SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૩૩ અલ્પ, મધુર, અને કાનને ગમતું, આ વીતરાગનું વચન સાંભળતા જીવે સાધુઓની મધ્યે પિતાને અર્થ સાધવા ખરેખર સમર્થ થઈ શકાય. ૮૪ ધીરપુરૂષોએ પ્રરૂપેલો, સપુરૂષોએ સેવેલો અને ખૂબ મુશ્કેલ પોતાના અર્થને જે શિલાતલને વિષે રહેલા પુરૂ સાધે છે તેઓ ધન્ય છે. ૮૫ પૂર્વે જેણે પોતાના આત્માને બાધામાં ન રાખ્યું હોય તેને ઇદ્રિ પીડા આપે છે. અને પરિસહ સહન નહિ કરવાથી મરણને વખતે સુખ છાંડતાં બીએ છે. ૮૬ પૂર્વે જેણે સંજમ જગ પાળે ન હોય, અને મરણકાળને વિષે સમાધિ ઈરછ હોય તે વિષય સુખમાં લીન આત્મા પરિસહ સહન કરવાને સમર્થ થતો નથી. ૮૭ પૂવે જેણે સંજમ જોગ પાળ્યો હોય, મરણના કાલે સમાધિને ઈચ્છતો હોય, અને વિષય સુખથી આત્માને નીવાર્યો હોય તે પુરૂષ પરિસહને સહન કરવાને સમર્થ થઈ શકે. ૮૮ પૂર્વે સંજમ જોગ આરાધ્યો હોય, તે નિયાણા રહિત બુદ્ધિપૂર્વક વિચારીને, કષાયને ટાળીને, સજજ થઈને મરણને અંગીકાર કરે. ૮૯ જે જીવેએ સભ્ય પ્રકારે તપ કર્યો હોય તે જ પિતાનાં આકરાં પાપ કર્મોને બાળવાને સમર્થ થઈ શકે છે. ૯૦ એક પંડિત મણને આદરીને તે અસંભ્રાંત સુપુરૂષ જલદીથી અનંત મરણોને અંત કરશે. ૯૧ તે કેવું પંડિત મરણ! અને તેનાં કેવાં આલંબન કહ્યાં છે? એ બધાં જાણીને આચાર્યો બીજા કોની પ્રશંસા કરે. ૯૨ પાદે પગમ અણશણ, ધ્યાન અને ભાવનાઓ તે આલંબન છે, એટલાં વાનાં જાણીને આચાર્યો) પંડિત મરણને પ્રશંસે છે. ૯૩. ઇન્દ્રિયની સુખ શાતામાં આકુલ, વિષમ પરિસહ સહેવાને પરવશ થઈ ગએલે અને સંજમ જેણે નથી પાળ્યું એ ક્લિબ (કાયર) માણસ આરાધનાના વખતે મુંઝાય છે. ૯૪ લજજાવડે, ગારવવડે અને બહુ શ્રુતના મદવડે જેઓ પિતાનું પાપ ગુરૂઓને કહેતા નથી તેઓ આરાધક થતા નથી. ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy