SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૫૬૫માં ઉદયગિરિ પહાડ ઉપર ચૌમુખજીનું મંદિર હતું તેવો તીર્થમાળાઓમાં ઉલ્લેખ છે. અહીં દિગંબર મંદિરમાં ૬ ફૂટની પ્રભુ મહાવીરની ખગાસન મુદ્રાની મૂર્તિ છે. બાજુમાં આ પશ્ચિમાભિમુખ પ્રાચીન શ્વેતાંબર મંદિરમાં ત્રણ ભીંતદેરી છે. વર્ષો પૂર્વે અહીં શ્રી શામળિયા પાર્શ્વનાથ બિરાજિત હતા, જે આજે ગામમંદિરમાં મૂળનાયકની ડાબે પ્રતિષ્ઠિત છે. જીર્ણોદ્ધાર પહેલાં અહીં જમણી તરફ શ્રી પાર્શ્વનાથ અને ડાબી તરફ શ્રી મુનિસુવ્રતસ્વામીની પાદુકા હતી. વળી, ચારે બાજુ આવેલી ચાર દેવકુલિકામાં શ્રી પાર્શ્વનાથ, શ્રી આદિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી પદ્મપ્રભની પાદુકાઓ હતી. જીર્ણોદ્ધાર બાદ આ જ જિનાલયની પ્રાચીન ત્રણ ભીંતદેરીમાં નૂતન શ્રી શામળિયા પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભાવથી વંદન કરીએ. મૂળનાયકની જમણી બાજુની ભીતદેરીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પગલાં અને ડાબી બાજુ શ્રી જિનવરચરણનાં દર્શન કરીએ. (સંદર્ભગ્રંથો અનુસાર ડાબી બાજુનાં ચરણ શ્રી મુનિસુવ્રતસ્વામીનાં હોઈ શકે. અત્યારે દેરીપર ‘શ્રી જિનવરચરણ પાદુકા’ એમવંચાય છે.) या उन नावारमादिर उदाकार શ્રી શામળિયા પાર્શ્વનાથજી ૧૨૪ શ્રી જિનવરચરણ ગભારો શ્રી પાર્શ્વનાથચરણ
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy