SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ [ બૃહદ ગુજરાતની અસ્મિતા અભ્યાસ કર્યો ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધને કારણે તેમને ભારતમાં આવવું થયું. આ પછી ૧૯૪૨ ના રાષ્ટ્રીય આંદોલનમાં સૈનિક તરીકે લડતમાં ફાળો આપ્યો અને ૧૯૪૭ માં આંબલા ગ્રામ દક્ષિણામુર્તિમાં લોકસેવક તરીકેનો અભ્યાસ કર્યો.. શ્રી જયરામભાઈની રાજકીય કારકિર્દીને પ્રારંભ તેમણે જુના ગોંડલ રાજ્યના કાયદાનો ભંગ કરીને પુસ્તકાલયો સ્થાપવામાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો ત્યારથી થયે. આ પછી તેમણે ગાંડલ પ્રજમંડળની સ્થાપનામાં તેમજ ગોંડલ રાજ્ય પ્રતિનિધી સભાની રચનાના કાર્યમાં મહત્વનો ફાળો આપ્યો હતું. આ ઉપરાંત જામ જુથ યોજના વિરૂધ્ધ લોકમત પ્રગટ કરવાના આંદોલનોમાં તેમણે અગ્રગણ્ય કામગીરી બજાવી હતી. સૌરાષ્ટ્ર ખેડુત મંડળના મંત્રી તરીકે શ્રી જયરામભાઇએ અઢી વર્ષ કામગીરી બાવ્યા બાદ તેઓ પોતાના વતન કેલકી ગામની પંચાયતના સરપંચ તરીકે ચુંટાયા હતા ૧૯૫૪ થી ૫૭ સુધીના આ ત્રણ વર્ષના ગાળા દરમિયાન આ કેલકી પંચાયત સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ પંચાયત તરીકે ઈનામ મેળવ્યું હતું. ગયા મંત્રીમંડળમાં તેમણે કૃષિ અને નાગરિક પુરવઠા ખાતાના નાયબ મંત્રી તરીકે કામગીરી બજાવી, હાલમાં ગુજરાત રાજ્યના ખેતી–સીંચાઈ-વિજળી ખાતાના નાયબ મંત્રી તરીકે સેવા આપી રહ્યાં છે. શ્રી રાઘવજી લેઉઆ તે તેમની વિદ્વતા અને સેવાના સાચા અને ઉચિત આદર સમાન છે. અને વિધાન સભાના અધ્યક્ષ તેમની સર્વાનુમતિ પસંદગી કરીને રાજ્ય ધારાસભાએ ગૌરવશાળી પ્રણ લી પાડી છે. અસ્પૃશ્યતાના અનિષ્ટની સમાજ પરની પકડ છતાં શિક્ષણ સાધનો ચાલુ રાખીને તેઓ બી. એસ. સી. એલ. એલ. બી. થયા. અભ્યાસ કર્યા પછી મહારાવ શ્રી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે તેમને ૧૯૩૭ માં ન્યાયખાતામાં પ્રોબેશનલસિવિલ જજ તરીકે. નિમણુંક આપી અને તેમને વધુ અભ્યાસ અર્થે ઇગ્લાડ મોક લ્યા. વડોદરા રાજ્યના જવાબદાર રાજ્યતંત્રમાં શિક્ષણ અને પંચાયતખાતાના પ્રધાન તરીકે જોડાયા. ૧૯૫૯માં વડેદરા રાજ્યનું મુંબઈમાં જોડાણ થતાં તેઓએ મુંબઈ હાઈ ટમાં પ્રેકટીસ શરૂ કરી હતી. આ કાળ દરમિયાન મેં ઈન મ્યુનિસિપલ ભજુનાં યુ ધન સાથે અને મજુરોના હિતની પ્રવૃત્તિએમાં સક્રિય રસ લીધો. સૌરાષ્ટ્ર રાજયના પછાત વર્ગ કલ્યાણ બર્ડમાં પણ તેમણે સેવા આપી હતી. તેમણે ગુજરાત રાજ્ય પબ્લીક સવીસ કમીશનનાં અધ્યક્ષ તરી ની જવાબદારી સંભાળી અને લાગલગટ છ વર્ષ સુધી સફળતાપૂર્વક આ કામગીરી બજાવી. તેઓ સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકબાયેલાં છે. અમરેલીમાં કોલેજ ચલાવતી અમરેલી જિલ્લા વિધાસભાના તેઓ મંત્રી છે. આ ઉપરાંત તેઓ વડોદર ની મહારાજા સયાજીરાવ યુનિવસિટીની સેનેટના ૧૯૪૯થી સભ્ય છે. અને ગુજરાત યુનિવર્સિટીની સેનેટના ૧૯૬૧ થી સભ્ય છે. આ ઉપરાંત નવી સ્થપાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સલાહકાર સમિતિના પણું સભ્ય છે. શ્રી જસવંત મહેતા મહુવામાં એમણે વિદ્યાર્થી જીવન ગાળેલું. નાની વયથી તરવરાટ અને અન્યાયનો સામનો કરવા તત્પર રહેવાના ગુણોએ એમને નેતા બનાવી દીધેલ. મહુવની વિધાથ પ્રત્તિઓમાં મોખરે રહેતા, ત્યાર પછી ભાવનગરની શામળદાસ કેલેજમાં દાખલ થયા અને ભાવનગરની વિદ્યાર્થી લો અને વિદ્યાથી મંડળમાં આગેવાની ભર્યો ભાગ ભજવેલો. ૧૯૪૨ માં પૂ. બાપુએ અંગ્રેજો હિંદ છેડાની હાકલ કરી. આ લોકક્રાંતિમાં એક પછી એક આગેવાનો જોડાયા. શ્રી જશુભાઈ કેલેજ છોડી આ લડતમાં કુદી પડયા. પણ એમને સીધા સાદી રીતે પકડાઈ કારાવાસમાં જવાનું પસંદ ન હતું. એમણે ભૂગર્ભમાં જઈ અંગ્રેજ સરકાર સામેની લડત ચલાવ્યે રાખી, આ વાતની ગંધ જતાં ભાવનગર રાજ્ય એમની ધરપકડ માટે વોરંટ કાઢયું, પણ વોરંટ શેનું બજે ? રાજ્ય કડક થયું એમને હાજર થવા અને નહિતર જમીન હરરાજ કરવા નોટીસ નીકળી. પણ હાજર ન થયા. છેવટે જમીન હરરાજ થઈ, પછી તે કાઠીઆવાડ એજન્સી, મુંબઈ સરકાર વગેરે ધરપકડ માટે વોરંટ કાઢયા પરંતુ તે ન પકડાયા તે ન જ પકડાયા. આ રીતે ચાર વર્ષ ભૂગનવાસ સેવ્ય એ દરમ્યાન કાશી વિદ્યાપીઠમાં જઈને સમાજશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો, ૧૯૪૭ માં સ્વરાજ આરતાં વતન મહુવામાં અવ્યા. પરંતુ થોડા જ સમયમાં જુનાગઢની આરઝી હકુમત થઈ અને ફરી શ્રી જશુભાઈ એ લડતમાં ગયા અને અગ્રહિસ્સ આપી લડત સફળ બનાવી. એમના જાહેર જીવનનો સીધો આરંભ ૧૯૪૮ થી મહુવામાં શરૂ થયો. મજુર પ્રવૃત્તિ, ખેડૂત પ્રવત્તિ, સામાજીક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં એમણે ઉત્સાહભેર કામ શરૂ કર્યું અને લેતાએ પણ તે ઉપાડી લીધુ. ૧૯૫ર માં પ્રથમ ચુંટણીમાં તેઓ મહુવા વિધાન સભાની બેઠક લડી સૌરાષ્ટ્ર ધાર સભાના વિરોધપક્ષના ધારાસભ્ય બન્યા. વિરોધપક્ષમાં એમને આગેવાની ભર્યો ભાગ હતો. ૧૯૫૫ માં દીવ મુક્તિ આંદોલનમાં ભાગ લીધે અને સત્યાગ્રહ માટે બે માસ પંજીમ જેલમાં ગાળ્યા. સેલ્સટેકસ આંદોલન વખતે પણ જેલમાં ગયેલ. શ્રી જશુભાઈ ૧૯૪૯ થી ૧૯૫૯ સુધી એટલે શ વર્ષ મહુવા યુની.ના પ્રમુખપદે રહ્યા હતા. મહુવા મ્યુનીસિપાલીટીએ આઝાદી પછી જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેને સાચે અને સચોટ ખ્યાલ જયાં સિવાય આવી શકે તેમ નથી સુધરાઇએ લેકમત કેળવી લોકફાળાથી જાહેર ગામે કર્યા છે તે અભિનંદનીય છે મહુવા કેળવણી સહાયક સમાજની પ્રસંશા સવ ત્ર થાય છે. હાલ તેઓ ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન છે. શ્રી છબીલદાસ મહેતા ૪૨ વર્ષના શ્રી છબીલદાસ મહેતા સૌરાષ્ટ્રના ગોહિલવાડના તરવરિયા જુવાનના જુથના એક સભ્ય છે. જેમણે પોતાના સાથીદારો સાથે રહીને મહુવા શહેર સુધરાઈમાં સંગીન કામગીરી કરીને સેના હૃદય જીતી લીધા હતા. મહુવામાં કામ કરતી પ્રગતિશીલ જુવાન મિત્રોની પ્રવૃત્તિમાં શ્રી છબીલદાસ પશુ નાનપણથી આકર્ષાયા, અને તેમણે જાહેર જીવનમાં મંડાણ કર્યા. બધા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy