SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સ્વાનુભૂત પ્રસંગો ક રિપંજય' અમને જે મહાનુભાવ સંતે આ લેખ મોકલી આપ્યો છે તેમને અમો સાદર વંદન કરીએ છીએ. હૃદય-સંકોચ છતાં કેટલીય વાત સ્પષ્ટ કરી છે. સાધનાનાં પ્રત્યેક નામો પ્રગટ થવાં જ જોઈએ તેવો આગ્રહ જરૂરી નથી. મહાનુભાવ મુનિરાજશ્રી હજી પણ સાધનામાં આગળ વધતા રહે અને સાનિધ્ય માત્રથી અન્યને પદ્માવતી માતાની દેવીકૃપાનો અનુભવ થાય તેવી સિદ્ધિ મેળવે એ જ અમારી અભિલાષા છે. -- સંપાદક આ વિશ્વ અનાદિકાલીન છે. તેમાં બધા આત્માઓનાં કર્મવશ જન્મ-મરણ પણ અનાદિકાળથી ચાલુ જ છે. કોઈ પણ મહા પુણ્યના ઉદયથી સત્યધર્મથી વાસિત માનવભવની આપણને પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે એ માનવભવનું જીવન સફળ બનાવી લેવામાં જ ખરું ડહાપણ છે. પરંતુ એ સફળ બનાવવું કઈ રીતે ? એને માટે તો મૂળમાં શ્રદ્ધા હોવી જ જોઈએ. તે પછી તેને માટે જરૂરી આપણો પુરુષાર્થ/પ્રયત્ન હોવો જોઈએ. પરંતુ આ રીતે શ્રદ્ધાપૂર્વક ધર્મની સાધના કરનારો જીવ વચમાં ઘણીવાર એવી વિષમ પરિસ્થિતિમાં મુકાય જાય છે, કે જેમાં પરમાત્માની કપા અને ગુરુના આશીર્વાદ જ તેને તારી શકે છે; એટલું જ નહીં, પણ સાધનામાર્ગમાં આગળ પણ વધારી શકે છે. પરમાત્માની કપા તો આપણા સૌ ઉપર નિરંતર ચાલુ જ છે. તેમજ આપણી શ્રદ્ધા-ભકિત અનુસાર ગુરવરના આશીર્વાદ પણ આપણને ફળે જ છે. આ બંને ઉપરાંત દૈવી કૃપા એ પણ એક અતિ મહત્ત્વનું પરિબળ છે. સૌને માટે એ સુલભ નથી અને દુર્લભ પણ નથી. હૈયાની સાચી ભાવનાપૂર્વક ઇષ્ટ દૈવી તત્ત્વની ભકિત-ઉપાસના-સેવામાં સ્વ-સ્વ કક્ષા મુજબ જેનું મન લાગી જાય છે એવા જીવોને એની કૃપાનો અવશ્ય સાક્ષાત્ અનુભવ થાય છે. આવા વિષમ કાળમાં પણ દૈવી કૃપાનો અનુભવ થયો હોય એવા ઘણા મહાત્માઓ અને મહાનુભાવો આપણને અત્યારે પણ વિદ્યમાન સ્વરૂપે મળી શકે તેમ છે. એવા જ એક સાધક આત્માની અનુભૂતિનું આલેખન એમના પોતાના જ શબ્દોમાં રજૂ થાય છે. જ પોતાના પૂજ્ય ગુરુદેવની તબિયત નાજુક છે, દર્દોનો પાર નથી. ડૉકટરો અત્યંત કાળજીપૂર્વક ઉપચાર કરે છે, શિષ્યો અને ભક્તગણ એમની સેવામાં જરા પણ કચાશ રાખતા નથી. તે વખતે આ લેખકને પણ પોતાના ગુરુદેવના જીવન અંગે વિચારોના તરંગો ચાલુ છે. હજી તો ચારેક મહિના પહેલાં જ અમુક મંત્રનો જાપ ચાલુ કરેલો છે અને એક વખત કોઈક આવીને એને કાનમાં કહી જાય છે, કે ગુરુદેવ અમુક સમય પછી નથી - અને એ મુજબ જ બને છે. શ્ર આ સાધકને બન્ને પગે ઢીંચણમાં સખત વાની તકલીફ છે, તો પણ સમય અને સંયોગો વિહાર કરવાની ફરજ પાડે છે, અને તે મુજબ વિહાર ચાલુ રાખેલો છે. એક વખત સવારનો વિહાર કરીને સામા મુકામે પહોંચતાં એટલા બધા સોજા પણ આવી ગયા, કે એક-બે ડગલાં પણ ચલાય નહીં. એ જ સાંજે વિહાર કરવો અનિવાર્ય હતો. સહવર્તી પણ ચિંતાતુર હતા. એકાદ-બે દિવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy