SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અને બીજોરું છે. ચોથો હાથ એટલે કે જમણો નીચેનો હાથ વરદ મુદ્રામાં છે. કોઈક પ્રતિમામાં વરદ મુદ્રાના સ્થાને કમળ પણ હોય છે. પાશ, અંકુશ કે બીજોરું પણ અન્ય દેવદેવીઓના હાથમાં ધારણ કરેલાં આપણે જોઈએ છીએ. ८० પદ્માવતીજીની પ્રતિમાના વર્ણનથી મહાલક્ષ્મી સાથેનું તેમનું સામ્ય સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે પ્રત્યેક દેવ કે દેવી તેમના કામથી ઓળખાય છે. એમનાં કામોમાં મુખ્ય છે ભક્તોનું કલ્યાણ કરવું અને સંસારમાં પ્રવર્તી રહેલાં અસામાજિક તત્ત્વોથી રક્ષણ કરવું . આ રીતે પ્રત્યેક દેવ-દેવીનાં બે સ્વરૂપ આપણે સહજ રીતે જોઈએ છીએ ઃ એક સૌમ્ય સ્વરૂપ, જે કલ્યાણકારી છે અને બીજું રૌદ્ર સ્વરૂપ, જે વિનાશકારી છે. આથી તેઓ ચણ્ડી, ચામુણ્ડી, કાલી, કાલરાત્રિ વગેરે નામે પણ ઓળખાય છે, પૂજાય છે. પદ્માવતીદેવીની આરાધના-ઉપાસના માટે જે વિધિવિધાન છે, જે મંત્ર-તંત્ર-યંત્રની વિભાવના છે તે સહજ રીતે પૌરાણિક પરંપરાની દેવીઓની આરાધના-ઉપાસના માટેનાં વિધિવિધાન અને મંત્ર-તંત્રયંત્રની વિભાવના સાથે ઘણું સામ્ય ધરાવે છે. ખાસ કરીને સપ્તશતી ચંડીપાઠમાં વર્ણિત વિગતો, યંત્રમંત્રાદિ બાબતો જેવી જ વિગતો અને બાબતો આપણે પદ્માવતી દેવીની આરાધના સંદર્ભે જોઈએ છીએ. અર્થાત્ પૂજન, સ્તવન, અર્ચન, જપ અને ધ્યાનના કાર્યક્રમો, તે માટે પ્રયોજાતા પદાર્થો-સામગ્રી પ્રત્યેક ભારતીય ધર્મસંપ્રદાયમાં ઓછા-વત્તા અંશે સરખાં હોય છે. માનસપૂજા પણ એકસરખી રીતે થતી હોય છે. અનુષ્ઠાનની પદ્ધતિ પણ એકસરખી હોય છે. પદ્માવતી દેવીના મંત્રો મોટેભાગે ચંડી સપ્તશતીમાંના ઘણા મંત્રો સાથે સામ્ય ધરાવે છે. પ્રસ્તુત વર્ણનથી એટલું જરૂર સૂચવાય છે કે દેવી સંપ્રદાયમાં વિધિવિધાન, મંત્રજપ, તંત્રવિધાન કે યંત્રસામગ્રી બધા ધર્મોમાં લગભગ એકસરખાં હોય છે, પછી તે જૈનધર્મ હોય કે બ્રાહ્મણધર્મ હોય. આખરે તો બધા ભારતીય ધર્મો-સંપ્રદાયો એક સાંસ્કારિક પ્રવાહથી અનુસ્યૂત છે. અને તે રીતે તેમનું અવલોકન કરવું જોઈએ. સૃષ્ટિના સર્જનમાં નારીનું, ખાસ કરીને માતાસ્વરૂપનું સ્થાન મહત્ત્વનું છે. આ માતૃસ્વરૂપ મંગલ હોવાથી ‘માતૃશક્તિ’ રૂપે તેની પૂજા સમગ્ર સંસારમાં પૂર્વકાલથી થતી આવેલી આપણે જોઈએ છીએ. માતૃપૂજાની આ પરંપરા વિશ્વના દરેક ધર્મમાં-સંપ્રદાયમાં જોવા મળે છે. ફેર માત્ર ‘નામરૂપ જૂજવાં...' નો છે. જો કે વિધિવિધાન અલગ હોવા છતાંય કે માતૃશક્તિનાં નામ ભિન્ન ભિન્ન હોવા છતાંય સાધ્ય તો-લક્ષ્ય તો સર્વત્ર-સર્વ સંપ્રદાયમાં એક છે : માતાની નિર્વ્યાજ ભક્તિ દ્વારા માતૃપ્રેમની પ્રાપ્તિ. આમ સમગ્ર વિશ્વમાં માતાને વિવિધ રીતે માનવામાં આવી છે, વિવિધ નામે ઓળખવામાં આવી છે. સ્વાભાવિક જ દેવી તરીકેનું એનું મહત્ત્વ-શક્તિસ્વરૂપની એની વિભાવના માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં મહાન છે. આથી તો ‘દેવ્યાપરાધક્ષમાપનાસ્તોત્ર'માં બીજા, ત્રીજા અને ચોથા શ્લોકની ચોથી પંક્તિ દ્વારા શંકરાચાર્યે માતાને ભવ્ય અંજલિ આપતાં કહ્યું છે : નુપુત્રો નાયેત ચિત્તિ ધુમાતા ન ભવતિ । ઋગ્વેદનું ‘દેવીસૂક્ત' પણ નારીની માતા ભવાની તરીકેની ક્ષમતાને ઉપસાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy