SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ 196 તપાગચ્છાધિષ્ઠાયક માતા બોલ્યાં " બેટી! આનંદ! મારા માણેકનો અપરાધ ખરેખર ગંભીર છે. જે માણેક ત્રિકાળ પરમાત્મપૂજા કરતો હતો.... અરિહંત પ્રભુનો અનોખો આરાધક હતો. તે જ આજ પ્રભુપૂજાનો ત્યાગી બની ગયો છે. જનમ-જનમના ભ્રમણને ટાળી દેનાર પરમાત્માની પૂજા તેણે છોડી દીધી છે. આ વાત વિચારતાં હું સો સો વીંછીના ડંખ જેવી વેદના અનુભવું છું. માટે જ છે જ્યાં સુધી મારો પુત્ર પુનઃ પરમાત્માની પૂજા વગેરે કરનારો વિશુદ્ધ જિનધર્મનો આરાધક નહિ બને ત્યાં સુધી મારે સંપૂર્ણપણે ઘી–વિગઈનો ત્યાગ રહેશે." અને તે ક્ષણે આનંદરતિ પોતાનાં મહાન સાસુને મનોમન પ્રણમી રહી."અહો ! આ કેવી મહાન માતા છે. જે પુત્રના આત્મકલ્યાણની આટલી અદ્ભુત ચિંતા કરે છે. કેવી ભવ્ય ભાવોર્મિઓથી ભરેલી આ પૂજ્ય માતા છે!" અને સાસુને પ્રેરણામૂર્તિ બનાવીને તે ક્ષણે આનંદરતિએ પણ ઘી-ત્યાગની પુણ્યપ્રતિજ્ઞા સ્વીકારી લીધી. અંધારઘેરી રાત્રિએ શયનખંડમાં આનંદરતિ પતિદેવની રાહ જોઈ રહી હતી. તે સમયે ધીમે પગલે એક જાજરમાન દેહયષ્ટિ પ્રવેશી. તે કોણ હતા? શેઠશ્રી માણેકશાહ. પ્રવેશ કરતાં જ તેમણે આનંદરતિને પૂછ્યું: " કેમ આજે આમ શાંત બેઠી છે? મોં પર સ્મિત નથી, હૈયે હેત નથી. અંતરનો આવકાર નથી. વાત શું છે? કાંઈ તકલીફ? કાંઈ મૂંઝવણ? " ઘણી વાર સુધી આનંદરતિ મૌન બનીને બેસી રહી. તેની મન:પીડા આંખનાં આંસુ બનીને જ્યારે વહેવા લાગી ત્યારે માણેકશાહે આશ્ચર્યભાવે પૂછ્યું, " અરે ! આનંદ! શા માટે તું રડે છે? મને કહે તો ખરી! કયારેય નહીં અને આજે આટલી વ્યથા શા માટે? તું કાંઈ બોલે તો મને સમજાય!તેનો ઇલાજ થાય !" આનંદરતિએ મૌન તોડ્યું. તે બોલી: " આર્યપુત્ર! આપને ખ્યાલ નથી લાગતો. માતા ઘણા દિવસોથી ઘી નથી ખાતાં. લુખી રોટલી ગળે ઉતારે છે. આપના જેવા માતૃભક્ત પુત્રના કારણે તીર્થસ્વરૂપ માતાને ઘીનો ત્યાગ કરવો પડે તે કોઈ પણ રીતે યોગ્ય ન જ ગણાય ને?" " અરે! આનંદરતિ! તું આ શું વાત કરે છે? મને જરા પણ ખ્યાલ જ નથી કે માતાને ઘીનો ત્યાગ છે, અને તે ય મારા કારણે ! મારો શો વાંક-ગુનો? હું તો સદાય માતાના આશીર્વાદનો અભીપ્સ રહ્યો છું. મને માતાના હૃદયને પીડા પહોંચાડવાનું પોષાય જ કેમ? માતાના અંતઃકરણને કયા કારણે આઘાત લાગ્યો છે? તે તું મને સ્પષ્ટતાપૂર્વક કહે તો સારું." માણેકશાહ શેઠે જણાવ્યું " સ્વામિનાથ ! તમે હેતુપૂર્વક એવી પ્રવૃત્તિ નથી કરી તે હું પણ જાણું છું; પરંતુ તમારી તે પ્રવૃત્તિના કારણે માતાના હૃદયને અકથ્ય વેદના થઈ છે. અને તે વેદનાની ટીસમાંથી આ ભીષ્મપ્રતિજ્ઞાનો પ્રાદુર્ભાવ થયો છે. હે આર્યપુત્ર! આપણું આખું કુટુંબ શ્રી જિનેશ્વરદેવનું પરમ ભક્ત છે. ઉચ્ચ કોટિના જિનભક્તિના જાજરમાન સંસ્કારો આપણા આખા પરિવારમાં પ્રવર્તી રહ્યા છે. એના જ ફળસ્વરૂપે પિતાજીએ આપણા ઘરમાં ' ગૃહમંદિરનું સુંદર નિર્માણ કર્યું છે. આપણે સહુ ભાવવિભોર બનીને રોજ આ ગૃહમંદિરમાં વિરાજમાન જિનેશ્વર ભગવંતની પાવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy