદાવાળા ઊર્ધ્વ આકાશક્ષેત્રમાં હોય છે. તે વિમાનો સદાકાળ લોકસ્વભાવે જ ફરતા રહેતા હોવાથી ચર કહેવાય છે. (૨) સ્થિર જ્યોતિષી દેવો – આ દેવોનાં વિમાનો જ્યાં હોય છે ત્યાં જ રહે છે. જેને પરિભ્રમણ કરવાનું હોતું નથી તે સ્થિર જ્યોતિષના દેવોનાં વિમાનો અઢી દ્વીપ સિવાયના તિøલોકના સર્વ દીપો અને સમુદ્રોના ઊર્ધ્વ આકાશમાં સમભૂતલાથી ૯૦૦ યોજન સુધીની ઊંચાઈમાં હોય છે. ચર અને સ્થિર બને જ્યોતિષી દેવીના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકાર છે. જ્યોતિષી દેવલોકના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્ય છે. જ્યોતિષી દેવોના ઉત્પત્તિસ્થાન માટે નિયત ઉત્પત્તિ પુષ્પશપ્યાઓ હોય છે. મેરુ પર્વતની સમભૂલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઊંચાઈ સુધીના આકાશક્ષેત્રમાં ચર જ્યોતિષી દેવોનાં વિમાનો રહેલાં છે. તારાઓનાં વિમાનો ૭૯૦યોજન, સૂર્ય વિમાન 200 યોજને, ચંદ્ર વિમાન ૮૮૦ યોજને, નક્ષત્રોનાં વિમાનો ૮૮૪ યોજને અને ગ્રહોનાં વિમાની ૮૮૮ થી ૯૦૦ યોજને સમભૂતલા પૃથ્વીથી ઊંચા ઊર્ધ્વ આકાશક્ષેત્રમાં રહેલાં છે. તે દરેકના ભ્રમણમાર્ગ શાસ્ત્રોમાં ચોક્કસ રીતે દર્શાવેલા છે. ઊર્ધ્વલોકમાં વસનારા દેવોના આવાસોને વિમાનો કહેવામાં આવે છે અને અધોલોકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy