SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૭૭ કર્યો. મા પદ્માવતીજી આ ઘટનાથી અજાણ નહોતાં. તેમણે ભકતને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજે દિવસે કોણ જાણે કેમ, બંને નથડી આપોઆપ બદલાઇ ગઇ ! માતાજીને ચડાવવામાં આવેલી ઓછા મોતીવાળી નથડી જિનદત્તની પત્નીના રાણીના નાક પર હતી અને વધુ પાણીદાર મોતીવાળી નથડી, જે રાણીને પહેરવાની હતી તે, માતાજીના નાક પર શોભી રહી હતી. આ જોતાં જ જિનદત્તને ફાળ પડી. પત્નીના મોહપાશમાં જકડાઇને પોતે કેવી ભયંકર ભૂલ કરી બેઠો તેનું ભાન થયું. માતાજી પાસે દોડ્યો. માતાજી પ્રગટ થયાં. ભકૃતે નમીને, આંખમાં આંસુ સાથે કાકલૂદી કરવા માંડી, માવડી ! માફ કર. મારી આ ભૂલને મન મોટું રાખીને તું ક્ષમા કર.” પરંતુ દેવી હવે ખિન્ન બની ગઈ હતી. તેમણે કહ્યું, 'બેટા ! હવે મારાથી અહીં નહીં રહી શકાય. હું જાણું છું કે વસ્તુ મોટી નથી. વળી, તું મને હલકી નથડી સમર્પે કે ભારે, તેની કોઇ ગણતરી નથી. પરંતુ તેની પાછળનો ભાવ જોવાનો હોય ને ! ભકિતની ઈમારતને ભાવનો ટેકો હોય છે. અમે દેવ-દેવીઓ તો ભાવના ભૂખ્યાં હોઇએ. જ્યાં ભકતનો ભાવ ઊણો ઊતરે ત્યાં અમારાથી કેમ રહેવાય ?' એટલું કહીને દેવી પદ્માવતી જવા લાગ્યાં. જિનદત્તથી માતા પદ્માવતીજીનું પ્રયાણ ખમી શકાય તેમ નહોતું. આંખોમાં ચોધાર આંસુ સાથે ગળગળો થઇને તે બોલ્યો, 'મા ! છોરું કછોરું થાય, પણ માવતર કાંઇ કમાવતર થાય ? મારી ભૂલ માફ કરો.' પદ્માવતી દેવીએ પ્રત્યુત્તરમાં કહ્યું, મેં લીધેલો નિર્ણય હવે ફરી શકે નહીં. છતાં તારી ભૂતકાળની ભકિત જોતાં આટલી છૂટ આપું છું. હું જ્યાંથી જાઉં છું તે જગ્યાએ નજીકના કૂવામાંથી મારી બીજી મૂર્તિ કાઢીને સ્થાપજે. તેમાં હું ‘અંશ” રૂપે નિવાસ કરીશ, એટલે આ સ્થળનું માહાભ્ય સચવાઈ રહેશે.” એમ કહીને માતાજી અંતર્ધાન થઈ ગયાં ! આજે પણ બારસો વરસ પહેલાં જિનદત્તે નવી સ્થાપેલી પદ્માવતી દેવીની પાશ, ફલ, વરદમુદ્રા અને ગજાં કશથી યુકત ચતુર્ભુજા મૂર્તિ ભકતોના મનોરથ પૂરા પાડતી કર્ણાટકમાં વિરાજે છે. અહીં પદ્માવતી દેવીની સ્તુતિ કરનારના મનોરથ સફળ થવાનાં હોય તો દેવીના મસ્તક પર ચડેલાં પુષ્પોમાંથી એક પુષ્પ આપોઆપ ટપ્પ દઇને નીચે પડે છે ! આજે જિનદત્તનો મહેલ તો રહ્યો નથી. પરંતુ મહેલના અવશેષ પાસે, 'પુરાણા ચાવલ” નામના સ્થળે, ટેકરાની જમીનને હાથથી ખોદવામાં આવે છે ત્યારે કાળી માટીની ભૂકી રૂપે શ્યામરંગી ચોખાના કણ મળી આવે છે ! મા શકિતની આરાધના જુદા જુદા ધર્મોમાં વિવિધ સ્વરૂપે થતી રહી છે, તેમાં જૈનધર્મમાં આરાધ્ય દેવી માં પદ્માવતી મુખ્ય છે. શ્રી હોમ્બજા પદ્માવતીની પ્રભાવશાળી પીઠ કર્ણાટકને અનેરી મહત્તા આપતી આજે પણ શોભી રહી છે. [ . 4 : છે S 'S E E JIO E F HI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy