SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી વગેરેમાં પણ એવાં વૃત્તાન્તા આવે છે. રાજા અને તેની આસપાસ રહેલા વિલાસપ્રિય વાતાવરણને તે ખ્યાલ આપે છે. વેશ્યાએ ચતુર હતી. વેશ્યાગૃહને વિદગ્ધતાનું ધામ કાઇ ઉક્તિમાં કહ્યું છે. લલિતકલાનું અધ્યયન એ વેશ્યાએ એક પ્રધાન વ્યવસાય હતા. ભીમદેવે ગુજરાતીઓનું ચાતુર્ય બતાવવા માટે ભાજરાજાના દરબારમાં પેાતાના તરફ્થી ગેાવાળના વેશમાં એક પંડિતને અને વેશ્યાને મેલ્યાં હતાં, અને તેએએ પેાતાના ચાતુર્યથી ભાજને મુગ્ધ બનાવ્યા હતા. (પૃ. ૯૭) ( પ્રજામાંના કાષ્ઠ સમૃદ્ધિવાનને રાજા લૂટી લે એ બનાવ બહુ સામાન્ય હાવા જોઇએ, કારણ ભેજ કે જેને મેરુત્તુંગ દાનેશ્વરી તરીકે વર્ણવે છે તેને એક વાણિયાએ નાટક કરાવ્યું તેની સમૃદ્ધિ જોઇ લૂટી લેવાને વિચાર થયા એમ લખ્યું છે. (પૃ. ૧૦૦) જો કાઇ રાજાના કંઇ અપરાધમાં આવે તે તેનાં ઘરબાર તુરત જ લૂંટી લેવાતાં હાવાં જોઇએ. સપાદલક્ષના એક અવિવેકી શેઠિયાએ માથુ એળતાં એક જૂને મારી નાખી હતી, તેથી અમારના અમલ કરાવનાર પંચાળાએ તેને પાટણ લાવી રાજા કુમારપાલ કને ઊભા કર્યાં. દંડ તરીકે તેનું સર્વસ્વ લૂટી લઇ ચૂકાવિહાર બધાવવામાં આવ્યા (પૃ. ૧૯૨ ). ખંભાતના સદિષ્ટ નામે મુસલમાન વેપારી ધેાળકાના મંડલેશ્વર વીરધવલના વાંકમાં આવવાથી તેનું સર્વસ્વ લૂટી લેવામાં આવ્યું હતુ. એવે પણ કેટલેક સ્થળે ઉલ્લેખ મળે છે. કાઇ માસ અપુત્ર મરી જાય તે! તેની સ્ત્રી રાતી રહે અને તેના માટે ફક્ત ખારાકા-પાશાક જેટલું રાખીને બાકીનુ ધન રાજા લઇ જાય એવા નિયમ હતા; આ જાતના લાગાને ‘દંતીવિત્ત’કહેવામાં આવતે. તેમાં અદત્તાદાનને દોષ આવતા હોવાથી કુમારપાલે એ રિવાજ અંધ કરાવ્યા હતા. (પૃ. ૧૮૨) Jain Education International ૮૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy