SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ 210 તપાગચ્છાધિષ્ઠાયક થાય તે માટે જ હું ગુજરાત તરફ જાઉં છું. અને જ્યાં સુધી અમારા દ્વારા તે ઉપસર્ગ-નિવારણના પાકા સમાચાર ન મળે ત્યાં સુધી તમારે સહુએ વિશિષ્ટ તપજપ આદિ ધર્મધ્યાન ચાલુ જ રાખવાનું છે." પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને શ્રીસંઘે માથે ચઢાવી અને વિહારયાત્રા આરંભાઈ. લક્ષ્યબિન્દુ સુદૂર હતું અને સાધના જલદી આરંભવી જરૂરી હતી. તેથી પૂ. ગુરુદેવોએ વિહાર ખૂબ ઝડપી કરવા માંડ્યો. ઉગ્ર વિહાર કરતાં કરતાં પૂજ્યશ્રી આચાર્યદેવ આદિ મુનિપુંગવો મગરવાડા પધારી ગયા. મગરવાડાનું એ જ બિહામણું જંગલ આવી પહોંચ્યું. ત્યાં રાયણવૃક્ષની નીચે અટ્ટમ આરાધના કરવા સાથે પૂ. આચાર્યદેવ કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા. માણેકશાહ શત્રુંજય ગિરિવરનું પળ-પળ ધ્યાન ધરતાં ધરતાં માનવ મટીને દેવ બન્યા. દેવ જ નહિ, દેવેન્દ્ર બન્યા. માણેકશાહ મટીને તેઓ માણિભદ્રવીર નામના દેવેન્દ્રપદને વર્યા. માણિભદ્રવીરનો પરિચય પણ પ્રભાવશાળી છે. તેમના દેહનો વર્ણ શ્યામ છે, પરંતુ તેમનું તેજ અને કાંતિ ઝગમગ ઝગમગ ઝળકી રહ્યાં છે. પ્રિય તેમનું દર્શન છે. પ્રમાણોપેત હાથ,પગ અને અન્ય ઉપાંગો છે. તેમના હાથ, પગ, નાક, નખ, જીભ અને હોઠનો વર્ણ લાલ છે. માણિભદ્રજીના મસ્તક પર લાલ રત્નયુક્ત મુગુટ શોભી રહ્યો છે. વિવિધ અલંકારોથી તેમનો દેહ તેજ વેરી રહ્યો છે. તેમના મુખ ઉપર મંદિરનો આકાર છે તે મંદિર શ્રી સિદ્ધાચલજીને પ્રતીકરૂપે છે. તેમાં આદિનાથ ભગવાનનું પદચિહ્ન છે. તેમની દષ્ટિ સતત તે જિનમંદિર તરફ જ રહે છે—જાણે તેઓ પળેપળ પરમાત્માનું જ ધ્યાન ધરી રહ્યા છે. ત્રિશૂલ, ડમરુ, મુગલ, અંકુશ અને નાગનાં ચિહ્નોથી યુક્ત તેમની છ ભુજાઓ શોભાયમાન છે. શ્વેત ઐરાવત હાથી તેમનું વાહન છે. ચોસઠ જોગણીઓ અને બાવન વીરો માણિભદ્રજીની સેવામાં હંમેશાં તત્પર રહે છે. વિશ વીશ હજાર માણિભદ્રજીના સામાનિક દેવો શોભી રહ્યા છે. અનેક જાતની ઋદ્ધિ અને સમૃદ્ધિઓના તેઓ સ્વામી છે. વિશિષ્ટ તેમનો વૈભવ છે અને વિશાળ તેમનો પરિવાર છે. ગીતસંગીત અને વાજિંત્રોના નિનાદથી માણિભદ્રજીની દેવસભા શોભી રહી છે. તે સમયે સોનારને મઢેલું માણિભદ્રજીનું સિંહાસન ચલાયમાન થયું. સભામાં ઉપસ્થિત દેવો સ્તબ્ધ બની ગયા. અંગરક્ષક દેવો તરત દોડી આવ્યા અને દેવેન્દ્ર માણિભદ્રજીની રક્ષા કાજે તત્પર બની ગયા. શ્રી માણિભદ્રજીએ પોતાના અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો અને અવધિના અજવાળે તેમણે જાણ્યું કે, "અહો ! આ તો મારા પરમ ઉપકારી ગુરુદેવે આરાધેલી વિશિષ્ટ તપશ્ચર્યાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy