SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ લગભગ ૧૫૬ વર્ષ એટલે વિ.સં. ૧૯૮૦-૮૧માં આગમોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રી સાગરાનંદજી મ.સા. સપરિવાર શિખરજીની યાત્રાએ પધાર્યા. તેમણે ત્યાંનાં સ્તૂપો-દેરીઓ-જલમંદિર વગેરેની તૂટેલીફૂટેલી હાલત જોઈને તેના જીર્ણોદ્વારનો સંકલ્પ કર્યો. સં. ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી ઈ.સ. ૧૯૫૮માં કામ ચાલ્યું. તે સમયે રૂ. ૧૭ લાખનો ખર્ચ થયો. મહા વદ ૭, સં. ૨૦૧૭ના રોજ ગચ્છાધિપતિ પૂ.આ. માણિક્યસાગરજીએ પ્રતિષ્ઠા કરાવી અને ૨૧મો જીર્ણોદ્વાર સંપન્ન થયો. પૂ. સાધ્વીજી રંજનશ્રીજીએ કલકત્તામાં ચાતુર્માસ કરી શ્રી સમેતશિખર જૈન તીર્થ જીર્ણોદ્ધાર પ્રચારક સમિતિની રચના કરી આ કાર્યમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આમ, તપાગચ્છના ધર્મસૂરિજીની નિશ્રામાં સંવત ૧૮૨૫ની મહા સુદ ૫ (વસંત પંચમી)ને શુભ દિને જલમંદિરનું નિર્માણ, મધુવનમાં સાત ચૈત્યનું નિર્માણ અને તીર્થરક્ષક ભોમિયાજીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરોનો વહીવટ જૈન શ્વેતાંબર પેઢીને સોંપવામાં આવ્યો હતો. વર્તમાનમાં સં. ૨૦૬૩ની સાલના માગશર માસમાં ઐતિહાસિક ચાતુર્માસના નિશ્રાદાતા આચાર્ય શ્રીમદ્ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી, સમેતશિખરજી મહાતીર્થનો વિરાટ છ’રિ પાલિત સંઘ યાત્રાએ ગયો ત્યારે વર્ષો બાદ ૩૧ ટૂંકોના શુદ્ધીકરણ, અઢાર અભિષેક તથા જલમંદિરના પ્રાંગણમાં યક્ષરાજ માણિભદ્રજીની પ્રતિષ્ઠા, મુખ્ય શિખરે ધ્વજારોહણ અને અષ્ટોતરી શાંતિસ્નાત્ર આદિ શાસનપ્રભાવક પ્રસંગો ઊજવાયા હતા. આ ભૂમિ પર ગરમી, ઠંડી, બદલાતા હવામાનને કારણે મૂળભૂત સ્થાનોમાં ઘણું પરિવર્તન આવ્યું છે, પરંતુ વીસ તીર્થંકરોની આ પુણ્ય નિર્વાણભૂમિ છે; એનું સ્મરણ સતત મનમાં ચાલતું રહે તો યાત્રાનો ઉમંગઉલ્લાસ બમણો થઈ જાય છે તો ચાલો, હવે ભક્તિ કરતાં કરતાં જાત્રા કરવાની છે. સૌએ અધિષ્ઠાયક અને ૩૬૪ Jain Education International hosts A41 For Private & Persoral Us TOZRY શ્વેતાંબર કોઠીનું લુકડ દ્વાર અને ભક્તોની યાત્રાનો ઉલ્લાસ... www.janelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy