SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] એકનિષ્ઠા, ધૈર્ય, તન્મયતા, શ્રદ્ધા, વિશ્વાસ અને નિરંતરતા મંત્રસાધનાના મુખ્ય સિદ્ધાંતો છે, જેમના આધારથી જ સાધક નિશ્ચિત લક્ષ્યને પ્રાપ્ત કરે છે. મંત્રનો એક અર્થ 'રહસ્ય' પણ છે, અને રહસ્યને જાણવા માટે અનુભવ જરૂરી છે. તે સર્વસાધારણનો વિષય નથી. યોગમાર્ગથી શરીરના ભિન્ન ભિન્ન ભાગોમાં પ્રાણવાયુને લઇ જઇ મંત્રાભ્યાસ ક૨વો તથા પ્રાણાયામ વડે મંત્રજપને વધા૨વો. મંત્રદેવતા અને ગુરુમાં ઐકય સાધવાનો પ્રયાસ કરવો. બીજમંત્ર, કૂટમંત્ર, શતાક્ષરી, સહસ્રાક્ષરી, માલામંત્ર, પૌરાણિક મંત્ર, નામમંત્ર, શાબરમંત્ર, ઋષિમંત્ર, સિદ્ધગુરુમંત્ર આદિ અનેક પ્રકારના મંત્રો પ્રસિદ્ધ છે, પણ તેનો ગુરુગમવિધિ જાણ્યા વગર પ્રયોગ ન કરવો. રાજસ્ અને તામસ્ મંત્રોના પ્રયોગમાં સાધકની શકિત નષ્ટ થાય છે, તેથી તેવા પ્રયોગો ન કરતાં માત્ર સાત્ત્વિક મંત્રોની સાધના કરવી. વિધિ-નિષેધમાં નિષ્ઠા રાખી શાસ્ત્રાદેશને માન્ય રાખવો અને ભકિતપૂર્વક સાધના કરવી. આવી પ્રવૃત્તિથી જે સાધક મંત્રસાધના કરે છે તેને સિદ્ધિ અને સફળતા મળે છે તે સત્ય છે. Jain Education International રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં પ્રદર્શિત કરેલ તીર્થંકર પાર્શ્વનાથની પ્રતિમા જેમાં પરિકર દેવતાઓ સાથે શાસનદેવી પદ્માવતીનું શિલ્પ કંડારાયેલું જોવા મળે છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy