SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૪૪૫ પ્રેમ” અને મુગ્ધતા. ‘પ્રેમ' એટલે કુતૂહલ. “પ્રેમ” એટલે આશ્ચર્ય. વિશ્વને પગથારે આપણું હોવું' એ જ કેટલું આશ્ચર્યકારક છે! આ હોવાપણાને આંખોમાં આંજીને આપણે સવાર-સાંજ, રાતદિવસ, ઋતુએ ઋતુ અને વરસોનાં વરસો વિતાવતાં હોઈએ છીએ. પછી કોઈ રાજમહેલની અટારીમાં બેઠાં હોઈએ કે રસ્તા પર ટુકડો પાથરીને, પણ હોવાપણાના કુતૂહલને અળગું કરી શકતા નથી. તેમ એ જન્માવનાર માતા પણ પોતાના આશ્ચર્યને અળગું કરી શકતી નથી! પ્રેમ” એટલે આશ્ચર્ય. છબીકાર-દિવ્યેશ સેજપાલ ‘ગમવું એક ભાવ છે, તેમ અણગમો પણ માનવજાતને વળગેલો સ્થાયી ભાવ છે. ક્યાંક ચિત્ત ચોંટે નહીં, મન લાગે નહીં, મનડું માને નહીં એવી અનેક પળો જીવનમાં આવતી હોય છે પણ કોઈ સદ્ભાગી પળે કોઈ પણ પ્રેમભાવ જાગે ત્યારે જીવનના દસે દરવાજા ખૂલી જતા હોય છે. સમગ્ર અસ્તિત્વ એનો સ્વીકાર કરી રહે છે, સમગ્ર જીવન ઉત્સવ બની રહે છે. એને જાણકારો પ્રેમ કહે છે. છબીકાર-વિવેક દેસાઈ પ્રેમ” એટલે સ્વીકાર. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education Intemational
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy