SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સમાધિ મરણ કઈ વસ્તુ હું ગ્રહણ નહીં કરું. જયણા ભાંગા(૪) સ્થલ મિથુન વિરમણ વ્રત [સ્ત્રી સેવન ત્યાગ] હવે હું પરસ્ત્રી પુરુષ સેવન કદાપિ નહીં કરું. મારી પિતાની સ્ત્રી પુરુષ સાથે પણ વર્ષમાં – દિવસ બ્રહ્મચર્ય પાળીશ તથા અવસરે સવથા કાયા થકી સેવન ન કરવા પ્રતિજ્ઞા લઈશ. (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત [પરિગ્રહ મર્યાદા કરવી] હું અહીં ધારણ થી વધારે પરિગ્રહ મારા નિમિત્તે – મારા પાસે રાખીશ નહીં. જમીન – મકાન – દુકાન વખાર – વાડી/ છેતર – પશુ-પક્ષી – ધાન્ય –– વાહન – સન – ચાંદી – ઝવેરાત – ફનીચર - શેર-ડિબેન્ચર વગેરે રોકાણ – રેકડ બેન્કજયણા ભાંગ – [મારી અંતિમ અવસ્થાએ હું મારા બધાં પરિગ્રહને વોસિરાવું છું. હવે મારા નિત્ય ઉપયોગના વસ્ત્ર આદિ સિવાય બાકીના પરિગ્રહના પચ્ચખાણ કરવા ભાવના રાખું છું.] (૯) દિગ્ય પરિમાણ વ્રત – [દરેક દિશામાં જવા-સંબંધ - હવે હું કોઈપણ દિશામાં – કિલોમીટરથી વધુ ન જવાને નિયમ કરું છું. હવે હું ભારત બહાર જઈશ નહીં. મારી અંતિમ અવસ્થાએ મારી ઈચ્છાથી હવે આ મકાન બહાર પણ ન જવા તેવા પચ્ચખાણ કરવાની ભાવના રાખુ છું. જયણભાંગ – (૭) ભોગપભોગ વિરમણ વ્રત : આ વ્રતમાં (૧) ચૌદ નિયમ ધારવા (૨) પંદર કર્માદાન ત્યાગ (૩) અભક્ષ્ય–અનંતકાય ત્યાગ ત્રણ મુખ્ય બાબતે આવે છે. (૧) ચૌદ નિયમ: [આ ચૌદ નિયમ સવારે-સાંજે રોજરોજના ધારવાના હોય છે. છતાં છેલ્લે છેલ્લે અવસ્થા–ઉંમર વગેરે કારણે રોજ ધારવા શક્ય ન લાગે તે પૂજ્ય ગુર ભગવંત પાસે કાયમી પરિમાણ-પ્રમાણ કરી લેવું.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy