SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૭૩ બોલી શકાય છે. પેહલાં છે નમ: પાર્શ્વનાથાય વિવૃવંતામયિતે – આ બોલી પદ્માવતીજીના માથે ભગવાન શ્રી પાર્શ્વનાથ છે ત્યાં નમસ્કાર કરવા. તે પછી ડાબી બાજુના ગોખલા સામે નજર કેન્દ્રિત કરી ફણાવાળા ધરણેન્દ્ર છે એટલે ત્યાં દ ધરઃ બોલવું. જમણી બાજુએ ત્રણ ફણાવાળી વૈરોચ્યા છે ત્યાં વૈરોટયા બોલતાં માથું નમાવતા રહીને પછી પદ્માવતી માતાને નમસ્કાર કરવાના હોવાથી પાવતી યુતાયતે બોલી મુખ્ય મૂર્તિને ખૂબ ભાવથી નમન કરવું એટલે પદ્માવતીજીને સંપૂર્ણ નમસ્કાર આવી જશે. પદ્માવતીજીની મૂર્તિની રચનાઓમાં થોડા ફેરફાર - વિકલ્પ મળ્યું છે તે આ મુજબ છે: ૧. પદ્માવતીની મૂર્તિ મોટાભાગે ભદ્રાસને હોય છે અને મોટાભાગની મૂર્તિનો જમણો પગ જમીન ઉપર મૂકેલો હોય છે અને ડાબો પગ પલાંઠી વાળેલો કમળ ઉપર ભદ્રાસને રહેલો હોય છે. આ આસને ભદ્રાસન (અથવા લલિતાસન) કહે છે. કોઈ કોઈ મૂર્તિમાં ડાબો પગ નીચે રાખેલો અને જમણો પગ વાળેલો જોવા મળે છે. પણ આ રીતની મૂર્તિઓ જૂજ હોય છે. વળી કેટલીક મૂર્તિઓ પદ્માસને પણ બનેલી છે. ૨. કેટલીક મૂર્તિનો જમણો હાથ કમળની જગ્યાએ વરદ મુદ્રામાં હોય છે. વરદ એટલે હાથનો પંજો ઊંચો કરીને નહીં પણ જમણા ઘૂંટણ ઉપર જમીન તરફ ઢળેલો પંજો. ૩. પદ્માવતીજી માટે સામાન્ય રીતે સાત ફણા કરવાની પ્રથા છે, ધરણેન્દ્ર માટે પાંચ અને વૈરોટ્ય માટે ત્રણની પ્રથા છે. છતાં ફેરફાર જોવા મળે છે. ૪. કોઈ કોઈ મૂર્તિઓમાં આયુધોમાં મતાંતરો જોવા મળે છે. ૫. પદ્માવતીજીના વાહનમાં મેં સર્ષ અને કમળ મુકાવ્યાં છે. કેટલીક મૂર્તિઓમાં એકલા સર્પનું કે કમળનું વાહન હોય છે. કેટલેક ઠેકાણે તો સાચી સમજણના અભાવે કારીગરોએ માતાજીની મૂર્તિ આગળ એકલો કૂકડો કે કૂકડા જેવું પ્રાણી મૂકેલું જોવા મળે છે. શ્વેતાંબરમાં પદ્માવતીજીનો દેહવર્ણ પ્રધાનપણે પીળો અને દિગંબર સંપ્રદાયમાં લાલ રંગ જણાવ્યો છે. દિગંબરાચાર્ય કૃત “ભૈરવ પદ્માવતીજી કલ્પ'માં પદ્માવતીજીનો વર્ણ રક્ત જણાવ્યો છે. માતાજીને લાલ રંગ પણ પ્રિય હોવાથી કલ્પનું બીજું નામ રક્તપદ્માવતી કલ્પ છે. શું પદ્માવતી - પૂજન વખતે રાતાં વસ્ત્ર પહેરવાં પડે તેવો નિયમ ખરો? બધાને માટે નિયમનથી પણ મુખ્ય પૂજકો રક્તવસ્ત્ર પહેરે તો અનુચિત નથી. માતાજી રક્ત વર્ણન પણ હોવાથી આ સંકેત છે. પદ્માવતી પૂજન પૂર્વકાલીન છે કે અર્વાચીન? વગેરે પ્રશ્નો કોઈ કોઈ પૂછે છે. તો બહુ ટૂંકમાં જણાવું કે પદ્માવતી પૂજન ઘણું પૂર્વકાલીન છે. મોટાભાગના જ્ઞાનભંડારોમાં પદ્માવતીજીના પૂજનની વિધિની પ્રતિઓ તેનાં યંત્રો-મંત્રો સાથે સારી એવી સંખ્યામાં મળે છે. પદ્માવતીજીના સંગ્રહને લગતો અતિ મહત્ત્વનો ગ્રંથ વરસો પહેલાં મુદ્રિત થયેલો “ભૈરવ પદ્માવતી કલ્પ છે, તે દિગંબરાચાર્ય શ્રી મલ્લિષેણસૂરિજીનો રચેલો છે.એ પદ્માવતીજીના પૂજનનો ગ્રંથ છે અને આ ગ્રંથ ૧૧મી સદીની આસપાસ લખાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy