SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક પણ પકડાતા નથી. શ્રેણિકનો મંત્રી અભયકુમાર પિતાના બુદ્ધિબળથી તેને પકડે છે અને તેણે કરેલી ચેરીઓ ખુલાવવા એક યુતિ રચે છે. એક ઓરડો ઈન્દ્રભવન જેવો શણગારી તેમાં અસરાઓને સ્થાને વેશ્યાઓ મળે છે, અને પછી ઊંઘતા ચોરને ત્યાં મૂકી દે છે. ૌહિણેય જાગે છે, એટલે વેશ્યાઓ તેને પૂછે છે કે, “પૂર્વજન્મમાં તમે કેવાં સલ્ફ કર્યા હતાં કે જેથી આ સ્વર્ગ તમને મળ્યું ?” હવે, રૌહિણેયના બાપે રૌહિણેયને શિખામણ આપી હતી કે મહાવીરનું વચન કદી સાંભળવું નહિ; પણ એકવાર પગમાં વાગેલો કાંટે કાઢતાં મહાવીરની દેશનાના કેટલાક શબ્દો અકસ્માત તેને સંભળાયા હતા. તેમાં તેણે દેવતાઓની આંખો મીંચાતી નથી, પગ ભોંય પર અડતા નથી, દેવ પ્રસ્વેદથી ભીંજાતા નથી તથા તેમની માળાઓ કરમાતી નથી” એમ સાંભળ્યું હતું. મહાવીરના આ એક જ વચનના પ્રભાવથી ચાર કૃત્રિમ સ્વભવનની યુકિત પામી ગયે. મહાવીરના એક જ વચનનો જે આટલો પ્રભાવ, તો તેમના અનુયાયી બનવાથી મોતની પ્રાપ્તિ કેમ નહિ થાય ? અપરાધી નિર્દોષ ઠરે છે, પણ જ્યારે તેને છેડી મૂકવામાં આવે છે ત્યારે જે વૈભાર પર્વત ઉપર તેણે લૂટેલા ભંડાર તથા હરણ કરેલાં સ્ત્રી તથા બાળકને રાખ્યાં હતાં ત્યાં રાજા અને મંત્રીને લઈ જાય છે તથા પશ્ચાત્તાપ જાહેર કરે છે. આ કથાનક હેમચન્ટે “યોગશાસ્ત્ર'માં એક ઉદાહરણ તરીકે પણ આપ્યું છે. તુલનાત્મક લોકવાર્તાના અભ્યાસમાં પણ તે ઉપયોગી થાય એમ છે, એ જોઇ શકાશે. બાલચન્દ્રનું “કરુણવજાય ધોળકાના રાણા વીરધવલના સુપ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલના આશ્રિત કવિ બાલચન્દ્રનું “કરુણવજાયુધ” નાટક સં. ૧૨૭૭માં વસ્તુપાલે કાઢેલા સંઘના પરિતિષ અર્થે શત્રુંજય ઉપર ઋષભનાથના યાત્રા મહોત્સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy