SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ સમાધિ મરણ - - કષાય રહિત, દાન્ત, (પાંચ ઇદ્રિ તથા મનને દમન કરનાર) શૂરવીર, ઉદ્યમવંત તથા સંસારથી ભય ભ્રાંત થએલા આત્માનું પચ્ચકખાણ રૂડું હોય છે. ૬૮ ધીર અને મુંઝવણ રહિત જ્ઞાનવાળો જે મરણના અવસરે આ પચ્ચખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. ૬૯ ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાન દર્શન કરીને હિત લેકમાં ઉદ્યોતના કરનાર એવા વીરપ્રભુ સર્વ દુઃખ ક્ષય બતાવે. ૭૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ (८) संथारय पडण्णयम् શ્રી જિનેશ્વરદે–સામાન્ય કેવળજ્ઞાનીઓને વિશે વૃષભ સમાન, દેવાધિદેવ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને અંતિમકાલની આરાધનારૂપ સંથારાના સ્વીકારથી પ્રાપ્ત થતી ગુણની પરંપરાને હું કહું છું. ૧ શ્રી જિનકથિત આ આરાધના, ચારિત્રધર્મની આરાધનારુપ છે. સુવિહિપુરૂષ આવા પ્રકારની અતિમ આરાધનાનાં મને સેવે છે. કારણ કે સુવિહિત પુરૂષોની જીવનપયતની સઘળી આરાધનાઓની પતાકાના સ્વીકારરુપ અંતિમકાલની આ આરાધના છે. ૨ દરિદ્રપુરૂષ ધન, ધાન્ય વગેરેમાં જેમ આનન્દ માને છે, વળી મલ્લ પુરુષે જયપતાકાને મેળવવામાં જેમ ગૌરવ લે છે અને આના અભાવે એઓ અપમાન તથા દુર્ગાનને પામે છે, તેમ સુવિહિત પુરૂષો આ આરાધનામાં આનન્દ તેમજ ગૌરવને પ્રાપ્ત કરે છે. ૩ સર્વ ઉત્તમ પુરૂષોમાં જેમ પુરૂષવર પુંડરીક શ્રીઅરિહંત પરમાત્મા, જગતના સર્વીસમુદાયને વિશે જેમ શ્રી તીર્થક દેવેની માતા, મણિની સર્વ જાતિને વિશે જેમ વૈર્ય, સર્વ પ્રકારના સુગન્ધી દ્રવ્યોને વિશે જેમ ચંદન અને સર્વ પ્રકારના રત્નમાં જેમ વજ, તેમ આરાધનાઓને વિશે આ સંથારાની આરાધના, સુવિહિત આત્માઓને માટે શ્રેષ્ઠતર છે. ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy