SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] (૪૪૯ અનામિકાઓ વચ્ચે કનિષ્ઠિકાઓનો સંયોગ કરીને તેના મૂળ સાથે અંગૂઠાના અગ્રભાગનો સંપર્ક કરવો. (૫) બને હાથની અનામિકા અને કનિષ્ઠિકાઓને તે તે હાથની તર્જનીથી બદ્ધ કરવી; અને અનામિકાઓને ઉપરની બાજુએથી જોડીને મધ્યમાની નીચેની બાજુએ બન્ને અંગૂઠાઓનો અગ્રભાગ જોડવો. આ યોનિમુદ્રા હૃદય પર પ્રદર્શિત કરતાં ત્રૈલોકયલોભિણી, મુખ પાસે પ્રદર્શિત કરતાં ત્રૈલોકય દ્રાવિણી, ભૂમધ્યે પ્રદર્શિત કરતાં ત્રૈલોકયાંકર્પિણી, લલાટે પ્રદર્શિત કરતાં ત્રૈલોકયવશ કારિણી અને બ્રહ્મરંધ્ર પ્રદર્શિત કરતાં ત્રૈલોકયોન્માદકારિણી બને છે. આ સિવાય પણ પૂજનવિધિમાં આવાહન, સ્થાપન, મત્સ્યમુદ્રા, કૂર્મમુદ્રા, ધેનમુદ્રા, અભયવરમુદ્રા, અંકુશમુદ્રા, શંખમુદ્રા, દુર્ગમુદ્રા, પદ્મમુદ્રા વગેરે અનેક મુદ્રાઓ પ્રયોજવામાં આવે છે. જૈનાગમોમાં પણ પિમંડલ-પૂજન સમયે અને અન્ય વિધિવિધાનોમાં મુદ્રા-પ્રદર્શન થાય છે. આ ગ્રંથનાં સંપાદક શ્રી નંદલાલ દેવલુક દ્વારા પ્રકાશિત 'જૈન રત્નચિંતામણિ-સર્વસંગ્રહ' ભાગ ૧-૨માં પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજની કૃપાથી ડભોઈના રંગોલી કલાકાર શ્રી રમણીકભાઈ પાસે તૈયાર કરાવેલાં મહત્ત્વનાં ચિત્રો આપ્યાં છે, જેમાં આવાહનમુદ્રા, સ્થાપનમુદ્રા, સંનિધાનમુદ્રા, સંનિરોધનમુદ્રા, અવગુંઠનમુદ્રા, યંત્રનું અમૃતીકરણ બતાવતી ધેનમુદ્રા, વગેરે આપેલ છે. તેમ જ ચૈત્યવંદન મુદ્રાઓ છે, તે તેમાંથી જોવા વિનંતી છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં વિરાજતાં શ્રી પંચપરમેષ્ઠી ન્યાસ પણ ચિત્રો દ્વારા બતાવ્યા છે. આમ, જૈનદર્શનમાં પણ વિવિધ મુદ્રાઓ અને તેના હેતુઓ સ્પષ્ટરૂપે જોવામાં આવે છે. જ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy